SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ વસતકુમા૨ મ. ભટ્ટ બોલવામાં આવ્યું છે. તે પ્રત્યક્ષપણે વિકૃક્ષિને, અને પરોક્ષ રીતે દધીચને પણ ઉદ્દેશીને બેલાયું જણાય છે. પરંતુ તે “દેને ( પણ) પ્રિય' એવા અનિન્જ- પ્રશંસનીય અર્થમાં જ વપરાય છે એમાં કોઈ શંકા નથી. “ હર્ષચરિત” ઉપરની “સંત” ટીકામાં પણ જણાવ્યું છે કે દેવાનાં પ્રય’ શબ્દ “પૂજાવચન' છે; અર્થાત માનાર્થે વપરાયેલ છે. જે (ख) इहापि जन्मनि दत्तमेवास्माकममना तपःक्लेशेन फलमसुलभदर्शनं दर्शयता देवानां પ્રિય ! આ તત્તે: ઉમકૂતરીનrwાનું ( રત, અgોઇયા, સં. શ્રી વી. વી. જા, . ૨૨૬). અહીં ભદન્ત દિવાકરીમત્ર સમ્રાટ હર્ષવર્ધનને ઉદ્દેશીને આ વાક્ય બોલ્યા છે : “દેવોને પણ પ્રિય એવા અસુલભ દર્શનવાળા તમને બતાવતાં અમારા આ તપના કલેશે આ જન્મમાં પણ ફળ આપી દીધું છે. બે આંખે વડે પ્તિ થાય ત્યાં સુધી અમે અમૃતનું પાન કર્યું છે.” આ સન્દર્ભમાં પણ બાણભટ્ટે સ્પષ્ટપણે હર્ષવર્ધનને માટે પ્રશંસાપક અર્થમાં જ દેવાના વિચઃ શબ્દને પ્રવેગ કર્યો છે. પણ તેનું રહસ્ય સમજવા જેવું છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીને, પોતાના ઉપનામ તરીકે આ શબ્દને ધારણ કર્યો હતો. તેની પ્રતિક્રિયા રૂપે બ્રાહ્મણ સંસ્કૃતિના વૈયાકરણોએ આ શબ્દને “મૂખ ' અર્થમાં-નિન્દની વ્યક્તિની તરફ આક્રોશ વ્યક્ત કરવા માટે–પ્રોજ એવી શાસ્ત્રાજ્ઞા ફરમાવી છે. પરંતુ બાણભટ્ટને જેમણે આકાય આ હતો તે સમ્રા હર્ષવર્ધને પણ બૌદ્ધધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો; અને દિવાકર(મત્ર જેવો ભદન્ત તે હર્ષની બહેન રાજ્યશ્રીને જંગલમાંથી શોધી આપવામાં નિમિત્ત બન્યા હતા. આથી બાણભટે તે શબ્દને અનન્દનીય અર્થમાં અને પ્રશંસાપુરક અર્થમાં વાપરી બતાવીને શાસ્ત્રાનાનું પ્રત્યાખ્યાન કરવા પ્રયાસ કર્યો છે. સાહિત્યસર્જકના શબ્દમાં એ શક્તિ રહેલી છે કે શાસ્ત્રને-લક્ષણગ્ન-થને પણ ક્યારેક પરાવર્તિત કરે છે. . 3 ઉપર દર્શાવ્યું છે તેમ બાણને સેવાનાં વિ: એ શબ્દપ્રયોગ તે પ્રતિક્રિયાની પ્રતિક્રિયા છે કે જેમને સમજાયું નથી, તેમણે કયારેક “હર્ષચરિત 'ના પાઠને પરિવર્તિત કરીને દૂષિત કરવા પણ પ્રયત્ન કર્યો છે. જેમકે -શ્રી છવાનન્દ ભટ્ટાચાર્યો, કલકત્તાથી પ્રકાશિત કરેલી “ હર્ષચરિત ની આવૃત્તિમાં ઉપર્યુક્ત () સન્દર્ભ માં નીચે મુજબને પાઠ મળે છે? सौजन्यपरतन्त्रा चेयं देवानां बुधस्यातिभद्रता कारयति कथां, न तु युवतीजनसहोत्था તરતા. એની ઉપરની સંસ્કૃત ટીકામાં તેમણે લખ્યું છે કે--હેવાનાં પૂગ્યાનાં યુદHiffમત્યર્થ:, अतिभद्रतातिशयेन शिष्टाचारः, बुधस्य विद्वज्जनस्य, भवतः इत्यर्थः । समीपे इति शेष:, [ब्धस्य इत्यत्र प्रियस्य इति पाठे प्रियस्य-प्रियजनस्य समीपे इति भावः] कथां कारयति...२२ २१ देवानां प्रियस्येति पूजावचनम् । षष्ठ्या अलग ॥ (हर्षचरितम् , शङ्करप्रणीतेन peaa afgan , Ed. by A. A. Führer, Bombay Sanskrit & Prakrit Series, No. LXVI, Bombay, 1909, page 40.) २२ हर्षचरितम, सम्पादक: टीकाकारश्च श्रीजीवानन्द विद्यासागर भद्राचार्य, कलकत्ता, ૧૨, ૬. ૬૪. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy