________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શલ્ય-ચિકિત્સાની પ્રાચીનતા
પ્રજ્ઞા ઠાકર*
આજે વિશ્વભરના વૈજ્ઞાનિકે નવીન પ્રભાવશાળી દ્રવ્યોની શોધમાં તથા પ્રાચીન દ્રવ્યોના મૂલ્યાંકનના મહત્ત્વપૂર્ણ કાર્યમાં અહર્નિશ લાગેલા છે અને તેમાં પ્રગતિ પણ સાધી છે. માત્ર
ઔષધિઓ કે દ્રવ્યો જ નહીં પરંતુ શલ્યક્રિયા ( Surgery)માં પણ વૈજ્ઞાનિકોએ સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે. અતિ સંવેદનશીલ મર્મસ્થાનનાં ઓપરેશને કરવાં આજે સહજ વાત ગણાય છે. પરંતુ તે સાવ નવી શોધ નથી. સામાન્ય રીતે શસ્ત્રક્રિયા પશ્ચિમની દેણ ગણાય છે. વાસ્તવમાં આપણા પ્રાચીનાએ આ દિશામાં ઘણી પ્રગતિ કરી હોવાના નિર્દેશો દૌદિક તેમ જ પરવતી સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તે તરફ ધ્યાન દોરવાને નમ્ર પ્રયાસ પ્રસ્તુત શોધ-લેખમાં કર્યો છે.
વેદમાં કેવળ અધ્યાત્મ કે કર્મકાંડ જ નથી, એ જીવનવિજ્ઞાન પણ છે. માનવજીવનને સ્પર્શતાં અનેક વિજ્ઞાનને એમાં સમાવેશ છે. એ પૈકીનું એક, શરીરસ્વાશ્યને લગતું વિજ્ઞાન છે. સ્વાર્થ જાળવવા માટે અપનાવાતી ચિકિત્સાની જદી જુદી પધ્ધતિઓને અણુસાર વૈદિક સાહિત્યમાં મળે છે. જેમ કે, અષધિ-ચિકિત્સા, જલચિકિત્સા, સૌરચિકિત્સા, વાયુચિકિત્સા, અનચિકિત્સા, માનસચિકિત્સા અને શસ્ત્રચિકિત્સા અર્થાત શલ્ય-ચિકિત્સા ( surgery)ની પણ એમાં છવૃાવટ છે.
શલ્ય-ચિકિત્સા વિશે વૈદિક સાહિત્યમાં ઠીકઠીક ઉલેખ પ્રાપ્ત થાય છે. એમાંના મોટાભાગના, અશ્વિનિકુમારએ કરેલી અદ્ભુત શલ્ય-ચિકિત્સાને લગતા છે. અશ્વિનિકુમારો ચિકિત્સકો અને શલ્યકુશળ વૈદ્ય (Expert physicians & surgeons) હતા, એવા ઉલેખે ઠેર ઠેર મળે છે.
વેદમાં અશ્વિનિકુમારની શક્લિા વિષેનો ઉલેખ આશ્ચર્ય પમાડે તેવું છે. આ ઉપરાંત ત્રણ. અસ્થિભંગ તથા અંગભંગમાં થયેલી શસ્ત્રક્રિયાનું વર્ણન છે. આ રીતે શરીરનું અંગ પૂર્વવત બને છે. વેદમાં આવાં નાનાં મોટાં શલ્યકર્મો (minor and major operations )ના ઉલ્લેખ મળે છે. અહીં દિશાસુચનાથે કેટલીક વિગતો નેધીશું. તેમાં સૌ પ્રથમ ઋવેદના સંદર્ભે વિચારીશું.
“સ્વાદયાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૯, ૨૪૭-૨૫૬
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૧૫.
For Private and Personal Use Only