________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાનુપ્રસાદ આર. ઉપાધ્યાય ભવાઈનું આવણું સંસ્કૃત રૂપકોની પ્રાવેશિકી ધ્રુવા સાથે સરખાવી શકાય. (૨) નેક્ઝામિકી:–પાત્રના પ્રસ્થાન (નિષ્ક્રમણ) સમયે ગવાતી ધુવા.
ભવાઈમાં જાવણું શબ્દ પ્રચલિત છે પરંતુ સામાન્યતઃ જાવાણું ગવાતું હોવાના ઉલલેખો મળતા નથી. પરંતુ ઝંડા કૂલ ના વેશમાં વેશને અંતે પ્રસ્થાન કરતા પહેલાં ઝંડા નીચેની ૫ક્તિઓ ગાય છે.
મૂલણ મક્કા ગયે વો દિન હમકુ ભાવે તેજી કાશીકુ ગઈ બાત ઝૂલણને કહી.
( ખંડ ઝૂલણને વેશ) આવા ગીતને “નિષ્કામિકી ધૂવા” સાથે સરખાવી શકાય.
(૩) આક્ષેપક :-- નાટયના પ્રસ્તુત રસનું ઉલ્લંઘન કરી અન્ય રસનું ઉદ્દભાવને કરતું ધ્રુવગાન.
ભવાઈમાં જૂઠણના વેશમાં જૂઠણ અને જેરુ વચ્ચે શૃંગારરસયુક્ત પ્રણય સંવાદે ચાલતા હોય છે. તે દરમ્યાન અચાનક જૂઠણ ગામમાં વસતા વિવિધ જ્ઞાતિના લોકોના ગુણદોષ વર્ણવતું ગીત ગાય છે જેમકે –
“ આખુ ગામ વેણુ ભર્યું ગોપીચંદન મોંઘુ કર્યું ” ચુર મીઠો રે ગેલાને યુરમે મીઠો” “સાલાને ઘેર પખાજડી વાગે
થઈ ગેઇ થેઈ હામડી નાચે ” આવા ગીતોને આક્ષેપકી ધુવા સાથે સરખાવી શકાય.
(૪) પ્રાસાદિક –ભિન્ન રસને આસ્વાદ કરતા પ્રેક્ષકને યથાવત સ્થિતિમાં લાવવા ગવાતું ધુવાગાન.
ભવાઈના ઉપર આપેલા ઉદાહરણમાં જૂઠણ દ્વારા તોડવામાં આવેલાં શૃંગારરસયુક્ત ગીત ને જુઠણની જે પુનઃ પ્રણયગીત શરૂ કરી શૃંગારનું અનુસંધાન કરાવે. જેમકે :
ખાન ખાન ખાન, તેરે અંગ લાલ જામ ફુલન કે હાર હલક, મૈયા આવ મેરે મનકે'
(જૂઠણુને વેશ) વેશના મુખ્ય પ્રવાહ સાથે અનુસંધાન કરતા આવા ગીતને પ્રાસરિકી ધૂવા સાથે સરખાવી શકાય.
(૫) આન્તર:–અભિનય દરમ્યાન નટથી થતા દેશે કુટિઓને ઢાંકવા ગવાતી ધૂવા. આ ધ્રુવ પ્રકારની છાયા ભવાઈમાં જોવા મળતી નથી.
For Private and Personal Use Only