________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
THE MAHARAJA SAYAJIRAO UNIVERSITY OF BARODA
• -
* જોકર
Dr. Anil S. Kane Vice-Chancellor
મ. સ. યુનિવર્સિટી સાથે સંલગ્ન પ્રાચ્યવિદ્યામંદિર યુનિવર્સિટીની એક મહત્ત્વની અને વિશ્વવિખ્યાત સંશોધન સંસ્થા છે. ૧૯૯૬ના ડિસેમ્બરમાં ગુજરાત રાજ્યની સંસ્કૃત સાહિત્ય અકાદમીના સહકારથી આ સંસ્થાએ
જેલા એક પરિસંવાદમાં ગુજરાતનાં સંસ્કૃત નાટકો વિશે જે અભ્યાસલેખે રજૂ કરાવ્યા હતા, તે હવે થોડાક સુધારા-વધારા સાથે સંપાદિત થઈને અહીં પુસ્તકરૂપે રજૂ થાય છે તે આનંદની વાત છે. ગુજરાતની સ્વતંત્ર અસ્મિતા અસ્તિત્વમાં આવી ત્યારથી માંડીને છેક અત્યારના સમય સુધી જે સંસ્કૃત નાટકો રચાયાં છે તેને એક સુરેખ આલેખ આ સંપાદનમાં દેખાય છે. પરિસંવાદના આયોજનમાં તથા ત્યાર પછી તેના સંપાદનમાં પરિસંવાદના આજક તથા આ ગ્રંથના સંપાદક . રાજેન્દ્ર નાણાવટીએ લીધેલો દષ્ટિપૂર્વકને પરિશ્રમ દેખાઈ આવે છે. આ ગ્રંથ પ્રાચ્યવિદ્યામંદિરનાં પ્રકાશનમાં એક પ્રતિષ્ઠિત ઉમેરારૂપ બની રહે તથા અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને ઉપયોગી તથા માર્ગદર્શક બની રહે એવી શુભેચ્છા પાઠવું છું.
અનિલ કાણે
For Private and Personal Use Only