SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને વાસ્તવઃ “આંગળિયાત'ના પરિપ્રેક્ષ્યમાં આ સંધર્ષ જ પછી તો કૃતિને કેન્દ્રવર્તી નિરૂપ્ય વિષય બને છે ને ટી-મેથીની પ્રણયકથા એને એક આંતરપ્રવાહ બની રહે છે. હવે બે આંગળિયાત' આ રીતે સંઘર્ષની કથ બનતી હેવાથી ને એ સંધર્ષમાં કામદેષ નિમિત્ત હોવાથી નીચ વર્ણને સવર્ણોને હાથે જે કંઈ શેષતાવારે આવે છે તેની કરુણ કથા ઉત્કટ સ્વરે આલેખાઈ છે. અહીં જ એક પ્રણયકથા સામાજિક સમસ્યાનું પરિમાણ પ્રાપ્ત કરે છે અને એમાં શ્રીમેકવાનની સર્જકતાને વિશેષ પર ખાય છે. ટીહી-મેથીમાંની પ્રણયકથા પણ એક આગવી ભાત ઉપસાવે છે. બંનેનાં હદય એક છે, પણ ભદ્રસમાજમાં વિરલ જ જોવા મળે એવી ઉભયની સામાજિક બાહ્ય વિષમ પરિસ્થિતિ ને તે છતાં માનવતાની મહેક પ્રસારતી ઉભયની ત્યાગવૃત્તિ, જીવનમાં મૂલ્યરક્ષા માટે જીવનછાવરીની તત્પરતા ટીહા–મેથીની પ્રખ્યકથાને શાલીન ને શરી શહાદતનાં મૂલ્ય બક્ષે છે. યોગ્ય રીતે જ આંગળિયાત'ના ફલેપ પર શ્રી મેકવાનની સર્જક્તા ઓળખાવતાં કહેવાયું છે કે “તળપદી ભાષા, પ્રાકૃતપાત્રો અને સદા શોષણમાં જ જીવાતા જીવતરની આ કથા જેટલી હદયંગમ છે એટલી હદયદ્રાવક પણ છે. શીલ-સંસ્કાર, સ્ત્રીત્વ અને જીવનને પ્રમાણુવાની લેખકની કરેલી એટલી જ તટસ્થ દષ્ટિસંપન્નતા આ નવલકથાનું સૌથી મોટું જમાપાસું છે. ગુજરાતી સાહિત્યમાં નવતર વાર્તા–વસ્તુ, નૌતમ શૈલી અને નવલાં અભિયાન તાકતી આ પહેલી જ નવલકથા છે. ' અંતે, આપણે આપણું મૂળ મુદ્દા પર આવીએ. “સાહિત્ય અને વાસ્તવ”ની સમસ્યાને “આંગળિયાત'ના પરિપ્રેક્ષયમાં સમજવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે વાસ્તવ સાહિત્યમાં કેવું પ્રેરકબળ છે, ચાલકબળ છે, એ ધ્યાનમાં આવે છે. તે બીજી બાજુ વાસ્તવ એ જ સાહિત્ય નથી, પણ વાસ્તવને કલાપ્રયુક્તિઓથી અપાતું એક આગવું રૂ૫–રસકીય/કલાત્મક–એ સર્જનાત્મક સાહિત્ય છે, એય સ્પષ્ટ થાય છે. વાસ્તવને ફેટોગ્રાફીની કલા લક્ષ કરે છે ત્યારેય એમાં કટોગ્રાફરની દષ્ટિ કેવી નિયામક હોય છે ! કોઈ એક દષ્ઠિકાણ, નજર એ લઈને આગળ વધે છે, પ્રવૃત્ત થાય છે, તેમ સાહિત્યકલામાં પણ સર્જકને એની દષ્ટિ હોય છે. એ દષ્ટિ પ્રતિભાસંપન હેવી જરૂરી છે અને એના બળે જ વાસ્તવ બૃહદ્રપરિમાણે પ્રાપ્ત કરવાની ક્ષમતા મેળવે છે. વળી ભાષા દ્વારા આ સૃષ્ટિ નિર્માતી હોવાથી ભાષાની આત્મલક્ષી મુદ્રા પણ વાસ્તવને રૂપાન્તરિત કરવા માટેનું માધ્યમ બને છે. વાસ્તવનું એક રૂપ અને તેય સવિશેષ સંકુલતા ધરાવતું આત્મલક્ષી વાસ્તવ, જેને આપણે મને વાસ્તવ કહીને ઉપર એાળખું છે. આ વાસ્તવને મૂર્ત કરવાનું સાહિત્યકતિ તાકે છે ત્યારે સ્વપ્નપ્રયુક્તિ, ચેતનાપ્રવાહનિરૂપણપદ્ધતિ, કપોલકલ્પિત, પ્રતીક, અસંબદ્ધતા જેવાં કલાકરો ખપમાં લઈ વ્યવહારની ભાષાને આત્મલક્ષિતાને મરોડ આપવાનું સર્જક માથે લેતે હેય છે. આ રીતે વાસ્તવ જે કેવળ ઈદ્રિયગમ્ય હેવાનું જ આપણે પ્રથમ દૃષ્ટિએ માનીએ છીએ, તે એક સંકુલ પદાર્થ બની જાય છે. એ સંકુલતાને પામવા માટે જ સાહિત્યમાં ને અન્ય કલાઓમાં પરાવાસ્તવવાદ, અસંબદ્ધવાદ જેવાં આંદોલને આવ્યાં છે. For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy