________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માધવી એ. પંડયા
મહાદેવી પોતે અદ્વિતીયા હોવાનું જણાવે છે. ૨૫ વૈદિક “દેવી અથર્વશીર્ષ' પણ આમ જ નિરૂપે છે. બ્રહ્મા, વિષ્ણુ, ઈશાન, ઈન્દ્ર આદિ અનેક દેવતાઓનું મહાદેવીના આ વરૂપમાં સંપૂર્ણ અદ્વૈત છે. અને છતાં આશ્ચર્યની વાત તો એ છે કે, આપણે હંમેશાં અદ્વૈત તત્ત્વને નિરાકાર પરબ્રહ્મરૂપે કલ્પતા આવ્યા છીએ. જ્યારે અહીં અદ્વૈત હોવા છતાં તેનું સ્વરૂપ સંપૂર્ણ સાકાર છે.
આવિર્ભાવની આ ઘટનાનું સામાજિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અર્થઘટન કરીએ તો ભારતીય ધર્મના શૈવ, વૈષ્ણવ, શાક્ત, આદિ વિવિધ સંપ્રદાયોના વિવાદ ને દૂર કરવા માટે મહામુનિ માર્કય દ્વારા આલેખિત આ સમાયોજન સર્વસ્વીકાર્ય તેમજ સર્વ શ્રેષ્ઠ છે અને તેમાં જ મહાદેવીના આ આવિર્ભાવનું માહાભ્ય
આમ, પ્રસ્તુત પરિશીલનના અંતે કહી શકાય કે મહાદેવનો દુર્ગા સ્વરૂપે આવિર્ભાવ સમસ્ત વિશ્વના દેવપ્રાકના વર્ણનોમાં અનન્ય અને ઉત્કૃષ્ટ છે. હિંદુ બહુદેવતાવાદનો ના સંતોષપ્રદ અદ્વૈતયુક્ત પ્રત્યુત્તર છે. નારીરૂપનું પરમાસત્તારૂપે પ્રતિપાદન, સંઘશક્તિનું મહિમાગાન, અને ઔપઔષદિક તત્ત્વજ્ઞાનનું રૂપકમય કથન વગેરે આ આવિર્ભાવની વિશિષ્ટતાઓને કારણે તેની અદ્વિતીય સ્પષ્ટ છે. અને તેથી જ મહાદેવીનું આ આવિર્ભાવિત દુર્ગા સ્વરૂપ સંપૂર્ણ ભારતવર્ષમાં અને વિશેષતઃ બંપ આદિ પૌવત્ય પ્રદેશોમાં પૂજનીય બન્યું છે.
૨૬.
પર્વવા દ્વિતીયા શા માપરા | - ‘દુસતત ૨૦ રૂ. પૃષ્ઠ – ૨૨૪. ભટ્ટ (ડ) કૃણ (સંકલનકાર), સેવ્યથર્વશીર્ષન, ‘નાTઘfજ નગોડસ્તુતે અધ્યાત્મ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૦, પૃષ્ઠ-૨૩.
For Private and Personal Use Only