________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“નાટયકલામાં વાયદય”
છે. મૃગજળમાં જળ દેખાવું, તે આભાસયુક્ત જ્ઞાન છે અને તે ખરેખર જળ નથી, તેવી પ્રતીતિ થતાં, તે મિશ્યાજ્ઞાનમાં પરિણમે છે, જ્યારે ચિત્રમાંને છેડો ઘેડા સિવાય, અન્ય કોઈ પ્રાણીને આભાસ પેદા કરતા નથી. પ્રતિભાસ એ મિયાજ્ઞાનજન્ય પ્રતીતિ છે. “ચિત્રદુર્ગ” એ મિથ્યાજ્ઞાન નથી. એ તે કલા છે. કલાના ક્ષેત્રમાં કલ્પના સહાયક હેાય છે, પરંતુ તે ક૯૫ના વાસ્તવિક્તા પ્રત્યે દોરી જાય છે. એટલે કે સમ્યકજ્ઞાન પર તે આધારિત હોય છે. તેથી ચિત્રતુરગને મિથ્યાજ્ઞાનજન્ય પ્રતિભાસ તરીકે ઓળખાવી, તે ભૂલભરેલું છે. ભટ્ટ તૌતે તે ખંડનકર્તાની દૃષ્ટિથી પ્રતિભાસ' કહ્યો છે.
(૨ ) “દશરૂ૫ક 'ના કર્તા ધનંજયે ચિત્રતુરગન્યાયની બહુ સુંદર રીતે સ્પષ્ટતા કરી છે. ધનંજયના શબ્દોમાં :–
" क्रीडतां मृण्मयैर्यद्वत् बालानां द्विरयादिभिः ॥
स्वोत्साहः स्वदते तदच्छोतृणामजनादिभिः ।१० એક હૃદયંગમ ઉપમા વડે ધનંજય “ચિત્રતુરગ”ની ગ્રાહ્યતા સમજાવે છે , “જેમ માટીના બનાવેલા હાથી રમકડાંથી રમતાં બાળકો તેને સાચુકલે હાથી માનીને રમતને આનંદ લૂટે છે, તે જ રીતે નાટયમાં અર્જુન વગેરે પાત્રાને સાચા માનીને સહૃદય પ્રેક્ષકો તેમાંથી આનંદ મેળવે છે.' પૂવે હાથી ન જોયો હોય, તે પણ હાથી કેવો હોય, તેની કલ્પના બાળકો રમકડાં પરથી કરી લે છે. તે જ રીતે અર્જુન વગેરે પ સહુદય પ્રેક્ષકોએ જોયાં નથી, છતાં અનુર્તાની વેશભૂષા, અભિનય વગેરે પરથી અર્જુન વગેરે પાત્રોની કલપના પ્રેક્ષક કરી લે છે. એટલું જ નહિ, બાળકો રમકડાંમાથી આનંદ પ્રાપ્ત કરે છે. તે જ રીતે પ્રેક્ષકો નાટયસૃષ્ટિમાં તન્મય બનીને અનુકર્તામાં જ અર્જુન વગેરેની કલ્પના કરી લઈ, અવર્ણનીય આનંદ પ્રાપ્ત કરે છે. ‘ચિત્રતુરગ'નું આનાથી વધારે ગ્રાહ્ય સ્પષ્ટીકરણ શું હોઈ શંક ?
(૩) “કાવ્યપ્રકાશ'ના ટીકાકાર મહેશ્વરાચાર્ય “આદર્શ' ટીકામાં જણાવે છે કે (ચતુરગપ્રતીતિ એ આહાર્ય જ્ઞાન છે. આહાર્યજ્ઞાન એટલે ઈછાપૂર્વક પ્રયુક્ત કરેલું જ્ઞાન. તેમના શબ્દોમાં -
विरोधिनिश्चयवशायामिश्छाप्रयोज्यं ज्ञानम् आहार्यज्ञानमित्युच्यते, रामभिन्नत्वेन ज्ञाते नटे 'रामोऽयम्' इति ज्ञानमिश्छयैव सम्भवतीति तादृशझानस्याहार्यत्वमपपद्यते इति વાધ્યમ્ ૧૧
(૧૦) ધનંજય-દશરૂપક-સં. બેજનાથ પાંડેય
મોતીલાલ બનારસીદાસ, વારાણસી, ૧૯૭૨, ૪-૪૧, ૪૨. (11) Maheswarācārya --Kavyaprakāśa- Vol. I, Upraiti T.C., Parimal Publication, Delhi, 1985, Footnote, p. 98.
For Private and Personal Use Only