SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૫૨ મહેશ ચંપકલાલ દ્વારા પાત્રની બાહ્ય આકૃતિ physical life ઉપસાવતા ઉપસાવતા તેઓ “કેનવાસને એક ખૂણે” એકાંકી સંગ્રહમાં નિવાસના કોઈ એક ખૂણે પાત્રની આંતર પ્રકતિને, તેની આંતર વૃતિઓને, તેના મનની ગ્રંથિઓને તેની psychological lifeને મૂર્તિમંત કરી આપે છે અને તે પણ psycho analysisના કશા પણ વળગણ કે ભાર વિના. તેમનાં પાત્રોનાં સંકુલ આંતરમન, તેમનાં સ્વાભાવિક વાણી વર્તન દ્વારા જ તરલ અભિવ્યકિત પામ્યાં છે એ એક આગવી વિશેષતા છે. વિવિધ એકાંકીએમાં પાત્રના આંતરમને દૃશ્ય/શ્રાવ્ય રૂ૫ આપવા તેમણે વિવિધ નાટ્યપ્રયુક્તિઓ કામે લગાડી છે અને તેથી જ બધાં એકાંકીઓ અભિનય બન્યાં છે. સંગ્રહમાંના પ્રથમ એકાંકી "કેનવાસને એક ખૂણેમાં નાટ્યકારે આમુખમાં જણાવ્યા પ્રમાણે લઘુગ્રંથિથી પીડાતા નાયકની વેદનાને કંડારવાનું તાકર્યું અને તે માટે તેમણે આંતરનાટક play within a playની નાટ્યપ્રયુકિત dhamatic device ખપમાં લીધી છે. રંગનિદેશ અનુસાર નાયક છે ૩૨ વર્ષને, દેખાવે તેમજ બેલવે ચાલ સ્ટ્રણ પ્રકૃતિને એવો ગગન કાનાબાર. આમુખમાં નાટ્યકારે નાયકને લઘુમંથિથી પીડાતો જણાવ્યો છે તો નાટકના રંગનિદેશમાં તેને શૈણુ પ્રકૃતિને વર્ણવ્યો છે. શું નાયકની આ લઘુતાગ્રંથિ તેની સ્ટ્રૌણ પ્રકૃતિને લીધે ઉદ્દભવી છે કે નાયક પિતે સ્ત્રૌણ છે એવું માની બેઠા છે અને તેથી લઘુતાગ્રંથિથી પીડાય છે ? પોતે નિહારિકા જેવી અભ્રા મોડર્ન યુવતીને, રંગભૂમિની ખ્યાતનામ અભિનેત્રીને પરણ્યો છે અને પિતે તેનાથી ઉતરતે છે; તેના અભિનયની વાહ વાહ થાય છે, પિતાનાથી તે મુઠ્ઠી ઉંચેરી છે અને તે તેનાથી inferior છે અને આ મંથિને લીધે તે સ્ટૌણ બનતો જાય છે ? નાટકની શરૂઆતમાં નાટ્યકારે ગગન અને તેના મિત્ર રવિ વચ્ચેનું જે દશ્ય વેર્યું છે તેમાં નાયકની ખાતઅકતિ છતી કરવા પ્રયત્ન કર્યો છે. અહીં ગગનનાં બે વ્યક્તિ એક સાથે પ્રગટ થાય છે. એક તે રવિની દષ્ટીએ ગગનનું વ્યક્તિત્વ અને સ્વયં ગગનની દૃષ્ટિએ તેનું પિતાનું વ્યકિતત્વ. રવિની દષ્ટિએ તે સતત માનસિક તાણ અનુભવતો, પૂર્વગ્રહોના ખંડિયેરમાં જીવતો, અકાળે ક્ષયગ્રસ્ત થઈ ગયેલા મનવાળો, લંગડાતા અહમને લઈને પ્રીને અને સમસ્યાની ભેખડ ઊભી કરી દુઃખી થનાર પુખ્ત ઉંમરને બાબો છે જે પત્ની નિહારિકાને ચેનથી જીવવા નથી દેતે. જ્યારે ગગનની દષ્ટિએ તે પોતે ભયંકર ભૂતાવળ બનીને ઊગી નીકળેલી ગૂફામાં પુરાયેલ, પોતે જાણે બુડથલ હોય, બબૂચક હેય તેમ નાના બાળકની જેમ બધા દ્વારા પટાવા, બાટલીનું દૂધ પીતે નાનો બાબો હોય તેવો વ્યવહાર પામતે, પોતાનામાં રહેલા ઑફિસર ગગન કાનાબારને, કેશનેબલ પરી જેવી નમણી, રૂપાળી નિહારિકાના પતિને સૌ ઓળખે છે પણ પિતાને કેબી ઓળખતું નથી તેવી લાગણી ધરાવતા ઉપસી આવે છે. રવિની દષ્ટિએ ગગન ભર્યાભાદર્યા ઘરને સંભોગી શકતો નથી. નિહારિકાને ખુશ કરી શકતા નથી એટલે કે ગગન સ્ટૌણ પ્રકૃતિને છે, શારીરિક રીતે નપુંસક છે અને તેથી તે પોતાની પત્નીને સંભેગી શકતા નથી એ પ્રગટ થાય છે તો ઓગળ જતાં ગણનના શબ્દોમાં “નિહારિકા', રાત્રે ઘસઘસાટ ઊંધનારી, ઘડિયાળના ટંકારા અને નસકોરાંની વચ્ચે પોતે સેન્ડવીચ બની જતા હોય અને તે મજબૂત થાંભલાની જેમ પડી રહેતી અને પોતાનામાં જ્યારે કામદેવ સોળે કળાએ ખીલ્યા હતા ત્યારે “ અડધી રાતે શું કામ ડિસ્ટર્બ કરે છે, રસોડામાં જાવ ' એમ કહી ફરી પાછી નસકોરાં બોલાવતી જણાવાઈ છે. રવિની દૃષ્ટિએ ગગન-નિહા૨કા વચ્ચે સંબંધ તથા ગગનની દષ્ટિએ ગગન-નિહારિકા વચ્ચેનો સંબંધ અહીં For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy