SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] જન કોન્ફરન્સ હેરલ્ડ [ જુલાઈ ધાર્મિક હિસાબ તપાસણું ખાતું જલે ખેડા તાબે ગામ ખેડવા મથે શ્રી અજીતનાથજી મહારાજના દેહરાસરજીને રીપોર્ટ - સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા ભાઇચંદ કીશોરદાસ તથા કાળાભાઇ દુલભદાસના હસ્તકનો સંવત ૧૮૬૨ થી સંવત ૧૯૬૩ ના ફાગણ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો છે. કારણકે આ દેરાસરની સંવત ૧૨ ની સાલમાં પ્રતિષ્ઠા થએલી છે, તે પહેલાં એક ઘર દેરાસર તરીકે હતું ને જાજ ઉપજ ખરચ હોવાથી તપાસવા જેવું લાગ્યું નહિ તેથી ત્યાંથી તપાસ્યું છે. ને તે જોતાં હિસાબ ચોખી રીતે રાખેલું જોવામાં આવે છે. તેથી સદરહુ બને ગૃહસ્થ તથા અત્રેના શ્રી સંઘને ધ યવાદ ઘટે છે. અત્રેના સંબંધમાં જે કાંઈ સુધારે કરવા જેવો છે તેનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યું છે. માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપ ધ્યાન આપી યોગ્ય સુધારો તાકીદે કરશે. જીલે ખેડા તાબે ગામ આદર મળે શ્રી હંસનાથજી મહારાજના હે રાસરજીના વહીવટને લગત રીપોર્ટ * સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા રણછોડદાસ વીરચંદ તથા શા મોતી. લાલ ભાઈચંદના હસ્તકનો સંવત ૧૮૫૮ થી સંવત ૧૯૬૩ ના ફાગણ વદ ૦)) સુધીને હિસાબ અમોએ તપાસે છે. તે જોતાં નામાની રૂઢી ગ્ય રીતે રાખવામાં આવી છે, તથા પૂજન વિગેરેને ખરચ દહેરાસરની મીલકતમાંથી કરવામાં આવતું નથી તે જોઈ ખુશ થવા જેવું છે. વળી વિશેષ ખુશી થવા જેવું એ છે કે અત્રેના શ્રાવકોએ અત્રેનું દેરાસર ગામના પ્રમાણમાં એક નાનું ઘર દેહેરાસરના સ્વરૂપમાં રાખેલું છે કે જેના નિભાવને માટે ભવિષ્યમાં પણ અડચણ પડવાને ભય નહિ. અપાસરાનું કામ થોડું અધુરું છે તેને જેમ બને તેમ તાકીદે પુરૂં કરી લેવું જોઈએ. સદરહુ વહીવટના તથા બીજા ગૃહસ્થ દેહેરાસરજી માટે પુર કાળજી રાખતા જોવામાં આવે છે, તેથી તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે અને આશા છે કે પિશાળનું અધુરૂં રહેલું કામ તાકીદે પૂરું કરી લેવા વિગેરે અમારી આપેલી સુચના ઉપર ધ્યાન આપી યોગ્ય સુધારો તાકીદે કરશે. જલે ખેડા તાબે ગામ વાસ દ મથેના શ્રી સંભવનાથજી મહારાજના દેહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ - સદરહુ દહેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા કાળીદાસ મગનલાલના હસ્તકને સંવત ૧૪૬૧ ના શ્રાવણ સુદ ૧૪ થી સંવત ૧૯૬૩ ના ફાગણ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં નામું રીતસર રાખવામાં આવેલું છે. - ' સદરહુ દેરાસરજી શા ગંગાદાસ ધરમચંદની વિધવા બાઈ માનકોરે બંધાવી સંવત ૧૯૬૨ ની સાલમાં તેની પ્રતિષ્ઠા કરી છે પણ તે બાઈને દહેરાસરજી બાંધવાના કામમાં તે કામના ખરેખરા માહિતગાર માણસની મદદ નહીં હોવાને લીધે તથા તેનો મુખ્ય કારીગર પણ હુશીઆર નહી હોવાને લીધે તે મંદીર બંધાઈ રહેવા આવ્યા બાદ તેમાં ખોડ દેખાવાથી તે તેડી પાડી ફરીથી બાંધવું પડયું તેમાં બાંધનાર બાદને ધાર્યા કરતાં ચારગણું ખરચ થઈ જવાથી તેનું મન - સંકોચાઈ જવાને લીધે તેનું કેટલુંક કામ અધુરૂં છેડી દેવામાં આવ્યું છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy