________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભગવાન મહાવીરના સમયનું ભારત ઃ ધર્મના પરિપ્રેક્ષ્યમાં
ડૉ. મનીષા આર. ઉપાધ્યાય*
રાજકીય ઇતિહાસમાં ઉત્તર ભારતમાં મગધના મહાજનપદનો અભ્યુદય થઈ રહ્યો હતો અને એની પશ્ચિમ સરહદના પ્રદેશોમાં ઈરાની સામ્રાજ્યની સત્તા પ્રવર્તતી હતી. તે દરમિયાન ઉત્તર ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં મહાન શ્રમણ સંપ્રદાયનો અભ્યુદય થયો. આર્યોના વેદ ધર્મમાં દેવોપાસના અને યજ્ઞક્રિયાઓને સ્થાને આરણ્યકો અને ઉપનિષદોમાં જણાવેલા ચિંતન તથા દર્શનનું મહત્ત્વ વધતું જતું હતું તેની સાથે સાથે વંદના, વચનો અને વિપ્રોના મંતવ્યોથી સ્વતંત્ર રીતે તત્ત્વચિંતન કરી સંસાર બંધનમાંથી મુક્તિ મેળવવાની જીવચર્યા દર્શાવતા જુદા જુદા દાર્શનિક સંપ્રદાયોનો અભ્યુદય થવા લાગ્યો. આમ આ સંપ્રદાય વધુ લોકપ્રિય અને વ્યાપક બન્યા. તેમાં વૈરાગ્ય અને સંયમ પર ભાર મૂકતા શ્રમણ ધર્મનું પ્રાધાન્ય રહેલું હતું. શ્રમણ પરંપરામાં કોઈપણ મનુષ્ય સ્વ પુરુષાર્થ વડે અર્હત પદ કે તીર્થંકર પદ મેળવી શકે છે. જીવનના આખરી ધ્યેયને સિદ્ધ કરવાને માટે અહિંસાને મુખ્ય સાધન ગણવામાં આવ્યું છે. શ્રમણ પરંપરામાં ધર્મભાવના, દર્શન અને તત્ત્વજ્ઞાન ‘અહિંસા’
શબ્દમાં વ્યક્ત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘જૈન ધર્મ' શ્રમણ ધર્મ અને નિગ્રંથ સંપ્રદાયના નામે જાણીતો થયેલો છે. ‘નિગ્રંથ' શબ્દનો અર્થ ગ્રંથિ વિનાનો અને બીજો અર્થ ધર્મોપદેશક થાય છે. આ નિગ્રંથ સંપ્રદાયમાં જે આચાર્યો અને સંતો થયા તેમણે તપ દ્વારા પોતાનાં મન, વાણી અને કાયાને તદ્દન જીતી લીધાં હતાં. આવા મહાપુરુષોને માનની દૃષ્ટિથી જિન” નામ આપવામાં આવ્યું છે. જિન સંસ્કૃતિ ધાતુ શ્રિ-જીતવું ઉપરથી થયેલો છે. તેનો અર્થ જેણે રાગ, દ્વેષ આદિ સર્વ દોષોમાંથી પોતાનું મન નિર્મળ કર્યું છે અને મન, વચન અને કાયા ઉપર સંપૂર્ણ કાબૂ મળવ્યો છે. તપ વડે પોતાના અંતરના શત્રુઓને હણીને તેમના ઉપર વિજય મેળવ્યો હોવાથી તેઓ ‘‘અર્હ”ને નામે પણ ઓળખાય છે. આ અદ્વૈતો કેવળ જ્ઞાન મેળવ્યા પછી “તીર્થ” એટલે કે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાઓના બનેલા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તેથી તેઓ તીર્થંકર કહેવાય છે. આથી તીર્થંકરો પોતાના ઉપદેશથી આ વિચિત્ર સંસારરૂપી સમુદ્રમાંથી અસંખ્ય જીવોને તારે છે. તેઓ ધર્મને નવીન સત્ય, નવો પ્રકાશ અને પુર્નજાગૃતિ આપી જગતનું કલ્યાણ કરે છે. જૈન મત અનુસાર ઋષભદેવથી માંડીને વર્ધમાન મહાવીર સુધીના ૨૪ તીર્થંકરો પ્રસિદ્ધ છે. જૈન ધર્મના ફેલાવાનો યશ કોઈ એક ઉપદેશકના નામે ચડેલો નથી, પરંતુ રાગ-દ્વેષના વિજેતા એવા અનેક જિનો” ના હાથે ફેલાવો થયેલો છે. જિનોએ પ્રતિપાદિત કરેલા ધર્મને “જૈનધર્મ” કહેવાય છે.
પહેલા તીર્થંકર ઋષભદેવ પછી બીજા ત્રેવીસ તીર્થંકરો થઈ ગયા જેમાંના પહેલા બાવીસ તીર્થંકરો વિશે ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. જૈન અનુશ્રુતિ અનુસાર બાવીસમા તીર્થંકર નેમિનાથ યાદવ કુળમાં જન્મ્યા હતા. તેઓ કૃષ્ણના પિત્રાઈ ભાઈ થતા હતા. નેમિનાથ વિશે કથા એવી છે કે પોતાના લગ્નના દિવસે ભોજન માટે અસંખ્ય પશુહિંસા થવાની હતી. આ જોઈને તેઓ ખૂબ દુ:ખી થયા અને લગ્નને બદલે તેમણે દીક્ષા ગ્રહણ કરી. તેઓ સૌરાષ્ટ્રમાં ગિરનારમાં કાલધર્મ પામ્યા હોવાથી ગિરનાર જૈનો માટે મહત્ત્વનું તીર્થ ગણાય છે.
૬૨
ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી પહેલા આશરે ૨૫૦ વર્ષ પર થયા હતા. તેમણે પોતાના આયુષ્યના ત્રીસમા વર્ષે સંસાર ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી અને લગભગ ૭૦ વર્ષ નિર્વાણ પ્રાપ્ત કરવા માટે ગાળ્યાં હતાં. તેમણે ઉપદેશેલા ધર્મમાં અહિંસા, સત્ય, અસ્તેય અને પરિગ્રહ એમ ચાર વ્રતોનો સમાવેશ થાય છે. તેમની ઐતિહાસિકતા પુરવાર થયેલી છે.
* સંશોધક સહાયક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ-૯,
For Private and Personal Use Only
સામીપ્ય : ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭