SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ માર્ચ-એપ્રિલ ૧૯૬૦ થાય અને કપાયો નિર્બળ થઈ દેવ-સંત-શાસ્ત્રના જોરે નિર્મૂળ થાય તે સાધન જ પ્રશંસનીય છે. કારણભાવ તેહ અપવાદે કાર્યરૂપ ઉત્સર્ગે છે, આત્મભાવ તે ભાવ, દ્રવ્ય પદ બાહ્ય પ્રવૃત્તિ નિઃસંગે –શ્રી. (૯) અહીં જેટલો કારણભાવ તેને અપવાદ શબ્દથી ઓળખાવ્યો છે, કાર્યભાવને ઉત્સર્ગ શબ્દ વડે ઓળખાવ્યો છે જેટલો અંતરંગ' મોહય તે ભાવ નિક્ષેપ અને જેટલી અનાસક્તિવાળી બાહ્ય પ્રવૃત્તિ તે સર્વ દ્રવ્યનિક્ષેપરૂપ જાણવી. દેવચંદ્રગણિ કહે છે કે આ વિસ્તારશૈલી પૂર્વાચાર્યો વિશે જાણવી હોય તો બૃહત ક૯૫ભાળ્યું અને તેના પરની ટીકા અવગાહી લેશો. કારણભાવ પરંપરસેવન, પ્રગટે કારજ ભાવો છે, કારજ સિદ્ધ કારજતાવ્યય, શુચિ પરિણામિક ભાવો છ–શ્રી. (૧૦) હવે અંતરંગ શાંતિની શોધ કરનાર, ભવ્યની જે દેવભક્તિ, ગુરુભક્તિ અને શાસ્ત્રભકિત તેનું ક્રમે ક્રમે સેવન કરવાથી મોહક્ષય થતાં નિયમથી કાર્યભાવ પ્રગટ થાય છે. કાર્યસિદ્ધિ થતાં નિર્મલ આત્મજ્ઞાન પ્રકાશી ઊઠે છે અને કારણ ધર્મ રહી શકતો નથી. હવે સહજત્મસ્વરૂપ અથવા પરિણામિક ભાવ વિલસે છે. પરમગુણી સેવન તન્મયતા, નિશ્રયસ્થાને ધ્યાવે છે, શુદ્ધાતમ અનુભવ આસ્વાદી દેવચંદ્ર પદ પાવે છ–શ્રી. (૧૧) - પરમ ગુણોના ધારક અરિહંત પરમાત્મા તેમની સેવના અતિ દુર્લભ છે, તે પામી, તેમાં તન્મય થઈ જે પોતાને અરિહંતરૂપ ઓળખી નિષ્કલંક આત્મસ્વરૂપ ચિંતવે છે, તે નિર્મળ વિષયાતીત અતીદિય આનંદ પામીને દેવોના ચંદ્ર તુલ્ય જિનંદ્રની પદવી પ્રાપ્ત કરે છે. CO. LTES . - કે .. :r A , * તા: 1 / ક * મો: NCT. ૬ ના A કરી . ૬, ક જ -
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy