SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી જ રીતે સ્વરોનાં નામ અંગેની પણ વિગતો મળે છે. જેમકે પંચમ સ્વર નાભિ, હોઠ, કંઠ, મસ્તક અને હૃદય એવાં પાંચ સ્થાનોમાંથી નિર્માણ પામે છે તેથી તે પંચમ સ્વર કહેવાય છે. આ સાત સ્વરોના દેવો ક્રમશ: અગ્નિ, બ્રહ્મા, સરસ્વતી, ગણપતિ, સૂર્ય, નારાયણ મનાય છે. કોયલ પંચમ સ્વરની ગાયિકા છે. આ સ્વર તીવ્ર હોય છે. તીવ્ર સ્વર શૃંગારનું પ્રતીક છે. આ સ્વરના ભાવમાં શૃંગાર મુખ્ય છે. જેમાં પ્રેમ, વિરહ અને મિલનનો ભાવ રહેલો છે. સ્વરનો કરણ રસ પણ વિયોગ, વિલાપ, સ્મૃતિ જેવાં ભાવોને વ્યક્ત કરે છે. ભારતે આ રસો વિશેની ઊંડી સમજ આપી છે. ૫ ચિત્રકલાનાં આલેખનમાં વિરહ અને મિલનના ભાવોને વ્યક્ત કરવા માટે પ્રકૃતિ અને પશુ-પંખીઓનું પણ ચિત્રણ કરવામાં આવે છે. સાથે-સાથે તેને અનુરૂપ ઋતુઓનું પણ આલેખન કરવામાં આવે છે. કોયલની ભાવસૃષ્ટિ શૃંગાર છે અને ઋતુઓ વસંત અને વર્ષા છે. ચિત્રકલામાં કોયલનું આલેખન ભાવ અને ઋતુઓનાં સંદર્ભે એ જ પ્રકારે થયું છે. | કોયલ વસંતઋતુની સહચરી છે. તેને વસ્તુનું આગમન પ્રિય છે. તેથી જ આ ઋતુ આવતાં જ તેના સ્વરમાં ઉમંગ જોવા મળે છે. તેથી કોયલને વસંતની દૂતી માનવામાં આવે છે. આ સમયે ઠંડીથી ઠૂંઠવાયેલી પ્રકૃતિ આળસ મરડી ફરી ઊભી થાય છે ત્યારે આવા સમયે કોયલના ઉલ્લાસનું શું કહેવું ? કોયલ આ ઋતુમાં પ્રેમ, વિરહ અને મિલનનાં ભાવોને વ્યક્ત કરે છે. કોયલનાં પંચમસ્વરની તુલના કામદેવના પાંચેય બાણ સાથે કરવામાં આવી છે. કોયલની કૂકને કામદેવનો આદેશ માનવામાં આવે છે. કોયલનું નિવાસસ્થાન ઘટાદાર વૃક્ષો છે. ફૂલોથી લદાયેલાં વૃક્ષો છે. વસંતઋતુમાં ફૂલોથી ભરાયેલા સમૃદ્ધ ઘટાદાર વૃક્ષોનું બાહુલ્ય હોય છે. આ સમય કામદેવનો હોય છે. ત્યારે કોયલની ગુંજ વાતાવરણને સોહામણું બનાવે છે. વર્ષાઋતુમાં વૃક્ષો લીલાંછમ બની ઝૂમી ઊઠે છે ત્યારે પણ કોયલનો સ્વર વિરહ અને શૃંગારને વ્યક્ત કરે છે. ચિત્રકલામાં આવાં જ ભાવો સાથે કોયલનું ચિત્રણ થયું છે. પહાડી ચિત્રકલામાં કાવ્ય, સંગીત અને રંગોનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. પહાડી ચિત્રકલામાં ઘટાદાર વાદળો, દોડતી વીજળીઓ, પહાડ, જંગલ, ઘટાદાર વૃક્ષો, બતક, સારસ, મોર, ચકોર, કોયલ, પપીતા, પોપટ વગેરેનું સુંદર ચિત્રણ થયું છે. આ ચિત્રશૈલીમાં પક્ષીઓનું આલેખન નાયક-નાયિકાના ભાવો સાથે થયું છે. અહીં મોટે ભાગે નાયક કૃષ્ણ અને નાયિકા રાધા છે. કોયલ અને પપીહા એક જ કુળનાં પક્ષીઓ છે. તેથી તેઓ એક સરખા ભાવોને રજૂ કરે છે. આ પક્ષીઓની સાથે ઋતુઓનું પણ આલેખન થયું છે. કાંગડા ચિત્રશૈલી પહાડી ચિત્રકલાનો પ્રાણસમ છે. અહીં કેટલાંક ચિત્રો દ્વારા, ચિત્રોની શૃંગાર ભાવસૃષ્ટિમાં કોયલનું આલેખન એ ભાવસૃષ્ટિને વધુ મજબૂત અને સંગીતમય બનાવતી હોય તેમ લાગે છે તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એક બાજુ વાદળો ઘેરાયેલાં છે, વીજળી ચમકી રહી છે, કોયલ ગાઈ રહી છે, ભીનો પવન વહી રહ્યો છે. ત્યારે નાયિકા તેના પ્રિયતમને વળગીને વરસાદને કહી રહી છે કે મારો પ્રિયતમ મારી પાસે છે. તેને મારાથી દૂર ના કરીશ (જુઓ ચિત્ર-૧). વર્ષાઋતુના બીજા એક ચિત્રમાં પ્રિયતમા વાદળો તરફ આંગળી બતાવી જાણે કહી રહી છે કે મારો પ્રિયતમ જવાની વાત કરે છે પણ તું ન જતો અને એને પણ ન જવા દેતો, કારણ કે બધાં જ પ્રેમીજનો વર્ષાઋતુમાં મળે છે. ત્યારે ફૂલોની ડાળી પર બેઠેલી કોયલ પ્રિયતમની સામે જોઈ કહેતી હોય કે તારી પ્રિયતમા સાચી છે તેમ લાગે છે. (જુઓ ચિત્ર નં.૨) વર્ષાઋતુનાં એક ચિત્રમાં ઘેરાયેલાં કાળાં વાદળો, ચમકતી વીજળીઓ, ઘટાદાર વૃક્ષો અને તેનાં પર બેઠેલી કોયલો જાણે કૃષ્ણ-રાધાનાં મિલનને વધાવી રહી હોય તેમ લાગે છે. આજ ઋતુના મોરને પણ અહીં જોઈ શકાય છે. 126 સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ - માર્ચ, ૨૦૦૯ For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy