SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir સંસ્કૃત નાટચશાસ્ત્રમાં નાટકના નાયક પરત્વે વિસંવાદ... એમ પી. કાકડિયા સંસ્કૃત નાટયશાસ્ત્રની એક સુદીર્ધ પરંપરા આપણને તેના લિખિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અલબત્ત, આ પરંપરા ઉપર ભરતમુનિના નાટયશાસ્ત્રને પ્રભાવ વર્તાય છે, તે પણ દશરૂપક કે નાટયદર્પણના પ્રભાવની અવગણના થઈ શકે નહિ. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરા પર એક દષ્ટિપાત કરતાં એવું સ્પષ્ટ જણાઈ આવશે કે ભરત નાટયશાસ્ત્રમાં જે કોઈ નાટયલક્ષણુની પૂર્ણ સ્થાપના કરી છે ત્યાં પરવતી આચાર્યો મુખ્યત્વે તેનું અનુસરણ કરવામાં જ પિતાનું ગૌરવ સમજે છે. પરંતુ નાટયશાસ્ત્રમાં એવાં પણ કેટલાંક સ્થળે છે, જ્યાં ભરતે એક જ વિષયનું એકી સાથે નિરૂપણ કરી આપેલ નથી અથવા તે તેને વધતું-ઓછું મહત્વ આપ્યું છે, જેમ કે આલંબન વિભાવરૂપ નાયક-નાયિકા, નાટયાલંકાર, પૂર્વ રંગવિધાન, નાટિકા, પ્રકરણિકા વગેરે. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરામાં આવા પ્રસંગે વિસંવાદનું કેન્દ્ર બનતા હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. આ વિસંવાદને મૂળસ્ત્રોત ભારતના નાટયશાસ્ત્રની નિરૂપણપદ્ધતિ અથવા તે તેમના આશયને સમજવામાં નિષ્ફળ રહેલ પરવર્તી નાટયશાસ્ત્રીય પરંપરા હોઈ શકે છે. ગમે તેમ, ૫ણું સંસ્કૃત રૂ૫ક પ્રકારમાં નાયક પર કંઈક આવો જ વિસંવાદ પ્રવર્તે છે. ભરતના મતે નાટકને નાયક પ્રખ્યાત, ઉદાત્ત અને રાજવી હોવા ઉપરાંત દિવ્ય આશ્રયવાળો હોય છે. અહીં ભરત એવું માનતા જણાય છે કે નાટકને નાયક દિવ્ય સહાયને પ્રાપ્ત કરનારો હોવા સાથે મર્યકોટિને તે અવશ્ય હોવો જોઈએ. તેમણે નાટયશાસ્ત્રમાં નાયકના દિવ્ય હોવા અંગે કોઈ સંક્ત, તરફેણ કે વિશ્વાસ કરેલ નથી. આથી ભરત સંમત એવું વિધાન કરવામાં કોઈ આપત્તિ હોઈ શકે નહિં કે મયંકટિને અને જેને દિવ્ય આશ્રય કે સહાય પ્રાપ્ત હોય તે નાટકને નાયક બનવા સક્ષમ છે. પરંતુ પરવર્તી આચાર્યો દ્વારા આ મૂળ સ્રોતનું એના એ રૂપે અવતરણ થઈ શકયું નથી. પરિણામે એક બીજી વિચારધારાને સૂત્રપાત થયે, જેનું શ્રેય ધનંજયના ફાળે જાય છે. તેઓ નાયક સંબંધી ભરતના મતનું અતિક્રમણ કરી એવું સ્થાપે “સ્વાદયાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૬-૨૭૦. • સંસ્કૃત વિભાગ, ભવન્સ શ્રી એ. કે. દેશી મહિલા કૉલેજ, જામનગર, { ......ચાલો ના વાય . સુર્ગાજવંશજરિત તથા ર યથાયોપેતન / ૨૦ : ૧૦. ભરતનાટયમૂ-શર્મા બટુકનાથ અને ઉપાધ્યાય બલદેવ (સં.) પ્ર. ચખબા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, બીજી આવૃત્તિ. ૧૯૮૦. For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy