SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધાર્થ યશવંત વાકણકર પ્રવેશ કરવાની ઈરછા છે એવા બાલ એટલે અનધીતશાસ્ત્ર લોકો માટે આ ગ્રંથ તૈયાર કરેલ છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે આ નાનકડા ગ્રંથમાં વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર અને છંદશાસ્ત્ર એમ ચાર પ્રમુખ શાસ્ત્રોનું સહેલી રીતે ટૂંકમાં વિવરણ કર્યું છે અને બધાં પ્રમુખ પ્રકરણને આવરી લીધાં છે. આ ગ્રંથને પ્રારંભ પ્રભુ શ્રીરામચંદ્રને નમનથી થાય છે. પછી કવિ કહે છે–આત્મજ્ઞાનના પુરુષાર્થ માટે શાસ્ત્રજ્ઞાન આવશ્યક છે. શાસ્ત્રજ્ઞાન માટે વાકયનું જ્ઞાન, વાકયજ્ઞાન માટે પદનું આકલન અને પદજ્ઞાન માટે શબ્દનું એટલે શબ્દશાસ્ત્રનું (વ્યાકરણ) જ્ઞાન આવશ્યક છે. પરંતુ વ્યાકરણશાસ્ત્ર અગાધ અને દુર્બોધ છે. માટે આળસુ જિજ્ઞાસુઓ માટે વ્યાકરણશાસ્ત્રનું કંઇક સાર-નિચોડ આપવા માટે હું પ્રસ્તુત પ્રકરણ લખું છું. આ રીતે વ્યાકરણશાસ્ત્રનું વિવરણ શરૂ થાય છે. એમાં સંધિ, રાબ્દરૂપાવલી, સર્વનામ, વિભક્તિઓ અને તેનાં અર્થપરક ઉદાહરણ, (કારક), ધાતુ, વિવિધ કાર, કૃત્મય, સમાસ, તદ્ધિત વગેરેનું સુલભ વિવરણ કરેલું છે. આવી રીતે વ્યાકરણથી પદાન થયા પછી પદાર્થનું જ્ઞાન કરાવવા માટે ન્યાયશાસ્ત્રનું વિવેચન કરે છે. જેમાં સપ્તપદાર્થ, નવ-દ્રવ્ય, ૨૪ ગુરુ, પંચકર્મ, ચતુર્વિધ અભાવ, દ્વિવિધ જ્ઞાન (યથાર્થ અને અયથાર્થ), જ્ઞાન-પ્રાપ્તિના ચાર પ્રકારે, પંચાવયવ-વાક્ય (syllogism ), પાય હેત્વાભાસ જેવા વિષયોનું મુખ્યતઃ વિવરણ કર્યું છે. વાક્યર્થબોધની સાથે જ સાહિત્ય (= અલંકાર) શાસ્ત્રનું વિવેચન છે. જેમાં કાવ્યના પ્રકારે, શબ્દદેષ, ગુણ, શબ્દાર્થાલંકાર, વિવિધ ભાવ, રસનિરૂપણ, નાયક-નાયિકા-ભેદ અને તેનાં ઉદાહરણું, કિરૂ૫ શૃંગાર, અને છેલ્લે એ વિવરણ વ્યભિચારીભાવથી પૂર્ણ થાય છે. વાકય ગદ્યબદ્ધ અને પદ્યબદ્ધ એમ બે પ્રકારનું હોય છે. માટે પદ્યબદ્ધ કાવ્ય સમજવા માટે છંદશાસ્ત્રનું સાર આપે છે-૩ સ્વર, ૮ ગણ, વિવિધ છંદનાં નામ અને લક્ષણો-ઉદાહરણે, વર્ણવૃત્ત, જાતિવૃત્ત, અને છેલ્લે આર્યાદિમાત્રાવૃત્ત આપીને છંદ પ્રકરણ સમાપ્ત થાય છે. સાથે જ આ ગ્રંથ પણ પૂર્ણ થાય છે. કવિ-એમને જીવન-વૃત્તાન્ત, કૃતિઓ અને સમય: પં. સોમનાથ વ્યાસે જુદા-જુદા શાસ્ત્રવિષયને લગતા ૩૧ મુખ્ય ગ્રંથ અને ૧૨ ટીકાસહિત-ગ્રંથે મળીને કુલ ૪૩ સંસ્કૃત ગ્રંથની રચના કરી છે, જેનાં નામ, વિષય અને સમય નીચે પ્રમાણે છે. १ रामसभासिद्धान्तनाटकम् नाटक २ आर्यावरवणिनी (स्वोपज्ञभावप्रकाशिकावत्तिसहिता) - વાગ્યમ્ રૂ ઘવાદ્રિ તિબ્બે..સff —ઝવતાવ, સરસરાવ, મૂવનમૂષક, સુતરતાपति, सानन्दरघुनन्दन, कुशलकोशलेश्वर भने सविलासकोसलापति-प्रकाशित श्रीलालबहादूरशास्त्री ચોકીદ સંસ્કૃત વિદ્યાપીઠ, ન વિરલી-૨૦ ૦૨૧, ૨. સ. ૧૭૨–૭૪, સવિલ : . डॉ. बाबुलाल शुक्ल शास्त्री . For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy