________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીણાવાસવદત્તા -કલને પ્રશ્ન “પાપાતક” “મૃ૨૭૦ " અને “વીણઃ '—ત્રણેયમાં નાન્દી લેક શિવને છે. એક જ કર્તા હોય ત્યારે એનાં નાટકના નાન્દીશ્લોકમાં આરાધ્યદેવ એક જ હોય છે. કાલિદાસનાં ત્રણેય નાટકના નાન્દીપ્લેકમાં શિવ છે. મૃર૭૦'માંથી જણાઈ આવતી શદ્રકની સાહિત્યિક વિશેષતાઓ-પ્રસાદગુણ, અસરકારક સંવાદો, મહદંશે અદીર્ધ છંદમાં લખાયેલા વસ્તુને ઉપકારક પદ્યો–આ નાટક “વીણ' માં પણું જોવા મળે છે. ભારતીય ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ગુપ્ત રાજાઓના અન્ત પછી અને હર્ષવર્ધનના ઉદય પહેલાં કોઈ સાર્વભૌમ રાજા ન હતો અને રાજાઓ ચારિત્રભ્રષ્ટ હતા. “મૃ૭૦'માં આ રાજકીય સ્થિતિનું પ્રતિબિંબ છે. આ નાટક “વીણા'માં પણ આ સ્થિતિનું સુચન છે. પ્રમુખ સત્તાકેન્દ્રો પ્રદ્યોત અને ઉદયન છે. પરંતુ ઉદયનને પ્રદ્યોતની સત્તા માન્ય નથી બાકીના રાજએ. દારૂડિયા, મૂર્ખ, જુગારી, ઘાતકી, ઈર્ષાળુ અથવા ડરપોક છે. આ રીતે નાટક “વીણાવાસવદત્તા 'ના કર્તા શદ્રક હોય; તે વધુ સંભવિત લાગે છે. For Private and Personal Use Only