SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ૨૩૭ નિયમને પણ દર્શાવે છે, તે વિશ્વની નૈતિક સુવ્યવસ્થા છે. દેશ, કાળ, પરિસ્થિતિ વગેરે સંદર્ભોને ખ્યાલમાં રાખીને જે તથ્ય જોવાય છે તે ‘ સત્ય ’ અથવા, વધારે સ્પષ્ટતા કરીએ તા, વ્યાવહારિક સત્ય ’હે; પરન્તુ તે જ તથ્યને કે વસ્તુને આવા કોઇ પ્રકારના સંદર્ભ વિના જ, બિલકુલ નિરપેક્ષભાવે, જોઈ એ ત્યારે તે જેવું દેખાય છે તેને ‘ પારમાર્થિક સત્ય ’કહે છે અને તેનું જ બીજું નામ ' ઋત' છે. • વ્યાવહારિક સત્ય ’નું દર્શન તે ધણુા કરી શકે, પરંતુ ‘ પારમાર્થિક સત્ય ' જે ' ઋન', તેનું દૃર્શીન તા કોઈક વિરલા જ કરી શકે છે. ૪ ન: માટે હવે આપણે ‘ દર્શન ' શબ્દના અર્થ ખરાબર સમજી લઈ એ. ‘ જેવું, આંખ વડે જાણવું ' એ અર્થમાં સંસ્કૃતમાં ધ્ ધાતુ (૧ દર્ ) છે. તેનું ભાવવાચક નામ ‘- દુશ્દન ' તેથી ચક્ષુસ ઇન્દ્રિય ( ચક્ષુરિન્દ્રિય) દ્વારા જ્ઞાન મેળવવાની ક્રિયા તથા એવી રીતે મેળવેલું જ્ઞાન એ અને દર્શન ' શબ્દ પ્રયાજાય. ખીજી જ્ઞાનેન્દ્રિયા કરતાં વધારે ચોકસાઈપૂર્વક વિષયનું જ્ઞાન મેળવતી હાવાથી ક્ષુરિન્દ્રિય સત્યની વધારે નજીક ગણાતી હાઈ બણી વાર તેને સર્વ જ્ઞાનેન્દ્રિયાના પ્રતિનિધિ તરીકે પશુ નિર્દેશવામાં આવે છે. આ રીતે અન્ય જ્ઞાનેન્દ્રિયા દ્વારા મેળવાતા જ્ઞાન કરતાં ચક્ષુરિન્દ્રિય દ્વારા મેળવાતું જ્ઞાન ચઢિયાતું ગાય છે. માથી જ · પ્રત્યક્ષ ' [ તિ + અક્ષ ( આંખ )—‹ આંખની સામે ']ને સર્વ પ્રમાણેામાં મુખ્ય ગણુવામાં આવે છે, અને ન્યાયાલયમાં ‘ સાક્ષી ’ ( ‘ સાક્ષાત્—નજરે–જોનાર ' )ના વિધાનને મહત્ત્વ આપવામાં આવે છે. પણ આ તેા સામાન્ય નજરે દેખાય તેવા સ્થૂલ પદાર્થોના જ્ઞાનની વાત થઈ. પરન્તુ કેટલાક અત્યન્ત સુધમ પદાર્થો હાય છે જે સ્થૂળ નેત્ર વડે જોઈ શકાતા નથી; ઉદાહરણૢ તરીકે પરમાત્મા, આત્મા, સ્વ, ‘ દર્શીન ' શબ્દને અવિકાસ થતાં તે આવી અતીન્દ્રિય—જેને અનુભવ સામાન્ય ઈન્દ્રિયાની મદદથી મેળવી શકાય નહિ તેવી-વસ્તુઓના સાક્ષાત્કારને અર્થ, ' આધ્યાત્મિક જ્ઞાન 'ના અર્થ પણ સૂચવવા લાગ્યા. ‘રશ્યતે” મનેંન કૃતિ વર્શનમ્ '–જેના વડે ( અતીન્દ્રિય વસ્તુઓને) જોઈ-જાણી શકાય છે તે ‘ દર્શન ’–એવી વ્યુત્પત્તિ પણ થવા લાગી, જેને અથ એવા થાય કે જે શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા આત્મા, પરમાત્મા આદિ ઇન્દ્રિયાતીત પદાર્થોના સાક્ષાત્કાર કરી શકાય-તેમની સાક્ષાત્ અનુભૂતિ પ્રાપ્ત કરાય-તેને પણ ‘ દર્શન ' કહેવાય ૫ શ્રુતિ ઃ વેદ ' અપૌરુષેય ' એટલે કે કોઈ મનુષ્ય વડે જેની રચના થઈ નથી તેવા મનાય છે. તે આ જ કારણે. પ્રાચીન મહર્ષિની પ્રતિભા, ઉપર દર્શાવ્યું તેવા રહસ્યોાટન માટે, સતત ચિન્તન દ્વારા કેળવાઈ તે સમાધિની સ્થિતિએ પહેાંચી જતાં, આ અદ્ભુત વિશ્વની પાછળ સંતાયેલ રહસ્યને સ્પષ્ટ નેઇ શકતી હતી, સમજી શકતી હતી, માણી શકતી હતી. આવી જે સાક્ષાત્ અનુભૂતિએ તેમને થઇ, તેમતે તે ઋષિએ વેદમાં પ્રકટ કરી જનસમાજ સમક્ષ ધરી દીધી. ‘ ૧૬ શબ્દ વિજ્ ધાતુ (v fવદ્) ઉપરથી બનેલા હોઈ તેને સીધા સાદ્ય અર્થ થાય For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy