________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના થાય.
અક્ષયતૃતીયા-જન્માષ્ટમી વિ. સં. ૨૦૦૬
પુસ્તક ૨૭
એપ્રિલ ૧૯૯૦-ઓગસ્ટ ૧૯૯૦
અંક ૩-૪
માપવી:
પ્રીતિ કે. મહેતા
રેવી માપ: ” અંગેનાં સુતો વેદ તેમ જ અથર્વવેદમાં પ્રાપ્ત થાય છે. આ સૂક્તોને આધારે “આપ :”ની વિશિષ્ટતા તથા તેના મહિમાને નિરૂપી તેના દૈવીસ્વરૂપ ઉપર અત્રે પ્રકાશ પાડવામાં આવ્યું છે. ચિકિત્સાના ક્ષેત્રમાં ઓષધરૂપે તેને જે પ્રયોગ થાય છે તે પણ વિચારાયું છે. વળી, જલમાં થતી વનસ્પતિ પણ ચિકિત્સા માટે ઔષધરૂપે ઉપયોગી છે. જળમાં રહેલી અમરતા, રૌતન્ય અને નવજીવન આપવાની દૈવી શક્તિના કારણે ઋષિ જળના દેવત્વને પુરસ્કારે છે.
સૌ પ્રથમ “” ના વિસ્તાર અને સવરૂપ વિષે જોઈએ. સા: પૃથ્વીના ગોળાર્ધની ૭૦% જગ્યા રોકે છે અને એ એક જ એવી વસ્તુ છે જે પૃથ્વી ઉપર કુદરતી સ્વરૂપે વખતે વખત વિપુલ પ્રમાણમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રિવિધ રૂપે પ્રાપ્ત થાય છે. જળ એ સૌથી વિશેષ વિદ્યુતવાહક પદાર્થ છે. સૌથી વિશેષ વરાળથપાદક છે. બીજા પદાર્થો કરતાં એમેનિયા વાયુ અને પાણીને ઠંડાં કરવામાં આવે ત્યારે પ્રસરણ કરે છે, જે અન્ય પદાર્થો કરતા નથી. સજીવ પ્રક્રિયામાં પાણી નેંધપાત્ર છે. બધા જ પદાર્થો વત્તાઓછા પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે. લોહીમાં ૯/૧૦ ટકા પાણી છે. વિવિધ અવયવો પાણીને સંગ્રહ કરે છે. ઘણી બધી વસ્તુઓ શરીરમાંથી પાણી દ્વારા એક યા બીજ પ્રવાહીરૂપે પસાર થાય છે. આમ ભાજ: શરીરની અંદર પરિવહનનું માધ્યમ બની દેહને સ્વસ્થ રાખે છે. સ્વસ્થ શરીરમાં જ મન સ્વસ્થતા ધારણ કરી શકે છે. મનની સ્વસ્થતા સિવાય એહામુર્મિક ગતિ શક્ય નથી.'
“સ્વાધ્યાય', પૃ. ૨૭, અંતે ૩-, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, ૫. ૧૯-૨૧૨.
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૩૮૦ ૦૧૫. .
1 Prasad E. A V., Water quality in Bhavmisra's Bhavprakash-Page no-32-34,
For Private and Personal Use Only