SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - સ્વ. ૨સણલાલ નામરજી મહેતા વાપરે છે. તેવી ભાષા ચાંપાનેરમાંથી મળેલા શિલાલેખમાં પણ વપરાઈ છે, તે નોંધવું જરૂરી છે. ગુજરી ઊર્દૂ ભાષાની પુરોગામી બોલી લાગે છે તેનું વિશેષ અધ્યયન અપેક્ષિત છે. સમાલોચના સામાન્યત: દ તિહાસનાં આલેખનમાં ફારસીમાં લખાયેલાં દરબારી સાહિત્યને ઘણો ઉપયોગ થાય છે, તે પ્રમાણે દેશની ભાષામાં લખાયેલાં લખાણોનો ઉપયોગ થતો નથી. દરબારી સાહિત્યમાં જય, પરાજય, આનંદ, ભવના અતિશયોક્તિભર્યો વર્ણ હોય છે, તે અલંકાર દૂર કરીને તપાસ કરતાં તેમાં ધણું ઐતિહાસિક અને સ્થાનિક મહત્ત્વનાં તો નજરે પડે છે. તેમ કાવ્ય, નાટક, પુરાણે જેવાં જનસમાજમાં પ્રચલિત ભાષાનાં સાહિત્યમાંથી પણ આવી સામગ્રી મળે છે, તેનું અધ્યયન આવશ્યક છે. આ નાટકને નાટય પ્રયોગ મુખ્યત્વે વીરરસ અને ભકિતરસ પ્રધાન છે. તેની ગદ્ય અને પદ્યની રચના પ્રૌઢ છે. તેનું અધ્યયન સાહિત્યશાસ્ત્રને વિષય છે, પરંતુ ગુજરાતના રાજ્યાશ્રયથી એક ઉત્તમ ઐતિહાસિક નાટક અસ્તિત્વમાં આવ્યું એનું મહત્ત્વ છે. આપણી ભાષા અને સાહિત્યની ઉપાસનામાં વ્યાકરણ, છંદ, રસ, અલંકાર આદિનું મહત્ત્વ સ્વીકૃત છે, પરંતુ તે સાહિત્ય જે જીવનમાંથી ઉભળ્યું તે જીવનવ્યવસ્થાને અધ્યયન પર ધ્યાન આપવાથી સાહિત્યની વધુ સારી સમજ વિકસવાને સંભવ છે. આજનાં સ્વતંત્રભારતની વિદ્યોપાસનામાં આ દષ્ટિબિંદુથી આપણી પ્રજ્ઞાને વિકાસ કરવાની આવશ્યકતા હોવાને નિર્દેશ કર્યો છે. આ પ્રાને વિકાસ અનેક શાસ્ત્રોનાં અધ્યયન વિના શકય નથી, તેને વિકાસ થાય તે બાબત ભારિના વાક્યપદયના ઘણા વિવેક મતે માનવનૈઃ વિયાત્રાનયમનું Wત્તમનુષાવતાના ઉપદેશને ધ્યાનમાં લેવાની વિનંતી સાથે વિરમું છું સંદર્ભો ૧ TIઘરઘળીતે જાનવતાવિલાસનાદK, G, 0. Series, No. 156, ઈ. સ. ૧૯૭૩માં પ્રસિદ્ધ થયેલાં નાટકની પ્રસ્તાવના, ત્યાં પુરાવસ્તુનું અધ્યયન ચાલતું હતું ત્યારે લખાઈ છે. ૨ મહેતા ૨. ના., “ચાંપાનેર એક અધ્યયન', સયાજી સાહિત્યમાળા, નં. ૩૫૫. ૩ ભતૃહરી, “વાક્ય પદીય ', લા. દ. વિદ્યાભવન, નં. ૮૮. જ મહેતા ૨. ના, ‘હીરવિજય સૂરિ પુરાવસ્તુના પરિપ્રેક્ષ્યમાં ', હેમ-હીરયા શબ્દપણિકા, ઉત્તર ગુજરાત યુનિ., પાટણ. આભાર દર્શન ગુજરી બોલીની સારી માહિતી આપવા માટે છે. ઝિઆઉદિન દેસાઈ તથા શ્રી મેઈઉદ્દિન બેબેવાલાને આભાર માનું છું.. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy