SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લિપિ અંગેના કેટલાક મિથ્યા વિવાદ ૨૫ અને-જઓ લિપિ ત ક્રમાંક ૧-દીઈઈ.. મુદ્રણ-કન માટે આ યોજના દેવનાગરીગુજરાતી–બાંગ્લાની યોજના કરતાં સ્પષ્ટતઃ ચડિયાતી છે. એનું અનુકરણ કેમ ન કરી શકાય ! મલયાળ” લિપિ આપણી જ સગોત્ર છે.–ક્રમાંક ૨-એ દીર્ધી તરીકે રૂઢ થયેલા ચિહ્નને સન્દર્ભ ન બદલ હૈય, તો “1” એ મલયાળમ લિપિનું દીર્ધીનું ચિહ્ન આપણે સ્વઅિન ચિહ્ન તરીકે અપનાવી લઈએ તે કેવું રૂડું થાય. ખાસ તે બુદ્ધ લખાય કે બુદ્ધિ, એવું વિચારવું ન પડે, -ક્રમાંક ૩—લખવાની સંપૂર્ણ શાસ્ત્રીયતા આવી જાય. *" પણ આપણાં ચિહ્નો જ ચાલુ રાખવા હોય તે ? જોડાક્ષર એક અક્ષર , સ્વરચિહ્ન આખા અક્ષરને લગાડવાનું છે. એટલે ભક્તિ, શુદ્ધિ જેવા “પહેળા’ જોડાક્ષરને આવરી લેતું એક વિસ્તારિત ચિહ પણ મુદ્રણ અને ટંકન માટે રાખવું પડે. પણ એને બદલે ભકૃતિ શધિ એમ લખી શકાય એ એક મત છે. એ મતના વિરોધીઓનું કહેવું છે કે શાસ્ત્રોક્તિ મુજબ જોડાક્ષરમાં વચ્ચે સ્વરનું વ્યવધાન (આતરું) ન આવવું જોઈએ. આ શાસ્ત્રોક્તિ ખરેખર સમજવા જેવી છે. જોડાક્ષરમાં વચ્ચે સ્વરનું વ્યવધાન આવી જાય, તે ત્યાં સંયતિ ખરડત થાય છે. દા. ત. ન માં ત્રણ વર્ગો છે: ગ + + અ. આ ત્રણે વર્ણો મળીને એક અક્ષર બને છે. હવે વચ્ચે સ્વરનું આંતરું આવી જાય, દા. ત. ગન, તે આ જોડાક્ષર નથી રહેતો. એને બદલે ગ+ અ +ન+ અ એવા ચર વર્ણોને ગ. ન એવા બે અક્ષરેને બનેલે શબ્દ બની જાય છે. જોડાક્ષર ખડિત ન થાય એટલા માટે જ સ્વરને વ્યવધાન ન આવવું જોઈએ. પણ નિ એમ લખીએ, તો આ સંયુતિ ખંડિત થાય છે? આપણે તે જોયું કે નિ = ન+ અ છે. એટલે ગન લખીએ, તે પણ એને અર્થ ગ +ન+અિ જ રહે છે. અર્થાત જોડાક્ષર ખરિડત થતું નથી. ગન લખવાથી વચ્ચે સ્વરચિત આવે છે એ ખરું, પણ એનું કારણ છે કે આપણે સ્વરચિહ્ન જે અશુદ્ધ સ્થાને છે ! સ્વરચિત વચ્ચે હોવા છતાં ત્યાં સ્વર તે નથી જ, જ્યાં સ્વરનું અંતરું છે જ નહિ ત્યાં એને જોવું એ તે શ્રી જ્યોતીન્દ્ર દવેની ભાષામાં “ અવસુદર્શન' છે ! સ્વરચિહના આંતરાથી સંયુતિ ખડત નથી થતી એટલી વાત સમજી લઈએ, તે અનિ, ભફતિ, મલિકા, થતિ જેવાં રૂપે અશુદ્ધ નહિ લાગે. મૂળે જ અશુદ્ધ અને અશાસ્ત્રીય એવું આપણું સ્વરચિહ્ન ન બદલવું હોય, તો પછી આ રીતે લખવાથી મુદ્રણ-કન-લેખન માટે જે સરળતા આવશે એને વહેવારુ દષ્ટિએ વિચાર સૌ વિદ્વાનોએ કરવો જોઈએ. શાસ્ત્ર, શાસ્ત્રોક્તિ અને રૂઢિ વચ્ચેનું તારતમ્ય ન સમજીએ તે ધણા અનર્થો થાય છે. આ ઉપયોગી સૂચન પણ શ્રી મહેન્દ્રભાઈ મેધાણી દ્વારા કરાયું જ છે, એમને માનભેર ઉલેખ કરું છું. : હવે આપણે રેફ અંગેના વિવાદ પર આવીએ, અ-કાર, ઈ-કાર, મ–કાર એમ લખાય છે. તેમ કાર લખાય કે નહિ? મહર્ષિ પાણિનિએ “ર” ને “કાર' ન લગાડતાં * ઇકો પ્રત્યય લગાડા, અને ૨ + ઇ=રેક એવો શબ્દ સાથે. પરિણામે “ ૨'ના લિપિસંતને આ રેફની સંજ્ઞા મળી. સંસ્કૃતમાં એને રે કહેવાય, એટલે આપણે પણ રફ કહેવું એ For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy