SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४२ પ્રધુમ્ન શાસ્ત્રો શાસ્ત્રીજી ઈ. સ. ૧૯૭૬ તદનુસાર સં', ૧૯૩૨ ના આસે વદ એકમના દિવસે હરિસ્મરણ કરતાં કરતાં હરિશરણ થયા. શાસ્ત્રીજીનાં સંસ્કૃત નાટકો (૧) રાધાવિનોદ : આ પ્રથમ નાટિકાની લગભગ સને ૧૯૫૫–૫૬માં રચના થઈ અને સંસ્કૃત વિદ્વતસભાના ત્રીજા કથા વાર્ષિકોત્સવમાં કન્યાઓ દ્વારા ભજવવામાં આવી હતી. રાધાવિદ નાટિકાના કથાનકના મૂળમાં સુભાષિતને શ્લોક છે. “ મંચા : પાર્ટ प्रहरति, कुशले माधवः किं वसन्तः" શ્રી કૃષ્ણને મળવા આતુર રાધિકાને સખીઓ કંદુક ક્રીડામાં ખેંચે છે પણ રાધાનું મન તેમાં લાગતું નથી. એટલામાં નારદ આવે છે અને રાધાને કહે છે કે આજે વૃંદાવનથી આવતા મેઘશ્યામ વર્ણવાળા, પીતાંબર અને માથે મેરપીછ ધારણ કરેલા કેઇ એક ગેપકુમારને ગોપકન્યા સાથે કરતા જે. આમ એક બીજારોપણું નારદ કરે છે. આ ચર્ચા સખીઓ કરતી હૈ ય છે એ વાત સખા સાથે આવેલ શ્રીકૃષ્ણના કહેવાથી, રાધા શું કરે છે તે છુપાઇને જોવા આવેલા શ્રીદામા સાંભળે છે. અને સુબલને રાધાને વેશ ધારણ કરાવી એ સાથે કૃષ્ણ રાધાના ધરને દરવાજો ખખડાવે છે. રાધા પૂછે છે–ચંગુલ્યા : પઢિ પ્રાતિ ? કશું કહે છે માઘવ રાધાં કહે છે fજ વસન્ત: ? આવા સંવાદના અંતે રાધાના ઘરમાં રાધાવેશધારી સુબલ સાથે કૃષ્ણ પ્રવેશ કરે છે. રાધા અને રાધાવેશધારી સુબલનાં સંવાદ સુંદર છે. અંતમાં રાધાસુંબલના સ્ત્રીવસ્ત્રો દૂર કરતા પુરુષવેશધારી સુબલ ઓળખાય છે. રાધા કૃષ્ણને કહે છે આવું શા માટે કર્યું તે કહે તમારી સખીઓ આવી વાતો મારે માટે કરતી હતી. સખી કહે છે અમે નહીં નારદે આમ કહ્યું હતું. બધા નારદને પૂછે છે તમે આમ અસત્ય શા માટે કહ્યું? તે નારદ કહે છે. રાધાવિનોદ જોવા માટે. અંતે રાધા કહે છે: દુષ્ટો રસથા વિનો: તેથી ભંગાર, ભક્તિ અને હાસ્ય એ ત્રણે રસોનો ત્રિમેળ સધાય છે. નાટિકામાં રાધા, ચંદ્રાવલી, લલિતા, વિશાખા, નારદ, શ્રીદામા, સુબલ, કૃણ વગેરે પાત્રો છે. રાધા મુગ્ધા નાયિકા છે, કૃષ્ણ ધીરલલિત નાયક છે; અનેક વ્યસ્તતાઓને કારણે રાધાને ન મળી શકવાથી મિલનેસ્ક છે અને નારદ સમગ્ર કથાપ્રવાહના સંયોજક છે. આ નાટિકામાં પાંચ ગીત છે. રાધિકાના ગીતગુંજન સાથે રાધિકાના પ્રવેશથી નાટિકાને પ્રારંભ થાય . નવ ટંકનું ગીત છે. “ગાયાતુ પડ્યું કે તાવ ચાલી” આ ગીતમાં કૃષ્ણના લોકોત્તર સૌદર્ય અને વિવિધ સ્વરૂપનાં રસમય ગાન છે. ચંદ્રાવલી વગેરે સખીઓ રાધિકા સાથે કંદુકક્રિડા કરતાં ગીત ગાય છે: “દુ: સનરપતલ્યવં દત: જજ ને ” આ ગીતમાં કવિ કહે છે કે સુવૃત્ત હો પણ સુસ્થિર ન હો તો તમારે પછડાવું પડે છે. ત્રીજુ ગીત નારદ ધૂનને પ્રકારે ગાય છે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy