SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra *૧ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સફેદ લાલજી જાડેર પ્રવાસકૃત્યના પરિચય— પ્રવાસકૃત્ય એ ગ્રંથનું નામ હોવાથી એમાં કાંઈક પ્રવાસ સાથે સંકળાયેલાં કૃત્યનું-કમ - કાંડનું વિધાન હશે, કદાચ એમાં ગુજરાત અને અન્ય પ્રદેશાના પ્રવાસના ઉલ્લેખા સાથે કંઈક જરૂરી ક કાંડની વિચારણા હશે, એવું એના નામ પરથી અનુમાન થાય છે અને આવી અપેક્ષાએ જ્યારે ગ્રંથનું પરિશીલન કરવા જઈએ ત્યારે એમાં કંઇક પ્રવાસ સાથે સંકળાયેલાં જ પણ જુદા જ વિષયનું વિવરણુ જોવા મળે છે. સાગ્નિક જ્યારે પોતાના ઘરેથી કોઇક કારણુસર દૂર પ્રવાસે જાય છે, ત્યારે એણે પાતે અગ્નિની પરિચર્યાનું કામ, જે અખંડિત અને અબાધિત રહેવું જોઈએ, તે વી રીતે ચાલુ રાખવું એ અંગે કુલ ૧૪૯ અનુષ્ટુપ શ્લોકોમાં (છેલ્લા શાર્દૂલવિક્રીડિત છંદમાં) જુદા જુદા પ્રાચીન ગ્રંથ અને ગ્રંથકારાના વિચારાને ધ્યાનમાં લઇ, છદેશબદ્ધ પદ્ધતિથી વિષયવિવરણ કર્યું છે. ગ્રંથના આરંભમાં જ ગ્રંથકાર ગગાધર બ્રહ્માનન્દમયી લતાને પ્રણામ કરે છે— स्वप्रकाशविमर्शाख्यबीजांकुरलता शुभाम् । મુંજાટવીમુનિયા(યા) બ્રહ્મનવમી(થી) નુમઃ ॥ પૈસા મેળવવાના હેતુથી અથવા કોઈક સ ́કટના કારણે જ્યારે આહિતાગ્નિને પ્રવાસે જવાના પ્રસંગ આવે, ત્યારે અગ્નિકા ના ભાર પત્ની ઉપર સાંપીને ધમના વ્યક્તિએ યોગ્ય વિધિ–અનુસાર પ્રવાસે જવું જોઈ એ, જે અંગેનું કૃત્ય અહી પ્રસ્તુત પ્ર^થમાં સમજાવવામાં આવ્યું છે. ગામની સીમાને ખીજે પાર જ્યારે રાત્રે ખજે, રહેવાનું થાય છે, તેને ઋષિઓ પ્રવસન કહે છે. પ્રવાસ દરમ્યાન પેતે નયેતિ મન્ત્રથી અથવા અમન્ત્રક ઉપસ્થાન કરવું જો એ. અન્ય શાખામાં અન્ય મન્ત્રથી ઉપસ્થાન કરવાનું કહેલુ છે. કેટલાક લેાકા કૌષોતિક સ્મૃતિનાં અનુસાર પુન : અગ્નિમયન કરી ઉપસ્થાન કરવું એવું જણાવે છે. પત્નીને રજોદોષ પ્રાપ્ત થતાં, તેમ જ સૂતક અને મૃતકના આશૌયપ્રસંગે પણ અગ્નિપરિચર્યા થતી નથી. એક જ પત્ની હોય અને તે અગ્નિપરચર્યા કરતી હેાવાથી એ પ્રવાસે જઈ શકે નહીં, અથવા ખીજી પત્ની એ કાર્યં કરી શકે છે. પણ જ્યારે પતિ પ્રવાસે ન ગયા હોય અને અગ્નિપરિચર્યા કરવા અગ્નિસમીપ હોય ત્યારે અને ખૂબ જ આવશ્યક કાર્ય હોય ત્યારે પત્ની પ્રવાસે જઈ શકે છે. પણ કોઇ ખૂબ જ મેાટા ભયપ્રદ કારણસર અગ્નિપરિચર્યા કરનાર પત્નીને પણ પ્રવાસે જવાના પ્રસંગ આવે ત્યારે અગ્નિપરિચર્યા કરનાર ધરે ટાઇ ન હોવાથી અગ્નિને સાથે લઇને જવું પડે છે, એવું ન કરવામાં આવે તેા પુનરાધાન કરવું પડે છે. For Private and Personal Use Only પ્રવાસે ગયેલા અગ્નિહોત્રીએ મનથી વિદ્વારાદિ અપવર્ગાન્ત સ કમેર્મા, અગ્નિઘ્યાન, ઉપસ્થાન વગેરે કરવા અંગેનું પણ વિવધુ કર્યુ છે. કેટલાકના મતે અગ્નિપરિચર્યાના અભાવે ઉપવાસ કરવા જોઇએ, પણ ખીન્ન કેટલાક સૂત્રકારોના મત પ્રમાણે પત્ની વ્રતધારણ કરતી હૈાવાથી ઉપવાસની જરૂર નથી, તેથી વિકલ્પ માની શકાય, પણ પેાતાના સૂત્ર મુજબ વ્યવસ્થા કરવી ચેાગ્ય છે, એવું ગ્રંથકારનું મન્તવ્ય છે. આમ અનેક સૂત્રકારા, ભાષ્યકારો વગેરેના પ્રસ્તુત સંદર્ભમાં મન્તવ્યના વિચાર કરી, ગ્રંથને પ્રમાણિત કરવાતા પ્રયત્ન મથકારે કરેલા છે,
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy