SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી રુક્મિણીહરણમૂ લલિત એમ. જોશી આ પરસવાદમાં ચર્ચાયેલાં નાટકો પર એક દષ્ટિપાતમાત્ર કરીએ છીએ ત્યારે સસ્કૃત રૂપકોના ક્ષેત્રે પણ આ વ્યવહારકુશળ અને વ્યાપારપ્રવીણ એવી ગુણગરવી ગુજરાતનું પ્રદાન જોઈને આપણી આખા આશ્ચર્ય થી પાળી થઈ જાય છે. વ્યાપારની સાથે સ`સ્કારના ક્ષેત્રે પણ આ પ્રજા પાછી નથી પડી તેની આપણને પ્રતીતિ થયું ાય છૅ, Acharya Shri Kailassagarsuri Gyanmandir નાગદાસ અમરજી પ`ડયાએ પણ આ સદીના પહેલા ચરણમાં બે સંસ્કૃત નાટકો રચીને આપણી નાટ્યસમૃદ્ધિમાં પોતાના કિાયત ફાળા આપ્યું છે, તેમનેા જન્મ ૯ ફેબ્રુઆરી ૧૮૯૩ના દિવસે પાલીતાણામાં થયા, નાાંતએ તે પ્રશ્નોરા નાગર, તેમના જીવનને કૈટલેાક સમય ધોળકા તાલુકાના નાની રું ગામમાં વીત્યો. પ્રાથમિક માધ્યામક શિક્ષણ તેમણે ભાવનગરમાં લીધુ, ૧૯૧૩માં મેટ્રોક થયા, ૧૯૧૭ માં બી. એ. થયા. પછીથી તે વઢવાણુની દાજીરાજ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. તેમનું અવસાન ૧૯૫૬માં થયું. નાગરદાસની સાહિત્યસેવા નાંધપાત્ર છે. રુમિલ્ટ્રીહરમ્ (૧૯૨૩) અને વિવાહતત્ત્વમ્ (૧૯૨૪) તેમનાં બે સંસ્કૃત નાટકો છે. તેમણે કાલિદાસનાં બે મહાકાવ્યા કુમારસંભવમ અને રઘુવ‘શમ્ (૧૯૩૩)ના સમલૈકી અનુવાદ પણ આપ્યા છે. શ્રીમદ્ ભાગવતના તેમણે કરેલા સમશ્લોકી અનુવાદના પહેલા એ ભાગ પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી જ પ્રકાશિત થયા છે. એ સિવાય પણ એમની પાસેથી બે ગુજરાતી વાર્તાસંગ્રહો ‘ફૂલપાંદડી ' અને - પીપળનાં પાન (૧૯૩૦), ઝોક ગીત સંગ્રહ ‘રાસગાપાલ ' (૧૯૨૯) તેમજ એક ભજનસંગ્રહ ‘ અમૃતબિંદુ' (૧૯૩૦) પણ મળ્યા છે. 9 અહીં આપણે એમનાં ‘રુક્મિીહરમ્ ' નાટકના પરિચય કરીશું. ‘રુક્મિણીહરમ ’ પાંચ અંકનું નાહક છે અને એનું કથાવસ્તુ શીર્ષક પરથી જ જાય છે તેમ કૃષ્ણે રુક્િમણીનું હરણ કર્યું... એ ભાગવતની ઘટનાની આસપાસ વણાયેલું છે. નાટકના આરંભ શિવસ્તુતિપરક નાન્દીથી થાય છે અને ત્યાર પછી સૂત્રધાર અને નટીના સવાદને પ્રવેશક ( અંક ૧ : પ્રવેશ ૧) છે, પણુ નાટકનું સ્વરૂપ તે કાળે પ્રચલિત જૂની રંગભૂમિનાં ગુજરાતી નાટકોના જેવું છે, પાંચ અકોમાં અનેક પ્રવેશે છે અને લેખક એ નાટકોના પ્રવેરોા કે દસ્યાના જ અર્થમાં સંસ્કૃત સ'ના 'પ્રવેશક ' પ્રયોજે છે. સ્થા ૨૮ ‘સ્વાધ્યાય ’, પુસ્તક ૬૪, અંક ૧-૪, દીપેાત્સવી, નસ’તપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અ. નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૯, પૃ. ૨૧૭-૨૨૦. સંસ્કૃત, પાલી અને માકૃત વિભાગ, વિનયન શાખા, મસ. વિશ્વવિદ્યાલય, વડાદરા, For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy