SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાઈને દર્પણરાય કૃષ્ણકાન્ત કડકિયા + પ્રશિષ્ટ નાટક “રાઈને પર્વત” માં પડેલા લેક આંદોલનનું તત્વ બારાડીના રસને વિષય બન્યું અને તેથી તેમાંથી જન્મ્ય “રાઈને દર્પણરાય'-નવું અર્થઘટન લઈને. નવા અર્થઘટન સુધી પહોંચવા લેખકે “રાઈનો પર્વત માં દેખાતા રાઈને જગદીપ બનાવી રાજ્યશાસક સ્થાપવાની ઘટ્ટ ઘટનાને, તેમ તજજન્ય પ્રસંગે, તેના અંતર્ગત હેતુઓ, નાયકના નીતિ-સંસ્કાર-પ્રભુપરાયણતા વગેરેને જ ઉતારી નાખે છે તથા હવે પછી યથાસ્થાને મેં કહ્યું છે તેમ પ્રયોગ માટે મૂળભૂત તત્ત્વ–પા બની રહે એ લયસંવાદ કે જે આ નાટય-લેખ (લે-સ્ક્રીપ્ટ)માંથી જ દિગ્દર્શકને જડે તે કરી આપ્યો છે. જેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણે આ પ્રમાણે છે: (૧) નિર્ણય-સ્વાતંત્ર્ય તથા તેની વિરોધી મનોવ્યથાને મંચીય રૂ૫ આપવા બે રાઈની યોજના કરી છે. (૨) નટમંડળી તથા તેના સંગીતના માધ્યમથી ઘટનાઓને અભિનયમાં મૂકી આપી છે, તેની આગળ આંતરે કર્યો છે. અથવા તેને લેપ કર્યો છે. (૩) પ્રતિક્રિયાઓ ઉપર ભાર મૂકે છે. (૪) લીલાવતીના નિષ્પા૫ વ્યક્તિત્વને મહત્ત્વકદાન કર્યું છે. (૫) દર્પણપંથીઓના માધ્યમથી બે રાઈને ભેગા કરી આપ્યા છે. (૬) સ્થળ અને સમયને એકરૂપ કરી આપ્યાં છે. (૭) લેક-આંદોલનને અત્યંત માનવીય ક્રિયા તરીકે રજૂ કર્યું છે. (૭) લક-નાટયને અનુકુળ એવા પવને આશ્રયે તેઓ વિશેષ ગયા છે. મુળ નાટકના કેટલાક ગદ્યખંડને પણ પદ્યમાં ફેરવ્યા છે. * રાઈનો પર્વત’માં કર્તાની સુધારા ભાવના, નીતિ-પરાયણતાના સુફળ નિમિતે નાટયપ્રવેશ જે પામી છે તેની વિગતે કરતાં “રાઈને દર્પણરાય' એ રીતે જ પડે છે કે નાટકમાં કેન્દ્રસ્થ ક્રિયાઓ જ એવી રહે છે જે પ્રેક્ષકોના વિચારને ઉરોજે અને આમેય બારાડી પોતાનાં નાટકોમાં એવો જ પ્રેક્ષકો પર કદી નાખતા નથી. પ્રેક્ષકોના વિચારને તેઓ ઉરોજી શકે ત્યાં એમનું કામ પૂરું થાય છે. દિગ્દર્શકે પણ મનભાવનું હવામાન કે પાત્રને સ્વભાવે સ્થાપતી વખતે અથવા રથળ-નિર્દેશન કરતી વખતે કે એવા કોઈ પણ પ્રસંગે એ વાત ધ્યાન પર લેવી જ વાયાય', પુ. ૧૦, અંક -૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઑગષ્ટ, ૧૯૩, ૧. ૧૬૯-૧૮૮. + M/82/385, “ સ્વરૂપ', સરસ્વતીનગર, આઝાદ સોસાયટી પાસે, અમદાવાદ-૩૮૦ ૦૧૫. ફેન ૬૪૭૫૯૦. * રાઈને દર્પણરાય, બારાડી હસમુખ, પાર્થ પ્રકાશન, રિલીફ રોડ, અમદાવા૨-૧, ૫. આ.. For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy