SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ સુરેશ જોષીની “ મરણોત્તર”માં, આમ તે, વ્યક્તિગત અને સાંસ્કૃતિક ભૂમિકાએ જીવનના પ પડામાં ઉછરતા અને પિલાતા મરણની કથા છે. કથાનાયક મિત્ર સુધીરને ધરે પહોંચે છે ત્યારે ત્યાં હજ કોઈ મિત્રે આવ્યા નથી. તેથી તે એકલે પડે છે. પછી બધાં આવે છે, છતાં તે તેમની સાથે ભળી શકતા નથી. એ બધાં ત્યાં આમ તે સાથે છે, છતાં પ્રેમથી, ભાષાથી સંબંધથી સંધાઈ શકતાં નથી તેથી, તેઓ પણ એકલા છે. થોડી ગપસપ, થોડી ઠઠામશ્કરી, થોડા કસ, થોડી ચુસકીએ, થોડા નાચગાન–એમ ' જીવવાના પ્રયત્ન ” થાય છે. પણ એમને ઉપર જાણે કોઈ ઓછા પડી ગયા છે. એ બધા વડે પણ કોઈ “ જીવન', કોઈ સંબંધવિશ્વ રચાતું નથી. એમનાં જીવવાનાં હવાતિયામાં કથાનાયકને મરણ વિલસતું લાગે છે. કથાનાયક એ લેકો સાથે ભળી નથી શકતે એનું એક કારણ એ છે. બીજું કારણ મૃણાલની અનુપસ્થિતિ છે. મૃણાલને પ્રેમ કદાચ તેને જીવનમાં દમૂલ કરી શકયો હોત પણ હવે તેની સ્મરણશેષ ઉપસ્થિતિ તેને જીવનમાંથી ઊખેડી નાખે છે. આ ઊખડેલે, એકલે પડેલે, વિચાર, વિમાસ કથાનાયક હું પિતાની અંદર, પિતાની આજબાજ સર્વત્ર ઉછરતા મરણુથી સભાન થતું જાય છે. માનવ, તેને પ્રેમ, તેની ભાષા, તેના સંબંધે, તેને સમાજ, તેની સંસ્કૃતિ બધું ક્ષયગ્રસ્ત (decadence)થતું જાય છે, યુગ મરતે જાય છે. એની પિતાની અતિ સંવેદનશીલ (hyper sensitive) પ્રકૃતિ અને સન્નધ સંવિતિ ( hightened consciousness) ને કારણે અહેસાસ કરતા કથાનાયક તત્વત : પિતાના સ્વત્વ વિશે એક અધિકૃત (authentic) અનુભવ પામે છે. મૃત્યુના શારીરિક અનુભવ પૂર્વે મરણની અનુભૂતિ આત્મસાત થતાં તે એક પ્રતીતિ પામે છે. કાળબળે થતાં યુગમૃત્યુની અને સ્મરણશેષ પ્રેમ વડે નિજના મૃત્યુની અનુભૂતિ આત્મસાત થતાં તે જે પ્રતીતિ પામે છે તે તેના નાસ્તિમૂલક અસ્તની છે. ત્યાં સુધી પહોંચતા પહેલાં તે એક ભારે તનાવપૂર્ણ માનસિક પ્રક્રિયામાંથી પસાર થાય છે અને નિજરૂપની સભાનતા પામે છે. તેથી આ નાનું વિષયવસ્તુ પણ આત્મસભાનતા જેવી દાર્શનિક કોટિનું છે. લાભશંકરની “ કોણ' અને ચિનુ મોદીની “ભાવ અભાવ એ બે લઘુનવલોમાં વિષયવસ્તુ આમઅભિજ્ઞાનનું છે. “કોણ? 'માં સમાજ સાથે વ્યક્તિના કપાતા સંબંધની વાત રજ થઈ છે. એના નાયક વિનાયકને પત્ની છે, મિત્રો છે, ધર છે, એ નોકરી કરે છે છતાં એ બધાંથી તે અલગ છે, એકલો છે. એક નાની અમથી ઠેસ વાગતાં આમ થયું છે. પત્નીને કોઈ યુવાન સાથે સ્કૂટર પર જતી જોઈ, એના પર વહેમાઈ, રૂઢિગત જીવન અને સંસારિક જળજથ્થાઓ, માનવસંબંધ વિશે તે વિચાર કરતે થઈ જાય છે. સ્કૂટર પર પત્ની નહિ પરંતુ તેની સાથે આકતિસામ્ય ધરાવતી તેની બહેન, પત્નીની સાડી પહેરીને બેઠી હતી એવો ખુલાસો મળતાં તેનું શ્રમનિરસન તે થાય છે. પણ ઈચ્છાઓ, કામનાઓ, હર્ષશેકાદિનાં ઘૂમરાતાં જીવનવહેણોમાં હવે અવશ્યપણે ધસડાવું નથી, સભાન થઈ બધું જાણવું અનુભવવું છે એવો નિર્ણય કરી એ દિશામાં તે નક્કર પગલાં ભરવા માંડે છે. નોકરી, શહેર, સંબંધે, વ્યક્તિગત જરૂરિયાતે-બધાને છોડતા જાય છે. એમ કરતાં કેટલીક મૂંઝવણે અને કેટલાંક મંથને અનુભવવાં પડે છે. પરંતુ સચ્ચાઈ અને પ્રમાણિક્તાથી એ પિતાને ઉદ્દેશ બર લાવવા મથી રહે છે. બધાં જળાજસ્થાઓ અને સુખદખાદિ સંતાપથી ઉફરા જવાની દિશામાં અમેસર થઈ એ પોતાની જાતને ઓળખવા For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy