SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટયકલામાં વાયદય” ૨૯૭ વિશ્લેષણ કરતાં પહેલાં આપણે વ્યવહાર જગતની ચાર પ્રતીતિઓને પરિચય કરી લઈ એ. ન્યાયશાસ્ત્રમાં જ્ઞાનના ચાર પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. તેમાંથી સમ્યફજ્ઞાન સિવાયની પ્રતીતિઓને અયથાર્થ અનુભવ તરીકે ગણવામાં આવી છે. તે ચારેય પ્રતીતિએનાં લક્ષણો આ પ્રમાણે છે. (૧) સમ્યકજ્ઞાન-સમ્યફ એટલે વાસ્તવિક જગતના પદાર્થો વિશેનું યથાર્થ જ્ઞાન. એમાં પ્રમેયભૂત પદાર્થ અંગે પ્રમાતાને નિશ્ચિત પ્રતીતિવાળું જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૨) મિથ્યાજ્ઞાન-વ્યવહાર જગતમાં જે વસ્તુમાં જે ન હોય, તે જોવું. તેને ન્યાયમાં શ્રમ, વિપર્યય કે મિશ્યા જ્ઞાનથી ઓળખવામાં આવે છે. જેમકે, શક્તિમાં રજતને અભાવ હોવા છતાં ત્યાં રજત છે, તેવા પ્રકારનું જ્ઞાન થવું, તે મિશ્યા જ્ઞાન છે. મધ્ય જ્ઞાનની વિશિષ્ટતા એ છે કે તેની પાછળ ક્રિયા થતી જોવા મળે છે. જેમ કે, છીપમાં ૨૪તને ભ્રમ થતાં આપણે તે લેવા માટે દોડીએ છીએ. (૩) સંશવજ્ઞાન -- અમુક સંજોગોમાં એવું બને છે કે આપણે વસ્તુનું નિશ્ચિત જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. જ્ઞાનને વિષય બનતા પદાર્થનાં અમુક જ લક્ષણે સ્પષ્ટ થતાં હોય, ત્યારે દ્વિધા જમે છે. આવું દ્વિધાપૂર્ણ જ્ઞાન, તે સંશયજ્ઞાન. જેમકે ઝાડનું ટૂંકું અંધારામાં પુરષાકારે દેખાય ત્યારે આપણે નિશ્ચય કરી શકતા નથી, કે તે ઠુંઠું છે કે પુરુષ? આમ, એક જ પદાર્થમાં પરસ્પર વિરોધી વસ્તુઓને આભાસ થતાં, અનિશ્ચિત પ્રકારનું જ્ઞાન થાય, તેને સંશય કહે છે. (૪) સદશ્ય જ્ઞાન -ઘણીવાર, અપરિચિત પદાર્થને ખ્યાલ આપવા સદશ્ય ધરાવત, પરિચિત પદાર્થોને ઉલ્લેખ કરીને સ્પષ્ટતા કરવામાં આવે છે. પરિચિત પદાર્થ વિશેના જ્ઞાનનું અપરિચિત પદાર્થ પર આરોપણ કરવામાં આવે છે. આ પ્રકારે પ્રાપ્ત કરેલું જ્ઞાન તે સાદશ્ય જ્ઞાન જેમકે બળદ ન જોયું હોય, તેને કહેવામાં આવે, કે બળદ ગાય જેવો હોય છે. શંકકનું કહેવું છે કે આપણે જ્યારે નાટયપ્રયોગ નિહાળીએ છીએ ત્યારે નટમાં રામત્વનું આરોપણ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે, રંગમંચ પર રૌત્રમૈત્ર નામને નટ છે. પરંતુ રંગભૂમિ પર તેને અભિનય આપતે જોઈએ છીએ, ત્યારે આપણે તેને રામ તરીકે ગ્રહણ કરીએ છીએ. નાટ્યમાં તેના હર્ષ, શોકાદિ ભાવને રામના હર્ષશેકદિ માનીએ છીએ, ચૈત્રમૈત્રના નહિ. રંગભૂમિ સિવાય આપણને તે મળે, ત્યારે આપણે તેને રૌત્રમૈત્ર તરીકે ઓળખીએ છીએ, રામ તરીકે નહિ. આમ, એક જ વ્યક્તિને બે ભિન્નભિન્ન સ્વરૂપે ઓળખીએ છીએ. નટ એ રૌત્રમૈત્ર હોવા છતાં નાટ્યપ્રયોગ દરમ્યાન તેનામાં રામત્વ અનુભવાય છે, તેનું કારણ શું ? - શંકકના મતે જેમ ચિત્રમાં તુરગ જોઈને તુરગત્વની પ્રતીતિ થાય છે, તેમ નાટ્યમાં નટમાં રામત્વની પ્રતીતિ થાય છે. નાટ્યપ્રયોગ દરમ્યાન પ્રેક્ષક નટને રીત્રનેત્ર તરીકે ઓળખતે નથી, રામ તરીકે ઓળખે છે. આમ, રૌત્રમૈત્રનું વ્યક્તિગત અસ્તિત્વ પ્રયોગ દરમ્યાન લુપ્ત થઈ જાય છે. રંગભમિ પર પ્રેક્ષક તેને હસતે, વાતે કરતે, આંસુ સારતે જુએ છે, ત્યારે તે કહે છે. For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy