SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir i૮ જૈવ નિબિલકુમાર પંડ્યા વૈદ્ય શાસનના કેટલાંક પુસ્તક : ગુજરાત સમાચાર'માં પ્રતિ રવિવારે પ્રગટ થતા - આરેગ્ય અને ઔષધ વિભાગમાં વિદ્ય શોભને લખેલા લેખોના સંકલન રૂપે પ્રગટ થયેલ પુસ્તક “ આરોગ્ય અને ઔષધ અને આઠમે ભાગ લેખકના તેમના વ્યાવસાયિક પરિપાક અનુભવને નીચેડ છે, જાદા જુદા વિષયોને આવરી લઈ તેમણે સરળ અને રોચક ભાષામાં આયુર્વેદના સિદ્ધાંતો અને બધાને સમજાવ્યાં છે. સ્વસ્થ માણસના સ્વાથ્યને જાળવી રાખવા માટેના નિયમો તેમણે ૪૦માં પ્રકરણમાં બતાવ્યા છે તે જે આચરણમાં મૂકવામાં આવે તો જરૂર નીરોગી રહેવાય. પણ ૫શ્ચિમી રીતભાત-ફેશન-સભ્યતા અને ધનપાછળની આંધળી દોટ મૂકતા સમાજ માટે આવું અધરું પથ્યપાલન શકય નથી અને તેને પરિણામે વિવિધ રોગની ઉત્પન્ન થાય છે. ત્યારે તેમણે વિવિધ રોગ માટે અનુભવસિદ્ધ અને સચોટ ઉપાય નિદેશ્યા છે. વિવિધ ઋતુમાં અનુકુળ ખાનપાન દ્વારા માનવી સ્વાશ્ય જાળવી શકે છે. તે ઉનાળામાં તીખે રસ છોડો અને શરદ ઋતુમાં તિક્ત (કડવો) રસ સેવવો તે આરોગ્ય માટે જરૂરી છે એમ પણ કહ્યું છે. પ્રકરણ ૧૧માં લેખકે મંદાગ્નિ-અશક્તિ-વાયુના-પિત્તના તથા ચામડીના રોગોની સારવાર અન્ય પક્ષ કરતા આયુર્વેમાં વધુ સારી અને પરિણામદાયી છે તે દર્શાવ્યું છે. તેમણે સ્ત્રીએ–બાળકે તથા પુરુષોને સતાવતા ધણુ રાગોમાં પિતાનાં અનુભવસિદ્ધ ઓષધે બતાવ્યાં છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની આર્થિક તેમજ સામાજિક પરાધીનતાને ઉલેખ કરી સ્ત્રીના આરોગ્ય વિશે ચિંતા પણ પ્રગટ કરી છે. આનાં દેખીતાં કારણે જેવાં કે અષણ-અપૂરતી ઉધ-અતિસમાગમ-અતિપરિશ્રમ અને મનરંજનનો અભાવ અને તેને કારણે થતાં પ્રદર-કટિશળ-ગર્ભાશયભ્રંશ-તેમાં ચાંદી પડવી–પાંડુરંગ તથા હીસ્ટીરીયા જેવા રોગો માટે સમાજની જવાબદારી પણ ઓછી નથી તેમ સૂચવ્યું છે બાળકોના રોગોમાં અરવિદાસ, શ્વાસકાસમાં કનકાસવ-કટકારી અવલેહ, પુરુષોના હદયની રક્ષા માટે અર્જુનારિષ્ટ તેમજ સ્ત્રીઓનાત પ્રદરમાં પુષ્યાનુગ ચૂર્ણ, ધાત્રોરસાયન ચૂર્ણશંકાક્ષીરપાક તેમજ આમળાંને-લીમડાનાં કુમળાં પાનને તેમજ ગળાને સ્વરસ પીવા રાચવ્યું શાળવા (શીતપિત્ત) બાળલકવા સેજા-પાંડુરોગ-રાંઝણ (સાયેટીકા) મૂત્રવહસંસ્થાનના રગ તથા જદી જદી ઋતુઓમાં થતા રોગો વિશે તેમ યિતનપૂર્વક ઓષધે દર્શાવ્યાં છે. આ ઉપરાંત સાંપ્રત સમાજને સતાવતાં પ્રદૂષણ તથા એઈડ્ઝ રોગ વિશે પણ જાણકારી આપી છે. તે વીતેલા દાયકામાં આયુર્વેદે સ્વબળે કરેલી પ્રગતિ અને સરકાર, આયુર્વેદ મહાવિદ્યાલય તથા સમાજની ઉદાસીનતા વિશે ચિતા પણ પ્રગટ કરી છે. તે વસ્તીવધારાના જટિલ પ્રશ્નને આયુર્વેદ દ્વારા હલ કરી શકાય છે તેમ સૂચવું છે પણ કેન્દ્ર તથા રાજ્ય સરકારની આ અંગે ઉદાસીનતા પ્રત્યે આંગળી ચીંધી છે. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધીના ભારતને એક રાખવામાં આયુર્વેદના ફાળાની મહત્તા પણ દર્શાવી છે. શિવામ્બુચિકિત્સા જે આજે આયુર્વેદની પ્રશાખા તરીકે જાણીતી થઈ છે તેનાં પરિણામ પશુ આધુનિક વિધાનના અનુસંધાન-અનુભવ ને જાત પરીક્ષણ દ્વારા સૂચવી તેને વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવા જણાવ્યું છે. For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy