SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘયાવલોકન મોટી ખાટ' (પૃ. ૯૦)ને ખાલી પૂરવાના પ્રયત્નરૂપે આ અંજલિ હોય એવો અનુભવ વાચકને થાય છે. નેવું વર્ષની ઉંમરે વિચારશક્તિ અને સ્મરણશક્તિ એટલી જ સતેજ જોઈને સાનંદાશ્ચર્ય' અનુભવતા (પૃ. ૯૧) લેખક નેધે છે કે, “ તેઓ જ્યાં જાય ત્યાં વાતાવરણમાં એમની પવિત્રતાની સુરભિ પ્રસરી રહેતી (પૃ. ૯૨) એમની વિચારધારાને સ્પષ્ટ કરતાં લેખક નોંધે છે:-સચ નિબંધ છે, પારાવાર છે, અસીમ ને સનાતન છે, સ્વાયત્ત છે. એની ખેજ કરવી હોય તેણે ધર્મ, સંપ્રદાય, ફિરકા, પંથ, ધર્મગ્રંથે, ધર્મગુરુઓ ઈત્યાદિના સ્થળ કે સૂક્ષ્મ બંધનમાં રહેવાનું પોષાય નહિ. (પૃ. ૯૫) છતાં લેખક ધરતીની વાસ્તવિકતા વિસરતા નથી અને તેથી જ નેધે છેઃ “અલબત્ત નીચેની કેટલીક કક્ષાએ વટાવીને આગળ નીકળી ચૂલા ઉચ્ચતર આત્માઓ માટેની આ વાત છે. (પૃ. ૯૬) આમ લેખને અંતે જે. કૃષ્ણમૂર્તિ વિષે વાચકના મગજમાં તેમના વિશેને સ્પષ્ટ ખ્યાલ ઉપસાવવામાં લેખક સફળ રહ્યા છે. આમ સધળા મળીને ૧૪ લેખોમાં વિવિધતા સાથે એકતાને તંતુ વણાએલો જણાય છે. લખાયું છે સમય, સમય પર પણ એમાંથી શ્રી રમણભાઈની પણ એક આગવી છાપ એ ઊભી થાય છે કે તેઓ વિચારે છે ઘણું, ચિંતે છે ઊંડ અને લખે છે સર્વગ્રાહી. વડોદરા. ડૉ. હરિપ્રસાદ શિ. જોષી ગતત્ત્વચિંતન : લેખિકા : ડૉ. સુરક્ષા એસ. મહારાજા, પ્રકાશક : ઋતભરા પ્રજ્ઞા ટ્રસ્ટ, એલિસબ્રિજ, અમદાવાદ, ૧૯૯૪, પૃ. ૬૦, કિં. રૂા. ૧૫/ પ્રસ્તુત પુસ્તકમાં પ્રારંભમાં ગંગેત્રીસ્થિત સ્વામી શંકરાનંદની શુભેચ્છા અને શુભાશિષ સહિત શ્રી હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીનું આમુખ પ્રાપ્ત થાય છે. શ્રી શાસ્ત્રી યોગ્ય રીતે નોંધે છે કે “ યમ-નિયમ તથા આસન-પ્રાણાયામ વગેરે તે યોગસાધનાનાં પ્રાથમિક સોપાન છે, યુગમાં વિશેષ મહત્વ છે ધારણા, જવાન અને સમાધિનું...............સંત કવિ છોટમ (૧૮૧૨-૧૮૮૫) ગુજરાતી પદ્યમાં આ બંને દર્શને--સાંખ્ય અને વેગને સંક્ષિપ્ત પરિચય સ્રબોધ શૈલીમાં આપે છે.” (પૃ. ૬). તેઓ વધુમાં નોંધે છે કે “ શ્રી સુરક્ષાબહેન મહારાજાનું ‘ગતત્ત્વચિંતન” એ વિષયને ભાવવાહી પ્રવાહી પદ્યમાં સુધ પરિચય કરાવે છે.” (પૃ. ૭), ગંગોત્રાસ્થિત યોગી આનંદધન સ્વસ્તિવાકષમમાં સુરક્ષાબહેનને વિદુષી પંકિતા કહેતા ગર્વ અનુભવે છે. તે નિવેદનમાં લેખિકાએ એકરાર કર્યો છે કે કવિ બોટમના “ગસાર’ પુસ્તક દ્વારા જ પિતાને પદ્ય-ગદ્યને વિચાર સ્ફર્યો છે. જ વેગનું માહાસ્ય દર્શાવતાં વેગનાં આઠ અંગોને પરિચય કરાવતાં લેખિકા For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy