SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org છે. આ છતાં આ સમગ્ર સમયગાળા દરમ્યાન નરસિંહ ભક્તિનું જ પ્રાધાન્ય ગાય છે. વિશ્વવ્યાપી છતાં -સર્વાતીત પરબ્રહ્મ અન્યા પછી પણ કૃષ્ણ કૃષ્ણ તેા રહે જ છે. અને નરસિંહ કહે છે શ્યામના ચરણમાં ઇચ્છુ છું મરણુ રે !' “ભૂતળ ભક્તિ પદારથ માટું, બ્રહ્મલેાકમાં નાહીં રે ! પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અન્તે ચેારાસી માંહી રે !’ અને અને તેથી “હરિના જન તામુક્તિ ન માગે, માગે જનમાજનમ અવતાર રે! નિત સેવા નિત કી`ન ઓચ્છવ, નીરખવા નન્દકુમાર ૨ !” ક્રમે ક્રમે નરસિંહ. અન્તમુ ખ થતા ગયા અને તેની ભક્તિ ઊંડી અને દૃઢ બનતી ગઈ; સાથે સાથે તેને તેના કૃષ્ણુના સવવ્યાપી સ`ભૂતાન્તરાત્મા અને છતાં સર્વાતીત મહેશ્વરના સાક્ષાત્કાર થયાના અનુભવ થયા અને આ તમામને પેાતાની કાવ્યવાણીમાં ગાઈને તેણે પોતાને, પેાતાના જીવનને, ગુજરૃર ગિરાને, ગુજરાતના સસ્કારી જનસમાજને અને સૌને ધન્ય બનાવ્યા, કૃતકૃત્ય કર્યાં. નરસિ ંહ મહેતા આ રીતે ગુજરાત આખાનું બન બની ગયા. ધમ, ભક્તિ સાથે સાથે ક જીવનના સ`સ્કારનાં અમર મૂલ્યા તે પેલાના કથન દ્વારા આપી ગયા. તેમને સાહિત્યને અમર વારસા પણ તેઓ મૂકી ગયા. નરસિંહને ાટે યોગ્ય જ કહેવાયુ છે કે Acharya Shri Kailassagarsuri Gyanmandir “એની કવિતા પ્રયત્નસિદ્ધ કે લખવા ખાતર લખાયેલી કવિતા નથી. એ એક ભક્તની સાહજિક હૃદયવાણી છે, પણ એ વાણી સાચી કવિતા છે. નરસિંહ મુખ્યત્વે ભક્ત, એનું કવિપણુ આનુષ`ગિક જ, છતાં કવિ તરીકે ય તે મેટા છે. પંદરમા શતકનું જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્ય એને લીધે ઊજળુ છે.'' (અનંતરાય) મીરાંબાઈ v] કૃષ્ણની “મીરાં દાસી જનમ જનમકી'' પરણીને સાસરે જાય છે. કુલદેવીનું પૂજન કરવાની તે ના પાડે છે. તેને જુદો આવાસ આપવામાં આવે છે. આની સાથે જ તેના જીવન પર આપત્તિનાં વાદળા ઘેરાય છે, અને જીવનના સંધર્ષોં તથા માનસિક પરિતાપ શરૂ થાય છે. રાણા આવેશમાં તેને જીવ લેવા આવે છે, નિષ્ફળ જતાં વિષના પ્યાલા માકલે છે. હરિચરણામૃત ગણી મીરાં પૌ જાય છે. “અમૃત જોણી પી ગયાં મીરાં, જેને સાચ શ્રી વૈકુંઠેનાથ.' આ “વિષના પ્યાલા રાણે મેાકલ્યા” એ પ્રતીક રૂપે સંસારની ઉપાધિઓનાં વિષ પણુ ગણાય. તેને એક માત્ર કૃષ્ણુના, જનમ જનમના પ્રોતમના વિશ્વાસે મીરાં જીરવી જાય છે. છતાં આ જુક્ષ્માને ત્રાસ તે અનુભવે જ છે, તેને વ્યક્ત પણ કરે છે. સ્થિતિ એવી આવે છે કે— “રાણાજીના દેશમાં મારે,જળ રે પીવાના દોષ.' અને તે પેાતાના દેશ છેડે છે. ગેાપીભાવે, હૃદયના ઊંડામાં ઊંડા ભાવેામાં ભળી ગયેલા, જીવનનું રસાયન બની ગયેલા કૃષ્ણને પ્રીતમ માની મેળવવા પ્રયત્ન કરતી મીરાંએ ગુજરાતને પ્રેમલક્ષણા ભક્તિનું અનુપમ ઉદાહરણ પૂરું માડયુ છે. વેરાગી, સંતમહ ́ત, સાધુસંન્યાસીના સંગમાં મીરાં પેાતાનું જીવન વીતાવે છે. એક જ તેને ..સાધાર, વિશ્વાસ છે. તે ગાય છે... “ગાવિંદો પ્રાણ અમારા રે, મને જગ લાગ્યા ખા! રે! મને મારા રામજી ભાવે રે, બીજો મારી નજરે નાવે રે !'' [સામીપ્ય : આકટોબર, '૯૩-માર્ચ, ૧૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy