SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ 31 ર સોથી નસના મુખઃખટણ ખાતે મૂળનારી ચેથી જૈન કન્ફન્સના પ્રમુખ તરીકે રાષણ પદ્ધસિદ્ધ નામદાર સરકારમાં પાસુ પ્રતિષ્ઠિત તથા નરલ્સનું રેસીડેટ જનરલ સેક્રેટરી શેઠ વીરચંદીપદ સી આઈ.ઈ. ની ચુંટણી થઈ ગઈ છે. પ્રમુખની ચુંટણી બહુ ઉત્તમ થઈ છે, અને તેઓ સાહેબના શુભ હસ્તથી શરૂ થતું કોન્ફરન્સનું કાર્ય વિજયવંતુ નિવડશે એવી દરેક આશા અને નવા વર્ષનું ખેતાબનું લાસ્ટ–અખિલ હિંદુસ્તાનમાં સર્વ શ્વેતાંબરી ભાઈઓમાં માત્ર આંગળીના ટેરવા પરગણાય તેટલાજ સરકાર તરફથી માન અને પ્રતિષ્ઠા પામેલા પુછો છે. મુંબઈ ઈલાકામાં પ્રથમ પદે અગ્રગણ્ય, ચાથી કોન્ફરન્સના ચુંટાએલા પ્રમુખ તથા “અનુભવી વૃદ્ધ ગૃહસ્થ શેઠ - વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ. છે. તે સિવાય શેઠ વસનજી ત્રીકમજી (કચ્છના) અને શેઠ હિરાચંદ મોતીચંદ (સુરતી) રાવ સાહેબને ખેતાબ પામેલા છે. ઉપરાંત ગોડીજીના દેરાસરના ત્રસ્ટી શેઠ માણેકચંદ કપુરચંદ (પુનાવાળા) તથા પન્ના સ્ટેટના એડમીનીસ્ટ્રેટર, અને તેજ રીતે જૈનમાં એકજ - અગ્રગણ્ય અમલદાર મી. બાલાભાઈ મંછારામ (અમદાવાદ વાળા) પણ રાવ બહાદુર થએલા છે. બંગાળા તરફ જોતાં પણ બીજી કોન્ફરન્સના પ્રમુખ રાય બહાદુર બાબુ બદ્રીદાસજી કાલિકાદાસજી, ત્રીજી કોન્ફરન્સના પ્રમુખ બાબુ રાય બહાદુર બુદ્ધ સિંહજી તથા રાય બહાદુર સીતાબચંદજી છે. આ પ્રમાણે સાત ગ્રહને ખેતાબ મળેલા છે, તેમાં એકજણને વિશેષ વધારે જોઈ અમને આનંદ થાય છે. સુરતના રહીશ, અત્રેના પ્રસિદ્ધ ઝવેરી શેઠ નગીનદાસ ઝવેરચંદને રાવબહાદુરને ખેતાબ મળ્યો છે. અમે સમજીએ છીએ કે સુરતમાં સેંટ એંડ્ઝ લાયબ્રેરીસાથે હૈલ બંધાવી આપવા માટે તેમણે રૂ. ૨૫૦૦૦ આપવાનું જાહેર કર્યું છે, તે ઉદારતાને અંગેજ આ પીછાન થઈ છે. મી. નગીનદાસ બહુજ ધર્મના રાગી છે. વળી તેમણે કેન્ફરન્સના ફંડમાં પણ રૂ. ૫૦૦૦ ભર્યા હતા, અને સુરતમાં જૈન ભાઇઓની સ્ન સાગર પાઠશાળાના ફંડમાટે પણ તેમણે એક સારી જેવી રકમ કાઢેલી છે, કે જેના વ્યાજ તરીકે પાંચ વર્ષના રૂ. ૫૫૦૦ તેમણે આપેલા છે. અત્રેની શેઠ છોટાલાલ નગીનદાસની ખેતીની સીન્ડીકેટ કે જે આખી દુનીઆમાં સૌથી મુખ્ય મંતીની પેઢી છે તેના તેઓ મુખ્ય ભાગીદાર છે. આ પ્રમાણે લાયક -નરને લાયક માન મળેલું જોઈ દાતા નામદાર સરકારને અમે આભાર માનીએ છીએ, તથા ભાગ્યશાળી શેઠ નગીનદાસને પણ ખરા અંતઃકરણથી મુબારકબાદી ઈચ્છી એવી વિનંતી કરીએ છીએ કે જૈન કામનું જેમ બને તેમ ભલું કરશો. કોઈ એમ સવાલ કરશે કે ખેતાબ મળ્યાથી વિશેષ શું છે? જવાબ કે ને ટચ છે. પારસી જેવી નાની કેમમાં કેળવણું અને ધનના પ્રતાપે મિલનસારી સ્વભાવથી ઘણા ગત સરકારમાં માન પ્રતિષ્ઠા અને ખેતાબો પામેલા છે. તેઓની કામના કોઈ સવાલની બાબતમાં તેઓ કેવા ફાવી શકે છે તે વારંવાર દષ્ટાંતો પરથી જણાય છે. તેવી જ રીતે આપણું કામમાં પણ સરકારમાન્ય - ગૃહસ્થને વધારે થાય તેમાં શ્રેયજ છે. આ સંબંધે એક અગત્યની સુચના અમે કરવા માગીએ છીએ કે આત્માર્થી જનોએ ખેતાબ મેળવવા માટે સારાં કામો કરવાં નહિ પરંતુ જાતિભાઈઓનું શુભ થાય એ હેતુથી જ કામ કરવાં. શેઠ નગીનદાસે પુત્રલગ્ન પ્રસંગે પણ કેમ માટે સારાં કામમાં રૂ. ૨૫૦૦૦ ખર્ચવા એલાહેદા કાઢ્યા છે. બોડીંગને ભેટ –જૈન કોલેજ કરતાં બોર્ડીગની અતિશય આવશ્યકતા છે એમ રા. મોતીચંબા લેખપરથી સ્પષ્ટ થાય છે. અહિના શેઠ રત્નજી જેચંદે ભાવનગર દશાશ્રીમાળી બેગના મકાન ભાડામાટે દરવર્ષે રૂ. ૭૫ લેખે પાંચવર્ષધી આપવાનું કબૂલ કર્યું છે, અને તે પણ પુત્રલગ્નનિમિત્તે ઉદાર ગૃહસ્થાએ નિમિત્ત તથા ઉદારતાનો પ્રકાર ધ્યાનમાં લેવા જેવું છે. કેન્ફરન્સ આવાં કામે તરફ લક્ષ દેરે છે, અને આવા ગૃહસ્થ કેન્ફરન્સનું ચૈતન્ય છે.
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy