SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ યેષ્ટ ૧૪ જેનયુગ હંસાવલીની વાર્તા. લેખક – અંજુલાલ રણછોડલાલ મજમુદાર. B. A. LL. B. [સં. ૧૬૭૩ માં “ દ્રૌપદી હરણ” રચનાર ખંભાતને જૈનેતર કવિ શિવદાસે આ વાત દુહા, પાઈ, અને છપમાં રચી છે. એ વાત સાહિત્ય' માસિકમાં ૧૯૧૯-૨૦ માં કકડે કકડે છપાઈ હતી. ત્યાં પ્રકાશકે જણાવ્યું છે કે વીરજી અને સામળભટ વગેરે કવિઓને આ વાર્તામાંથી 8 ને 8 સુચના મળી હોવી જોઇએ. પરંતુ વિશેષ શેધને પરિણામે જણાય છે કે “હંસાવલી’ની નવી વાર્તા રચ્યાનું યશોધન એકલા શિવદાસને ખાતે પણ સ્વીકારાય તેમ નથી. લગભગ પંદરમાં શતકમાં (સં. ૧૪૧૧ માં) એક વિનયભટ્ટે “ હંસવચ્છ ચપાઈ રચી છે. તેના પછી સં. ૧૫૫૩ માં ઉતારાયેલી એક આસાયત નામના કવિની “હંસવચ્છ કથા” ડેક્કન કોલેજના સંગ્રહમાં તથા ઉદયપુરના વિવેક (વિજયજીના) ભંડારમાં છે. એ વાત શિવદાસની વાર્તાનું મૂલ હોય એમ લાગે છે. એમાં વાર્તાને “ચાર ખંડ' માં વહેચી નાખેલી છે. શિવદાસની વાર્તાનું બીજું નામ પણ “હંસા ચારખંડી' છાપવામાં આવ્યું છે. જેમ કવિની વાર્તા શિવદાસના ત્રીજા ખંડથી શરૂ થાય છે. પઠણમાં શાલિવાહનના પુત્ર વરવાહનની કથા એમાં આવે છે. સં. ૧૬૫૩ માં એક મધુસુદને “હંસાવલી’ ની વાર્તા રચેલી છે. એમાંની હંસાવલી તે હંસાવતી (ત્રંબાવટી)-ખંભાતનગરની રાજપુત્રી છે; અને હેને વિક્રમરાજા આવીને પરણું જાય છે. એ વાતનું બીજું નામ “વિક્રમચરિત્ર” છે. એ હંસાવલીને આ હંસાવલી સાથે કોઈ સંબંધ નથી. માત્ર નામ સામ્ય છે. આ વાર્તાની સુંદર પ્રતિ શ્રી. અંબાલાલ જાનીએ પોતાના સંગ્રહમાં વાંચી જવા માટે આપી હતી, તે બદલ તેમને ઋણી . હંસાવલી” ની આ પદ્ય વાર્તા એટલી પુરતી લાક્ષણિક છે એમાં ત્રણ જન્મની કથાદ્વારા પુરુષણિી નાયિકાના સ્વભાવનું સમાધાન કરવામાં આવ્યું છે. ચીતારાના ચિત્રપટની યુક્તિ પણ તેટલી જ વિશિષ્ટતા વાળી છે. આ વાત એક જૈનેતરે રચી છે છતાં તેમાં જૈન મતની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. મહાકવિ સામળભટના પુરોગામી તરીકે પણ આ વાર્તાને કવિ ઉપયોગી છે. શિવદાસની વાર્તાનું બેખું નીચે પ્રમાણે છે –] કુંદનપુરમાં અનંગભ્રમ રાજાને પુત્ર નથી. તેણે લાગ્યું. સેમ પાણીની ભાળ કાઢવા એક ઉંચા ઝાડ કંટાળીને કમળપૂજા આદરી. એટલે શિવકૃપાથી એને ઉપર ચઢો. નજીકમાં જ એક નગર દેખાયું. બંને બે પુત્ર થયા. પરંતુ તેનું સુખ તેના નસીબમાં લ- ભાઈ ત્યાં ગયા; અને નગરના પ્રધાનને ઘેર રાતખાયું નહતું. વાસો રહ્યા. સોમ અને ઉત્તર એ બે રાજકુમાર મોટા પ્રધાનની પુત્રી જયવંતી ભોજન પીરસવા આ થયા; અને મૃગયા રમવા ગયા. ત્યાં એક ઋષિ હતા; વતી હતી. રાજકુમાર ઉત્તર તેને જોઇને અંજાય; તેમણે ઉપદેશ કર્યો; “ કુમાર, પશુહિંસાનું ઘોર પાપ જયવંતી પણ આ જુવાનડાને નીરખી મોહ પામી. તમને લાગ્યું. હવે તે ધોવા કાશી જાઓ; અને પરંતુ એના હૈયાની વાત એ કાઈને જાણવા દઈ શકી પતિતપાવની ગંગામાં નહાઈ પાપમુક્ત થાઓ.” નહીં. ઉત્તરથી પણ એ વાત કેમ પુછી જાય ? એણે દુધભર્યા નવજુવાન યાત્રાએ નીકળ્યા. વાટમાં પણ મનની વાત મનમાં રાખી. સંકલ્પ કર્યો, “એ જંગલ આવ્યું. ત્યાં બંને રસ્તે ભુલ્યા. ભમતાં જયવંતીને આ જન્મે નહીં તે બીજે જન્મે તે જ ભમતાં બપોર થયા. પાણી વગર ગળું સુકાવા સર મેળવવી.” હું જુએ રા. મોહનલાલ દેસાઈ સંપાદિત છે જેને પ્રધાનને ત્યાંથી વિદાય માગી બંને જણ કાશી ગુર્જર કવિઓ, પૃ. ૪૬. આવી પહોંચ્યા. ગંગામાં નહાઇ પવિત્ર થયા. ઉત્તર
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy