SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધ્યાય ચરોાવિજયકૃત બેરાચક પલતા રૂપકાત્મક કથાસાર... અલંકારશાસ્ત્રકથિત મહાકાવ્યવિષયક લક્ષણાથી દૂરતા યા સામીપ્યના વિચાર કર્યા વગર, ક્રોઈ નિશ્ચિત ધ્યેય અગર આગવા દષ્ટિબિંદુની પૂર્તિ માટે જૈન સર્જકોએ પ્રાકૃત સ ંસ્કૃત મહાકાવ્યાકથાઓને આધારે કથાસાર મહાકાવ્યનાં સર્જન કર્યા છે અને એ પર‘પરા વિમલસૂરિષ્કૃત “ પઉમચરિય' થી શરૂ કરીને છેક સત્તરમી સદીની યશોવિજયજીની કૃતિ વૈરાગ્યકલ્પલતા સુધી વિસ્તરી. २७८ જો કે આ પ્રકારની પ્રવૃત્તિનાં મૂળ ધણુાં પ્રાચીન છે. ગૌડાભિનંદે કાબરીને સારસંક્ષેપ કર્યાં છે. ઉપરાંત પદ્યુમ્નસૂરિષ્કૃત “સમરાદિત્ય સક્ષેપ ”, ધનપાલ કૃત “ તિલકમંજરી ’ ના ચારેક સારસંક્ષેપો થયા છે. ઉપમિતિ.ના સારસક્ષેપો તેંધપાત્ર છે. જેમ કે વર્ધમાનસૂકૃિત ‘ઉમિતિભવપ્રપ ́ચાકથાનામ્ સમુચ્ચય '' હંસગણીકૃત “ ઉપમિતિભવપ્રપંચા કથાસારાધાર ' દેવસૂરિષ્કૃત ‘ઉપમિતિપ્રપ ંચે ધાર. ’ આ ઉપરાંત હેમચંદ્રાચાય કૃત ‘“ ત્રિષષ્ટિશલાકાપુરુષચરત્ર ’’ના ચારેક સ ંક્ષેપો સુવિદિત છે. આવી કથાસાર કૃતિઓના સર્જન પાછળ અનેક ઉદ્દેશા કામ કરે છે, જેમ કે “ સમરા દિત્યસંક્ષેપ 'માં પ્રદ્યુમ્નસૂરિએ લખ્યું છે કે આત્મનઃ હેતયે। પરંતુ ખાસ તા જે તે કૃતિની ભવ્યતા, ધાર્મિક્તા, સત્ત્વશીલતા વધુ પ્રેરક રહી છે. યશોવિજયજી તેા સાક્ષાત્ કૂચલી શારદા હતા તે તેમણે નવી કૃતિ રચવાને બદલે સારસંક્ષેપ કેમ કર્યાં ? એનું ગૂઢ કારણ એ હોઈ શકે કે સમગ્ર જૈન સિધ્ધાંતને એક કથાના રૂપમાં મુકવાના સૌથી મહાન અને સફળ પ્રયત્ન ઉમિતિમાં થયે છે અને યશોવિજયજીની તેમ હતી સ વેને શાસનરસિત કરવાની, તેથી સર્વ જીવપરાપકારાર્થે ઉપમિતિના સારસક્ષેપ કર્યા હશે. બૈરાગ્યકલ્પલતા ’” એ ઉમિતિનું સંક્ષિપ્તીકરણ માત્ર નથી, પરં'તુ તેમાં મૌલિક નવસર્જન સાથે તેનું સ્વરૂપગત પરિવર્તન કરી જાણે નવી કૃતિનું સર્જન કર્યું હોય તેમ લાગે છે. ઉપમિતિ. કથા 'ટલાકને મતે ચપ્રકાવ્ય છે પરંતુ બૈરાગ્યકલ્પલતા ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતું કથાસાર મહાકાવ્ય છે. જો કે સમગ્ર સૌંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાસાર મહાકાવ્યના ઉલ્લેખ સરખા નથી. આ કૃતિ એના આ સ્વરૂપમાં સર્વોત્તમ કૃતિ છે. આમ વૈરાગ્યકલ્પલતા સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યમાં રૂપકકથા તથા કથાસાર મહાકાવ્ય તરીકે અનેાખી કૃતિ છે. For Private and Personal Use Only આમ રૂપકકથાઓએ ભારતના ધાર્મિક તેમ જ ઔપદેશિક સાહિત્યનાં ઉત્તુંગ શિખરો સર કર્યાં છે કારણું કે અલકારશાસ્ત્રીય બંધનરહિતતાની માકળાશે તેને વિસ્તરવામાં આડકતરી મદદ કરી છે : પરિણામે જૈન આગમસાહિત્યમાંથી વહેતાં આવતાં રૂપકઝરણાં ધીમેધીમે ઓદેશિક્તાના મહાગિરિ ઉપરથી નીચે ઊતરી સિહષિ સુધીમાં તે મહાનદ બની જાય છે. પછી તેા તેના વિશાળ વારરાશિમાંથી પવતી' રૂપકસાહિત્યની અનેક નહેરા નીકળી; પરતુ સ્વા મા
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy