________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે જ્યારે ભૂખ્યો થાય છે (ખાવા ઇચ્છે છે), જ્યારે તરસ્યો થાય છે (પીવા ઇચ્છે છે), જ્યારે પોતાને સંતોષતો (પોતે આનંદ માણતો) નથી, એ (તા:) એની દીક્ષા(વિધિ) છે.
અહીં તા: સર્વનામ સમગ્ર વાક્યમાં શિષતિ, પિપાત, ન રક્ત પદોથી દર્શાવેલી દીક્ષાવિધિના સંદર્ભમાં યોજાયું છે. (૧૧) છા. ઉપ. ૭.૨૫.૧ (પા. ૪૦૧)
स एवाधस्तात् स उपरिस्तात् स पश्चात् स पुरस्तात् स दक्षिणत: स उत्तरतः स एवेदं सर्वमिति ।
તે નીચે, તે ઉપર, તે પશ્ચિમે, તે પૂર્વે, તે દક્ષિણે, તે ઉત્તરે, તે જ આ સર્વ જગતુ) છે.”
હ્યુમ (પા. ૨૬૧) આ વાક્યને ઉપર દર્શાવેલાં છા. ઉપ.નાં ઉદાહરણોમાં અપવાદ તરીકે ગણે છે; અને આ વાક્યના અંતિમ વિધાન ... હું સર્વાતિ માં આવતું : સર્વનામ પૂમાના સંદર્ભમાં યોજાયું છે; અને આની શરૂઆતમાં ચાલી આવતા ભૂમાના વર્ણનને લીધે, અહીં : સર્વનામે પૂમા ના સંદર્ભમાં પૂમ નાં જાતિ (કું.) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે; પરંતુ તે સર્વનામે વિધેય-પ્રથમા વિભક્તિ પદનાં નપું. એકવચન નથી સ્વીકાર્યા, એમ જણાવે છે. પરંતુ હ્યુમનું આ વિવરણ યથાર્થ નથી. કારણ કે આ આખું વાક્ય આનુષંગિક છે, અને તેનાં અધતાત, પતિત, વગેરે ક્રિયાવિશેષણો ઉપરથી અહીં કોઈ ગત્યાત્મક ક્રિયાપદ (દા.ત. “વિસ્તરે છે") અધ્યાહાર્ય (ellipsis) છે. આ રીતે ઉપર્યુક્ત વાક્યનો અર્થ એ થાય છે કે :
તે નીચે-ઉપર-પશ્ચિમે-પૂર્વે-દક્ષિણે-ઉત્તરે (વિસ્તરે છે); તે જ આ સર્વ (જગતમાં વિસ્તરે) છે.” સરખાવો મુંડક ઉપનિષદ્ ૨-૨-૧૧ (પા. ૩૩)
ब्रह्मैवेदममृतं, परस्ताद् ब्रह्म, पश्चाद् ब्रह्म, दक्षिणतश्चोत्तरेण- अधश्चोर्ध्वं च प्रसृतं, ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम् ।
બ્રહ્મ આ અમૃત છે, બ્રહ્મ પૂર્વમાં, બ્રહ્મ પશ્ચિમમાં, દક્ષિણમાં અને ઉત્તરે, નીચે અને ઉપર, પ્રસરેલું (છે) બ્રહ્મ જ આ બધે (વિશ્વ) અને અત્યંત બહોળા વિસ્તારમાં (પ્રસરે છે.)
અહીં ક્રિયાવિશેષણો (રસ્તાતિ, પથતિ, વગેરે) સાથે સ્પષ્ટ રીતે ગત્યાત્મક ક્રિયાપદ પ્ર+વૃ યોજાયું છે.
આ બધાં ઉદાહરણો (૧-૧૧) ઉપરથી સ્પષ્ટ થાય છે કે છો. ઉપ.ની વાક્યરચના વૈદિકવામયની ગદ્ય વાક્યરચનાની સમાન જાય છે. (જુઓ : “સર્વનામોની તારવણી” પરિશિષ્ટ ૧). ૬: ધ્રુવપંક્તિમાં તત્સત્યમ્ અને માતા :
ઉપર્યુક્ત (s ૪) વૈદિક ગદ્યમાં આવતી વાક્યરચનાના નિયમો તથા ઉદાહરણો ઉપરથી નિશ્ચિત થાય છે કે પ્રસ્તુત છા, ઉપ. ૬.૮-૧૬ની ધ્રુવપંક્તિમાં સંકળાયેલા તત્ સત્યમમાં તત્ સર્વનામ પૂર્વવર્તી મા (૫. એકવચન) ના સંદર્ભમાં યોજાયું છે, છતાં અહીં આ સર્વનામે તેના વિધેય-પ્રથમા-વિભક્તિ પદ સત્યમ નાં જાતિ (નપુ) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે, પરંતુ અખિHI નાં જાતિ-વચન (પુ. એકવચન) નથી સ્વીકાર્યા.
આ રીતે, પ્રસ્તુત ધ્રુવપંક્તિમાં સંકળાયેલા આત્મા માં સ: સર્વનામ જમાના સંદર્ભમાં છે તે સ્વાભાવિક સ્પષ્ટ થાય છે, કારણ કે, સઃ સર્વનામના સંદર્ભમાં રહેલો પૂર્વવર્તી ઇHI શબ્દ અને વિધેય પ્રથમાવિભક્તિ તરીકે રહેલો માત્મા શબ્દ, આ બંને શબ્દો ૫. એકવચનમાં છે, છતાં એમ કહી શકાય કે : સર્વનામે અહીં મણિમાના સંદર્ભમાં રહીને વિધેય પ્રથમાવિભક્તિ પદ માત્માના જાતિ (પુ.) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે.
વળી, આ ધ્રુવપંક્તિમાં અગમન પદ સિવાય બીજું એવું કોઈ પદ નથી કે જેનો સંદર્ભ : સર્વનામ સૂચવતું હોય. ઉપરાંત, આ ધ્રુવપંક્તિથી અન્યત્ર-બીજે સ્થળે -ક્યાંય : સર્વનામ માટે અન્ય કોઈ સંદર્ભ શોધવો પડે એવો કોઈ અગત્યનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી.
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૫૩
For Private and Personal Use Only