________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
કરભાઈ સોમાભાઈ તડવી
ધણું, નકટી ભૂતને ઘેડો અને બીજા ગામદેવના ધેડા ઉપરાંત ભૂંડ, મેર, કોયલ જેવાં ઘણું ચિત્રો દોરે છે. દેરનારા લખારા કહેવાય છે. તે પરંપરાગત ચિત્રો દોરે છે. પીઠોરાચિત્ર રાઠવા જાતિમાં જ પ્રચલિત છે.
નાનીનાત રાઠવા અને ડુંગરાભાલમાં iદવાળી ઉપર ભીંતચિત્રો દોરવામાં આવે છે. આ ભીંતચિત્રોમાં લ, વેલ, વૃક્ષ, મોર, ઊંઢણ, હાંસડી જેવી ડીઝાઈને હોય છે. આ ચિત્રો સફેદ ચોકથી પાડવામાં આવે છે.
આદિવાસી દેવ-દેવીઓનું સ્થાન માલુણ કહેવાય છે. ત્યાં મૂતિઓ હોતી નથી. હોળી, દિવાસા અને દિવાળી ઉપર પૂજા કરવામાં આવે છે. ત્યારે માટીના ઘડા અને ઢાપુ મૂકવામાં આવે છે. મંદિર હતું નથી. એટલે તોરણ બાંધવા માટે ચિતરામણુવાળા ખૂટડા રોપેલા હેય અથવા લાકડાના દરવાજા ચઢાવેલા હોય ત્યાં બાંધે છે.
ઘર ઉપર સુશોભન માટે મોર, વિમાન બેસાડે છે , આમ આદિવાસીજીવન કલા ભર્યું છે.
For Private and Personal Use Only