________________
- ૧૨૮ - જૈન કેનફરન્સ હરે....
[એપ્રિલ शुद्ध और चरबी रहित पवित्र मोमबत्तीयां.
खास जैन धर्मियोंके वास्ते. ___ हमारे यहां मुखतलिफ किसम् वजन् सफेत मोंबत्तीयां बनती है. इस्की बनावटमें कोई नापाक जानवरोंका जुझ नहीं है. इस्की रोशनी दूसरी बत्तीयोंसे कम नहीं हय और ये उन्से ज्यादा देरतक जस्तक है. और इन्ही औसाफ के सबब पांच सोनेके और एक चांदीका तमगा याने आलासनदें और सिवाय बहो. तसी सनदे मिली हय. चूंके आपके यहां मोंबत्तीयां इस्तेमाल और फरोक्त होती है इस लिये अगर आप एक दफे हमारी बत्तीयां मंगवायेंगे तो आपको उन्की खुबीयोका यकीन होगा.
हमारा पत्ताः-मोतीलाल कशळचंद शाह. मेनेजर और मालीक-गुजरात केन्डल फॅक्टरी अॅन्ड अस्बेस्टॉस वर्क्स, जुबिली बाग, ताडदेव, मुंबई.
ધી ગુજરાત કેન્ડલ ફેકટરી અને એમ્બેસ્ટોસ વર્કસ, જુબિલી બાગ, તારદેવ, મુંબઈ
ધર્મિષ્ટજૈન બંધુઓ માટે ખાસ!! ચરબી અથવા બીજા પ્રાણીજન્ય પદાર્થો રહિત
પવિત્ર મીણબત્તી.
આવી જાતનું કારખાનું હિંદુસ્તાનમાં આ પહેલવહેલું જ છે અને તેમાં સાધારણ બજારમાં મળતી પરદેશી મીણબત્તીઓમાં ચરબી વિગેરે હિંસાના તેમજ ઘર્મ વિરૂદ્ધ પદાર્થો આવે છે, તેવા કોઈપણ પદાર્થો વાપર્યા વિના શુદ્ધ વનસ્પતિના તેલમાંથી વાસેટ, ગાડીની, પેનસીલ જેવી, નકશીવાળા વિગેરે મીણબત્તીઓ દરેક કદ, વજન અને રંગની બનાવવામાં આવે છે, અને જેની સરસાઈને માટે બીજી બનાવટની મીણબત્તીઓ સાથેના મુકાબલામાં જુદાં જુદાં પ્રદર્શનોમાંથી પાંચ સેનાના અને એક ચાંદીને ચાંદ મળવા ઉપરાંત, નામાંકિત વિદ્ધા પાસેથી સેંકડો ઉત્તમ સરટિફિકેટ મળેલાં છે. ભાવમાં પણ બીજી બનાવટો કરતાં સસ્તી છે, અને આ મીણબત્તી ઓ કઈપણ જાતના હિંસક પદાર્થો રહિત હોવાથી દેરાસરમાં વાપરવા માટે ખાસ ઉપયોગી છે, અને તેથી આપણાં દેરાસરોમાં તેલની રોશની કરવામાં જે મેહનત અને માથાકુટ પડે છે, તે અમારી મીણબત્તીઓથી ઘણે દરજે ઓછી થઈ જાય છે. વળી અમારા ધાર્મિક જૈન બંધુઓ કે જેઓ ઘર વપરાશ માટે ચરબીવાળી મીણબત્તીઓ વાપરતા નથી, તેઓને પણ આ મીણબત્તીઓ ખાસ ઉપયોગી થઈ પડશે, અને તેથી અમારા જૈન બંધુઓનું અમારી મીણબત્તીઓ તરફ ખાસ ધ્યાન ખેંચીએ છીએ. | કિંમત તથા માહિતી માટે નીચેને સરનામે પત્રવ્યવહાર કરવા, તેમજ એક વખત અજમાયશ લેવા વિનંતી છે.
મોતીલાલ કશળચંદ શાહ જી. એમ. એ. સી. મેનેજર અને માલીક–ધી ગુજરાત કેન્ડલ ફેકટરી અને એએસ વર્કસ,
જ્યુબિલીબાગ, તારદેવ–મુંબઈ.