SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ૦ મહેશ ચંપકલાલ તાલ અને લયની ઝીણામાં ઝીણી વિગત આવરી લેવામાં આવતી હોય છે. ભાણમાં જે વિગણની ફીડાએ લાલિત્વપૂરું નૃત્ય વડે દર્શાવવામાં આવે તો તેને ' ભાણિકા' કહેવામાં આવે છે. ભાણું” એ સંગીત અને નૃત્યની રચના હોવાની વાતને “અભિનવભારતી ”નું પણ સમર્થન છે. અભિનવગુપ્તના મતે ભાણમાં વાદ્યસંગીતનું પ્રાધાન્ય હોય છે. ભાણનું વસ્તુ ઉપદેશાત્મક હોય છે અને સિંહ, સૂક૨, ભેંસ, ભાલુ વગેરે પ્રાણીઓના સંકેતાત્મક પ્રતીકાત્મક વન દ્વારા ધર્મોપદેશ આપવામાં આવે છે અને તેમ કરતી વખતે નર્તકી પ્રાણીઓની ગતિ તથા છાઓનું અનુકરણ કરે છે. ભારતના નાટયશાસ્ત્રમાં પ્રતિપ્રચાર અધ્યાયમાં પ્રાણીઓની બન નિરૂપવામાં અાવી છે. ૫ રાદ્ધ લોકનાટ્યવિદ્ જગદીશચંદ્ર માથુરના મતે મથુરાના આસપાસના પ્રદેશમાં આ પ્રકારનું “ ભાગુ' આજે પણું પ્રચલિત છે. * * અમ સાહિત્યદર્પણકારે શ્રીગદિતથી ભાણકા પર્વતનાં ઉપરૂપકોનાં જે લક્ષણો નિરૂપ્યાં છે તે મહદ્ અંશે પાશ્ચગત' તરવાની વિશેષ છણાવટ કરે છે અને સાહિત્યના સ્વરૂપ લેખે તેની સવિશેષ ચર્ચા કરી છે જયારે અભિનવભારતી, શૃંગાર પ્રકાશ અને તેને અનુસરી નાટયદર્પણકારે તેને સંગીત અને નૃત્ય જેવી રંગમંચીય કલાઓને પ્રકાર ગણી તેનાં ગાયન, વાદન, નર્તનની સૂમ ચર્ચા કરી છે. આ પાયાને ભેદ રહે છે. કદાય એ શુદ્ધ નૃત્યથી “નૃત્યનાટિકા' તરફની ઉત્ક્રાંત દર્શાવે છે કારણ કે “નૃત્યનાટિકા'માં ગાયન, વાદન, નર્તન ઉપરાંત પાક્ય- સંવાદ પણ પ્રયોજાય છે. કાળક્રમે પાઠયની પ્રધાનતાને કારણે તેને સાહિત્યના સ્વરૂપલેખે રૂપકની નજીકનું સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત થયું હશે, એવું અનુમાન અસ્થાને નહીં લેખાય, અસ્તુ. સંદર્ભ: ૧ “હિન્દી નાટયદર્પણ'-નાટયદર્પણની હિન્દી વ્યાખ્યા, પ્રધાન સંપાદકઃ ડે. નગેન્દ્ર, સંપાદકો : હૈ. દશરથ ઓઝા, ડે. સત્યદેવ ચૌધરી, વ્યાખ્યાકાર : આચાર્ય વિનેશ્વર સિદ્ધાંતશિરામણ, પ્રકાશક-હિન્દી વિભાગ, દિહલી વિશ્વવિદ્યાલય, દિલ્લી, પ્રથમ સંકરણ-૧૯૬૧ The Nāțyadarpana of Rāmcandra and Guņacandra-A Critical Study By Dr. K. H. Trivedi-L. D. Institute of Indology, Ahmedabad-9, 1966. 3 Uprupakas and Nritya-Prabandhas, Dr. V. Raghvan, Sangeet NatakJournal of the Sangeet Natak Akademi, issue No. 2, April 1966, 7 Bhoja's Şrngāra Prakāśa By Dr. V. Raghvan, Punarvasu, 7 Sri Krishnapuram street, Madras 14, 1963, For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy