SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાવ્યવિરુદ્ધના આરેાપા અને તેમનું ખંડન વચના સહજ ભાવે સ્વીકારાતાં હોવાથી અસત્ય કે અસંભવ ન ગણુાય. આથી રાજશેખર કહે છે કે ખરેખર તેા કાવ્યમાં કશું જ અસત્ય કે અસંભવ નથી. જે અનુભૂતિને અસત્ય કે અસંભવ લાગતું નથી તે તેવું ન જ ગણાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજશેખરના આ જવાબને સવિશેષ સ્પષ્ટ કરવા માટે આપણે કાલિદાસના ́ વિક્રમોવંશીય ” માંથી એક ઉદાહરણ લઈએ.શીના અનુપમ સૌન્દર્યથી પ્રસન્નમુગ્ધ પુરુરવા કહે છેકે अस्याः सर्गविधा प्रजापतिरभूच्चन्द्रोनुकान्तिप्रदः शृङ्गारैकरसः कथं नु मदनो मासो नु पुष्पाकरः । वेदाभ्यासजडः कथं नु विषयव्यावृत्तकौतूहलो निर्मातुं प्र भवेन्मनोहर मिदं रूपं पुराणो मुनिः ॥ * ૨૦૩ આ શ્લોકમાં, ઉર્વશીનું સૌન્દર્ય સર્જનાર ચન્દ્ર, મદન કે વસન્તમાસ હશે એ વિધાન તેમ જ વેદાભ્યાસજડ નારાયણુ ન સર્જી શકે એ વિધાન અસભવ છે જ. છતાં વાંચતાં મુગ્ધ કરે છે, ઉશીના અનુપમ સૌન્દર્યાંનાં ચિત્રોની પરમ્પરા વાચકની દૃષ્ટિ સમક્ષ ખડાં કરે છે. આ જ તેા આ લેાકની ખૂખી, સાર્થકતા છે. આથી કાવ્યમાં ખરેખર કશું જ અસત્ય હેતું નથી તે વાત સાચી અને સહૃદયને તે અનુભવસિદ્ધ છે. આથી કાવ્યજગતના રસિકજનને જે અસત્ય, અથવા અસંભવ ન લાગે, અતિશયોક્તિપૂર્ણ હોવા છતાંય પ્રસન્નકર અને તેને કારણે કાવ્યને અસત્ય ન જ કહી શકાય. ૨ કાવ્ય અસત્ એટલે કે અનુચિત માર્ગ ઉપદેશનાર અને અનૈતિક હોવાથી અમાન્ય અર્થના ઉપદેશ આપે છે તેથી વર્જ્ય છે. મ મમ્મટાચાય કાવ્યલિંગ અલંકારની વ્યાખ્યા આપતાં કહે છે કે “ કોઇપણ વસ્તુનું કારણુ વાક્યમાં જ અન્તર્યંત હાય, તેનાં પદોના અર્થરૂપે અન્વિત હોય તેને કાવ્યલિંગ અલંકાર કહે છે. '' આ અલંકારમાં કારણ કિવા હેતુ વાસ્તવિક નહીં, પરન્તુ કવિકલ્પિત, કાવ્યજગતને ઢાય છે. તેથી તે નૈતિક દૃષ્ટિએ કે સાંસારિક દૃષ્ટિએ અનુચિત હોય એમ પણ બને, આથી આપણે કહીએ છીએ કે કાવ્યલિંગમાં હતુ અને તેની વાકયપદાર્થતા કાવ્યજગતનાં ડ્રાય છે, વાસ્તવિક જગતનાં નહીં. આથી એમ બની શકે કે જગતની દૃષ્ટિએ જે અસત હોવાના આભાસ થાય તે ખરેખર અસત્ ન હોય, અને કાવ્યજગતમાં તે નહીં જ. ઘણીવાર એવું બને છે કે કાવ્યજગતમાં તે નહીં જ. ઘણીવાર એવું બને છે * કાવ્યજગતની આવી વાસ્તવિક્તા આપણા જગતની વાસ્તવિકતા કરતાં સવિશેષ વાસ્તવિક અને સહૃદય રસિકજનને ઉત્કટ સત્યના અનુભવ કરાવનાર હાય. “ વિક્રમાશીય ” −૧, ૮ આ આરાપના પ્રત્યુત્તર રાજશેખર આ રીતે આપે છે. ( ૧ ) આવા અસત જણાતા ઉપદેશ કેટલીક વખત વિધેયને મિષે નિષિદ્ધ હૈાય છે. એક [જીકા પાતાની પુત્રીને પતિવ્રતા બનવાનું, કલંક ન ગ્રહણુ કરવાનું કહે છે એ ઉદાહરણના અનુસ`ધાન રાજશેખર આ ક્લીલ કરે છે. For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy