SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહુલાલ નાગરજી મહેતા આ પ્રતિમાલકની પાસે તારણના ખ`ડિત ભાગ, અપ્સરા આદિની મૂર્તિ સ્થાપત્યાવશેષો છે, તથા થાડે દૂર નદીની, આહાર આપતા સાધુ સાથેની પ્રતિમા છે. લકુલીશ-પાશુપત દેવસ્થાન આ સમગ્ર ભગ્નાવશેષો પરથી અનુમાન કરતાં, તે લકુલીશ-પાશુપત સંપ્રદાયની, તારણુ વાળા સ્થાપત્યરચના દર્શાવે છે, આ લકુલીશ-પાશુપતસ પ્રદાયનાં દેવસ્થાન બાબત અન્ય પ્રમાણાને અભાવે, ખીજા કોઇ અનુમાનની ક્ષમતા રહેતી નથી. આ ભગ્નાવશેષ શૈલીની દૃષ્ટિએ દશમી સદી પછીના અને ચૌદમી સદીના પહેલાના સમયગાળાના લાગે છે. તે સમયમાં નવસારીવિસ્તારમાં રાષ્ટ્રકૂટા અને ત્યારબાદ ચાલુકયાની સત્તા મોટે ભાગે હતી, તેમાં ઘેાડે! સમય સાલકીસત્તા પશુ રહી હોઈ આ અવશેષોની શૈલીને રાજ્યવંશની પરિભાષામાં મૂકવામાં ભયસ્થાન ઘણાં છે. તેથી તેના સમયાંકનના નિર્દેશ માત્ર કર્યા છે. વેરાવળમાં તપાસ કરતાં અહીં ભૈરવાની પ્રતિમાએક સ્થાનિક માતાના મદિરમાં પૂજાતી જોવામાં આવી. તથા ખીજાં નર–થરનાં શિલ્પા પણુ તેની પાસે જોવામાં આવ્યાં. તેથી સમગ્ર ષ્ટિએ આ અવશેષો વેરાવલમાં શૈવ-દેવસ્થાન ડાવાનું સૂચન કરે છે તેમાં પણ લકુલીશનું એતરંગ પરનુ હોય તેવું શિલ્પ આ દેવસ્થાનામાં એક લકુલીશ-પાશુપતસંપ્રદાયનું હાવાનું સ્પષ્ટ સૂચન કરે છે. ઉપસ દ્વાર આ પુરાવસ્તુ ધરાવલ એક સૈવસ્થાન હાવાનું સૂચવવાની સાથે, તેમાં લકુલીશપાશુપત દેવ-સ્થાન હોવાનાં પ્રમાણે આપે છે, તે આ વેરાવલને પ્રભાસ-પાટણ સે!મનાથના વેરાવલ સાથે સાંકળતાં લાગે છે. પ્રભાસ પાટણુનું સામનાથનું સુપ્રસિદ્ધ શિવાલય, લકુલીશ-પાશુપત સંપ્રદાયનાં આચાર્યાનું પણુ મહત્ત્વનું સ્થાન હતું એમ ત્યાંથી મળતા અભિલેખોનાં પ્રમાણા દર્શાવે છે, તેથી ગુજરાતમાં વિકસેલા લકુલીશ–પાશુપત સંપ્રદાયનું આ સ્થાનામાં બળ હતું. વળી એ સંપ્રદાયનાં મદિરા ગુજરાતમાં કારવણ, પાવાગઢ, આદિ અન્ય સ્થાનમાં પશુ હતાં, આ પરિસ્થિતિમાં સેામનાથ પાટણનાં વેરાવલ અને નવસારીનાં વેરાવલ વચ્ચે સાંસ્કૃતિક સબંધ હોવાનું એક તરફ સ્પષ્ટ થાય છે, તે બીજી તરફ આ સબધની આદાન-પ્રદાનની વિગતા મેળવવા માટેની સામગ્રીને વર્તાતા અભાવ ભવિષ્યમાં દૂર કરવા બાબત દિશાસૂચન મળે છે. આમ વેરાવલ શબ્દ ભૌગોલિક પરિસ્થિતિની સાથે દક્ષિણુ ગુજરાતના સૌરાષ્ટ્ર સાથેના પ્રાદેશિક સંબધા તરફ પણ અગુલિનિર્દેશ કરે છે. ઋણસ્વીકાર વેરાવલની પુરાવસ્તુ તરફ ૧૫ ઓગષ્ટ ૧૯૯૩માં સ્વજનના અગ્નિસ સ્કાર વખતે નજર પડી હતી, તેની વધુ તપાસ ૨૧ જાન્યુઆરી ૧૯૯૪ના રાજ કરી હતી. તે વખતે શ્રી રાજેન્દ્ર મેાહનલાલ દેસાઇ એ આપેલી સહાયને લીધે સ્થળ તપાસની ઘણી વિગતો મળી હતી તથા તેમણે મોકલેલ ફાટાગ્રાફ આકૃતિ 1 તરીકે છાપવા આપવા બદલ તેમને ઋણસ્વીકાર કરું ધ્યું. For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy