SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાવકને (૨૫ વેણીભાઈ જેને “ઉનાં રે પાણીનાં અદભુત માછલાં ” કહે છે તે નયનમાં વ્યક્તિત્વ સમગ્ર પ્રગટ થાય છે. એ વિષે-“બધાયે ભાની ચરમ અભિવ્યક્તિ નયનમાં”. છગનભાને માટે લખાયેલા પાંચ વિભાગના કાવ્ય “મુખર્ષમાં દુખપ્રધાન સુખ અપથકી ભરેલી માનવજીવનની ઘટમાળની વાતમાં—“ વિદ્યુપ્રભા ક્ષણ શું મૌક્તિક વીંધવાનાં ”. એ પંક્તિમાં અન્ય સંદર્ભે વીજળીને ઝબકારે મોતી પરોવવું પાનબાઈ !” એ ગંગાસતીની પંક્તિને સ્મરણઝબકાર થાય. સંમતમાં ભગવાન બુદ્ધ, પૂ. યોગેશ્વરજી, ગાંધીજી, વિનોબાજી, સરદાર પટેલ, જયદેવ શુકલ જેવાં વ્યકિત/વિભૂતિવિષયક અન્ય કાવ્યો ધ્યાનાર્હ છે. “ના માં નકારાત્મક અનુભૂતિ ગેય ઢાળમાં કાવ્યાત્મક બની રહે છે“મારી આંખોની સામે અટવાય, દેખાય ના ! મારા મનડાની કેવી આ રીત ! | (પૃ. ૧૨૬ ) કળાય ના. મૂક અજપે 'માં મુક્ત ગગનનું આહત પંખી પુરાયું શું નીડે! જેવાં જનાં પ્રતીકોને વિનિયોગ છે. ચાર ભાગમાં વિસ્તરતા ધનપ્રશસ્તિ'માં શામળશાઈ છાપાને સફળ પ્રયોગ છે– વિશ્વચક્રનું અંજન મંજન મહેલાતનું, કલા-કવિતા રંજન, ભંજન ભડ વાતનું.” (પૃ. ૧૪૩) જેવા પ્રાસાનકાસ સાથે છપાને અંતે “ભણે અનામી ૨ક”ની કવિછા૫ છે. ક્રિનિંગ 'માં આઝાદીના ચાર દાયકા પછીની દેશની દશાનું ચિત્ર “ભીતરથી તે વરવો વેશ” ધ્રુવપદ દ્વારા દર્શાવ્યું છે. “કેટકેટલાં રૂ૫૨'માં વિરાટ ઈશ્વરને પ્રાણપ્રિયા તરીકે અનુભવી એના સ્વરૂપમાં ભળવાની આદત છે. “મારો સાયબો તો’ પ્રકૃતિકાવ્યની પડ છે ઈશ્વરવિષયક ગીતકાવ્યને નમૂને બની રહે છે. નથી જોઈતું' માનવ અને પ્રભુ વચ્ચેની સંવાદાત્મક અભિવ્યક્તિ છે, જેમાં મન હેવું એ માનવ સેવાને પુરાવો છે, મન છે તે મનન છે, મનનાં સંચલનોથી અકળાવાની જરૂર નથી વગેરે વિચારો રજૂ થયા છે. એના અનુસંધાનમાં મનનાં વિવિધ રૂપોને દર્શાવતાં મન મુજ ' “મન તું?” “કેમ કરી સમજાવું!” “ગા, મની' જેવાં મનવિષયક કાવ્યો જોઈ શકાય. મળી જાય 'માં પક્ષી જીવનને બિરદાવતાં પાંખના અભાવની મનુષ્ય જીવનની અધૂરપ દર્શાવી છે. પેલા પંખીને જોઈ મને થાય” એ ઉપેન્દ્રાચાર્યજીના બાળગીતનું અનુસંધાન દેખાય. * કેટકેટલાં?’માં સંસ્કૃત સાહિત્યની અસર જોઈ શકાય-વાજે નાનતા મિં દિમી અને જ અને સંસાર કિમતમય: fક વિષમય ને વિચારવિસ્તાર જણાય. સંસ્કૃતપ્રચુર ભાષાવાળા કાવ્ય પરબ્રહ્મ” આગળ સૂચક રીતે “ આપણી વાત પૂરી થાય છે. આમ સમગ્રતયા જોતાં કે, સુભાષ દવે કહે છે તેમ “ અવસાદ અને આનંદ-એવી પરસ્પર વિરોધી ભાવસ્થિતિઓની અનુભૂતિ “ આપણી વાત ”નું ભાવજગત છે. ગ્રામ્યવિદ્યા મન્દિર, મ. સ. યુનિવર્સિટી, દેવદત્ત જોશી વડોદરા, For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy