________________
જૈન યુગે.
દરેક મેટી લડતમાં વિજય લડવૈયાઓની સંખ્યાથી નહિ પણ તેમનાં શર્ય, વીરતા, સહનશક્તિ આદિથીજ થાય છે. જગતની બધી મહાન વ્યક્તિઓએ તેમના મોટામાં મોટાં કામો એકલા જ રહીને કર્યો છે.
ઍકસમુલરે એક જગ્યાએ કહ્યું છે. “હિંદુસ્તાનના લોકોના જીવનને આદર્શ માત્ર કર્તવ્યને જ છે; તેમાં અધિકારની વાતજ નથી.” એ વાતનો પુરાવો આપણાં શાસ્ત્રોમાંથી પણ મળે છે. પિતાના કર્તવ્યપાલનથી માણુસને કેટલાક અધિકાર પ્રાપ્ત થાય છે એ ખરું, પણ આ અધિકારીને ઉપયોગ જે કઈ સ્વાર્થ માટે કરે છે તે પદભ્રષ્ટ થાય. અધિકારનો ઉપયોગ પણ પારમાર્થિક દૃષ્ટિથી જ થવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ અધિકાર મેળવવાના હેતુથી જ પોતાનું કર્તવ્ય બજાવે છે ત્યારે નથી તે શોભતું, નથી તેને અધિકાર મળત; અને એ મળે તે પણ તે તેને બેજારૂપ થઈ પડે છે.
--ગાંધીજી.
પુસ્તક ૫
વીરાત ર૪૪૫-વિ. સં. ૧૯૮૫-૬ ભાદ્રપદથી-કાર્તક, અંક ૧ થી ૩
આત્મ-ક્ષમાપના ભવાબ્ધિમાં પડી ભૂલ,
વસ્યાં જે વેર હૈયામાં, અજબ સંયોગ સંસ્કારે;
ભર્યો જે ઝેર આ જગછતાં સંબંધ નવ સમજે,
અમીની આંખથી જજે, ખમાવું આજ હું સહુને,
ખાવું આજ હું ઋતુને, અનંતા જન્મ પામીને,
કર્યા અપરાધ જાણીને, કમાણી શી કરી છે ?
વિચારે ચિંતવ્યું બ. અરે ! ઘટ કર્મ-થર-પર-થર;!
બળી એ ભસ્મ થઈ જાજે, ખમાવું આજ હું સહુને
ખમાવું આજ હું સહુને, ફો મદ મેહમાં પૂરે,
વિચારું તત્વ આ ઉંડા, કરી દરકાર ના કોની;
પ્રભુ મહાવીરનાં પ્રેર્યા; ગયે બાજી હવે હારી,
સદા કલ્યાણ કરનારાં, ખમવું આજ હું સહુને,
ખાવું આજ હું સહુને, ધવાયાં કાળજાં કુણાં,
ક્ષમા યાચું, ક્ષમા આપું, ઉચારી આકરી વાણી;
હળ-કમી થવું, બંધુ; દયાદૃષ્ટિ કૃપા વૃષ્ટિ;
કરૂં સંપ્રાપ્ત પદ-સિદ્ધિ, ખમાવું આજ હું સહુને
ખમાવું આજ હું સહુને, રવિવાર ભાદરવા સુદ ૫,
ડાહાલાલ દલીચંડ શાઈ.