SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ-થાવલોકન ૨૩૩ કરવામાં આવે છે. બીજે દિવસે એ મંદિરમાં ભૂતપ્રેત હવાની લોકોમાં ફેલાયેલી વાતને લેખક ખુલાસે આપે છે. પાછળથી એ મંદિરમાં નવે પ્રાણ પુરાય છે. લેખક આપણને ટકોર કરે છે* વિધર્મીઓ ધણું મંદિર બાંધતા નથી પણ જે મંદિરો અસ્તિત્વમાં છે તેવા સ્થળોની માન અને સંભાળપૂર્વક સાચવણી કરે છે. તેઓ બધાં પવિત્ર સ્થળોને છોકરવાદી રમાનંદપ્રમોદના ઉપગમાંથી મુક્ત રાખી માન આપે છે. આપ આ બેધપાઠ કયારે શીખીશું?” (પૃ. ૪૬) ૧૩-૧૪ પિતાના નસીબનું ભોજન પિતાને મળે જ છે એવું પ્રતિપાદન કરતી રમૂજભરી હષ્ટપકત દાણે દાણે લખી મૂકયું છે ખાનારાનું નામ ” અને “બોજનમાં ભંગ'માં છે. ૧૫ ન દંડાયા -.-સામાજિક અનિષ્ટ આચરતા માણસને જોઈ “ મારે શું ?' એવું વલણ રાખી તે પ્રસંગ તરફ દુર્લક્ષ સેવવું તે યોગ્ય નથી. “ માત્ર ગુન્હાહિત કાર્ય જ શિક્ષાપાત્ર છે એમ નહિ, તેને શાંતપણે નિહાળવાનું પણ સખત રીતે દંડને પાત્ર બને છે.” (પૃ. ૫૫) લેખકને રેવે ગાડીમાં થયેલે અનુભવ વર્ણવાચે છે અને ઉપર્યુક્ત સત્ય સમજાયું છે. ૧૬ ધરપકડ ગેરસમજથી પોતાની થયેલી ધરપકડને મુંબઈમાંને અનુભવ વર્ણવ્યું છે. લેખકે કહ્યું છે-“ જેમ વર્ષાઋતુમાં વરસાદ કયારે પડશે તે કહી શકાતું નથી, તેમ આ ઝડપી જીવનમાં કયારે કયાંથી, કેવા પ્રકારની મુશ્કેલીઓ આવી પડી આપણને હેરાન કરશે તે કહી શકાય નહિ.” (પૃ. ૫૭) જીવનમાં અનિશ્ચિતતાને સ્વીકાર કર્યો છે. જીવનમાં બનતું આવે છે તે નિશ્ચિતક્રમ પ્રમાણે બને જ છે એવી સ્વીકૃતિ પણ અન્યત્ર છે. બનતું આવે છે તેની કલ્પના ક ખબર ન હોવાથી એ આપણે માટે અનિશ્ચિત બની જાય છે એટલું જ. ૧૭ અદભુત સ્વપ્ન દશ્ય ૧-સ્વાનોનું વર્ગીકરણ કરી સ્વપ્નની સત્યતા સિદ્ધ કરતો બનાવ વર્ણવ્યા છે. ૧૮ સિદ્ધ સ્વપ્ન-દશ્ય બીજ –એમાં વાચેલી સોનાની ચેઈનની ભાળ સ્વપ્નમાં મળે છે, ૧૯ ટ્રેઈનમાં ભિખારી પિતાને મળેલું પાકીટ ટિકિટ ચેકરને સાંપ્યાની ઘટના પ્રામાણિક ભિખારી'માં છે. ૨૦ ખોટા આરોપ-“ જ્યારે કંઈ સારું-ખોટું બનવાનું હોય છે ત્યારે તે બનાવને લગતા સંજોગે કાઈ હિસાબે એની મેળે જ ખડા થાય છે અને આખરે તે બનાવ બને છે.” (૫. ૬૯ ) આગ્રા જતાં ટ્રેઇનમાં પૈસા ચેરાયાની ફરિયાદ કરનાર ગૃહસ્થ સ્વામીજી પર શંકા જતાં જડતી લેતાં ચોરાયેલા ચૌદ રૂપિયા જ આકસ્મિક રીતે સ્વામીજી પાસેથી નીકળ્યા. ફજેતી થઈ. ફરિયાદી આગ્રામાં સ્વામીજીના યજમાનને ત્યાં ભેગા થઈ જાય છે. ગાડીમાં કપડાં બદલતાં તેણે પૈસા કાઢેલા જ નહિ. કપડાં ધાબીને ત્યાંથી આવતાં ધોવાઈ ગયેલી નોટ નીકળી. સ્વામીજીની માફી માગી. અહીં આકસ્મિકતાનું મહત્ત્વ અને લેખકની ગુણગ્રાહીના જોવા મળે છે. ગૃહસ્થ પિતાની ભૂલ કબૂલ કરી તે વાતને લેખક મહત્ત્વ આપે છે. રવા ૧૪ For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy