SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ. [ શ્રી મહાવીર નિર્વાણ દીપોત્સવી ખાસ અંક] શ્રી મહાવીર સ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા. “હજાર વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તે વૈરાગ્ય ભગવાનને હતે. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણુ ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે; અર્થાત તેમની વાણું કલ્યાણ અર્થેજ છે. તેઓને જન્મથી મતિ, ભૂત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે મહા પુરૂષનાં ગુણગ્રામ કરતાં અનંતી નિર્જ રા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે–તેઓને અભિપ્રાય જણાય નહીં. જ્ઞાની પુરૂષની ખરી ખુબી એ છે કે, તેમણે અનાદિથી નહીં ટળેલા એવા રાગ દ્વેષ ને અજ્ઞાન–તેને છેડી છેદી ભેદી નાંખ્યા છે. એ ભગવાનની અનંત કૃપા છે, તેમને લગભગ પચીસ વર્ષ થયાં; છતાં તેમની દયા આદિ હાલ વર્તે છે-એ તેમને અનંત ઉપકાર છે? પુસ્તક ૨. વીરાત ર૪૫ર, વિ. સં. ૧૯૮૨ ભાદ્રપદ અને આધિન, અંક ૧-૨, શ્રી સિદ્ધ મહાવીર. [ વાસરીમાં સુંદર રીતે ગવાશે ! પ્રભુ તું અનંત મહંત પ્રશાન્ત, પ્રભુ તું બધા કર્મનાશે કૃતાન્ત; પ્રભુ પૂર્ણ આનંદ આસ્વાદવન્ત, પ્રભુ તું થયે સિદ્ધિ લક્ષ્મિ સુકાંત. રહિત વર્ણ-ગંધસ્પર્શન-૨૫, પ્રભુ તું થયે રસ સંસ્થાન હીન, અમાહિ અકર્તા અગી અયોગી, અવેદી અખેદી ગુણનંદ પીન. જાણે તું શાને છતી સર્વ વસ્તુ, અને દેખતે સર્વ સામાન્ય ભાવ, રમે આત્મગુણે, ઘુમે રસ અનુભવ, અને પૂર્ણ લેત શુદ્ધાત્મ ભાવ. વસ્યા દાન લાભ અનંતાત્મ ગુણે, થયો ભોગ-ઉપભગ નિજ ધર્મ લીન, વસ્યા સર્વ ગુણ કાર્ય સહકાર વિર્ય, ચપલ વીર્ય જાતાં થયો સ્થિર અદીન. ક્ષમી તું દમી તું માર્દવમય તું, ઋજુતા ને મુતિ સમતા અનંત, અસંગી અભંગી અનંગી પ્રભુ તું, સર્વ પ્રદેશ તું ગુણુશકિતવંત. પ્રમાણી પ્રમેય અમેય અગેહી, અકંપામ દેશી અશી અવેશ, સ્વયં ધ્યાન મુક્ત સદા ધ્યેય રૂ૫, મુનિમાનસે જેહનો વાસ દેશ. થોડા ફેરફાર સહિત -શ્રી દેવચંદ્રજી [વીર જિનવર નિર્વાણ ] વિ. અરાઢમી શતકના અંતે.
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy