SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૦ www.kobatirth.org છે, કારણ કે ત્યાં પણ કથન આદિ શબ્દપ્રયોગ પરથી પ્રકાશન આદિ અર્થોની પ્રતીતિ થાય છે એટલે ત્યાં બંને વચ્ચે કાર્યકા૨ણભાવસંબંધ છે. વરતિ ક્રિયાપદ દ્વારા તેનો કથનઆદિરૂપ અર્થ બાધિત થઈ જાય છે. ત્યાં લક્ષણા છે, તેમ કહેવું તે બરાબર નથી. ત્યાં અન્યથાનુપપત્તિ દ્વારા અર્થપત્તિ વડે કથનઆદિના અર્થ વડે પ્રકાશનઆદિ અર્થ જ્ઞાત થાય છે, તેને અનુમેષ અર્થ કહેવો જોઈએ. કારણ કે અર્થપત્તિનો અનુમાનમાં અંતર્ભાવ માનવામાં આવ્યો છે. તે જ રીતે પાકી એ દાનમાં પણ અક્ષપત્તિથી વાહીકમાં બળદિયાની જડના જેવી જડતાનું જ્ઞાન થાય છે તેથી તે પણ અનુમાનનું દૃષ્ટાંત છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષણાના ખંડનપ્રસંગે મહિમભટે આનંદવર્ધનનાં જ બે પ્રસિદ્ધ ઉદાહરણો લીધાં છે. નાની એવી ઉક્તિમાં વાહીક અને ગૌ વચ્ચે અભેદ કલ્પીને વાર્ષીક પર ગોત્વનો આરોપ કરવામાં આવ્યો છે. આનંદવર્ધનઅભિનવગુપ્તના મતે આ આરોપ તે જ ઉપચાર છે અને ઉપચારથી થતી અર્થપ્રતીતિ તે લક્ષણા છે. મહિમભટ્ટના મતે વાહીક પર ગોત્વના આરોપથી અર્થની સરળ રીતે ઉપપત્તિ થતી નથી, તેથી અન્ય પ્રકારે ઉપપત્તિ બેસાડવી પડે છે અને તે અર્થપત્તિથી શકય બને છે. અર્થોપત્તિ અનુમાનનો વિષય છે, તેથી અહીં બંને ઉદાહરણોમાં થતી અર્થપ્રતીતિ અનુમાનને કારણે થાય છે અને આમ, રાષ્ટ્રની લક્ષણાશક્તિનો ઉચ્છેદ થઈ જાય છે. ૮. ૯. અરુણા કે પટેલ અભિનવગુ× 'લોચન' ટીકામાં લક્ષણાના પાંચ પ્રકારો દર્શાવ્યા છે તેનો નિર્દેશ કરીને. અભિધૈય અર્થ સાથે સંબંધિત હોવાથી નકામા પોષ એ દાંતમાં ગંગામાં ઝૂંપડું” ને બદલે ‘ગંગાતટે સંપર્ક એવો અન્ય અર્થ કરવામાં આવે છે, ત્યાં પણ ‘તટ' એવો અન્ય અર્થ અનુમાન દ્વારા પ્રાપ્ત થાય છે, લક્ષણા દ્વારા નહિ તેવું મહિમભટ્ટનું કહેવું છે. તેમની દલીલ એવી છે કે ‘ગંગામાં ઝૂંપડું' ઈત્યાદિ સ્થળોએ ગંગા આદિ પદાર્થોમાં ઝૂંપડે આદિ પદાર્થોની અધિકરજ્ઞતાનો બાધ થઈ જાય છે. આવી સ્થિતિમાં, ઉપાદાનના સામર્થ્યથી, સંબંધમાત્રને આધારે પેલા તત્ત્વારોપને અધિકરણભાવે સ્વીકારવા યોગ્ય અન્ય અર્થ તટાદિનું અનુમાન કરાવે છે. તત્ત્વારોપનું કારણ કેવળ સાદશ્ય જ હોય છે, તેમ નથી. સંયોગ આદિ અન્ય સંબંધ પણ તત્ત્વારોપનાં કારણ બને છે. તેથી ગંગા આદિ અર્થો દ્વારા તટાદિરૂપે અર્ધી અનુમય હોઈ શકે છે. અહીં તટાદિ સિવાય અન્ય કોઈ અર્થ અન્ય કોઈ વૃત્તિ દ્વારા વ્યક્ત થતો નથી. શબ્દ કેવળ સ્વ-અર્થના અભિધાનવ્યાપારમાં જ પર્યવસાન પામી શકે છે, તે અન્ય તટાદિરૂપ અર્થની વાત જાણી પણ શકતો નથી, તો તેના સ્વરૂપને સ્પર્શવાની વાત તો દૂર જ રહી. ‘ગંગામાં ઝૂંપડું' એ ઉદાહરણમાં ગંગાતટરૂપી અનુમૈય અર્થમાં સવારોપ એ હેતુ છે. તે જ રીતે, આ ઉદાહરણમાં ગંગા આદિના શીતલત્વ, પુષ્યત્વ આદિ ધર્મોનું જ્ઞાન થાય છે, ત્યાં પણ તત્ત્વનો આરોપ તે જ હેતુ છે અને પ્રાપ્ત થયેલો અર્થ તે અનુમાન છે. આમ, અહીં એક જ ઉદાહરણમાંથી પ્રામ થતા લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થનું ખંડન કરી, મહિમભટ્ટ તેને અનુÂષ અર્થરૂપે ઓળખાવે છે. ભહિમ, ઐજન - પૃ. ૧૧૭, ૧૧૮, મહમહિમ, એજન - પૃ. ૧૧૬, અહીં જો કોઈ એવી દલીલ કરે, કે આ દૃષ્ટાંતમાં વ્યાતિગ્રહ નથી અને વ્યાપિસ્ટ માટે પ્રમાણની અપેક્ષા રહે છે. તો તેનો પ્રત્યુત્તર સંધકારે એવો આપ્યો છે કે અહીં સામીપ્યાદિ સંબંધ હેતુરૂપ બન્યો છે. લોકવ્યવહારમાં સાદશ્ય, સામીખ આદિના આધારે આ પ્રકારનો સંબંધ જોઈ શકાય છે. અહીં વ્યામિસંબંધ માટે લોકવ્યવહારને પ્રમાણભૂત માનવામાં આવ્યો છે. અહીં જે અન્ય અર્થની પ્રતીતિ થાય છે તે શાબ્દી પ્રતીતિ નથી જ, કારણ કે શબ્દને અભિધા સિવાય અન્ય વ્યાપાર જ નથી. તેથી અહીં લિંગ-લિંગી સંબંધથી અન્ય For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy