SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે એવો પ્રશ્ન થાય કે “રાજાના આંગણુ સુધી જનાર ખલ” એ તે કેવળ અશોભન જ છે. ત્યારે બાકીના બધા પદાર્થો શોભન જ છે. આથી આ ોગ પ્રમાણે અહીં સતની સાથે અસતને યોગ કેમ ન માની શકાય? રક આના પ્રત્યુત્તરમાં પ્રસ્તુત ઉદા.ને સદોષ બતાવતાં કહે છે કે “કૃપાળતઃ ત્ર” એ અંક્ષના કથનથી અહીં પ્રક્રમભંગને દોષ થાય છે. આથી આ તો સદોષ જ છે, સૌન્દર્યને હેતુ નથી. આમ આ અંશ ઉપેક્ષણીય છે. માટે મમ્મટ વગેરે અન્ય આચાર્યોએ આટલા અંશને “સહચર ભિન્નાથ” માનીને દોષયુક્ત જ કહ્યો છે. અહી ખલને તત્વ” ને કારણે શોભન તથા સ્વત: દુષ્ટ હોવાથી અશોભન માનીને સમર્થન કરવું જોઈએ. પરંતુ આમ સ્વીકારવા છતાં પણુ દોષને સર્વથા નિરાસ થતો નથી કારણ કે આરંભ વિશેષ્યની શોભનતા અને વિશેષણની અશભનતાથી થયો છે. જ્યારે અહીં પરિસ્થિતિ ઊલટી જ છે.૩ અહી' વિશેષણગત શોભનત્વ પહેલાં અને વિશેષગત અશભનવ પછી આવ્યું છે. ટકમાં આ પ્રકારના સમુચ્ચયમાં શશી, કામિની, સરોવર, મુખ, સ્વામી અને સજજન આ છ સ્વત: તો શોભન જ છે પણ તદ્દતદ્ પરિસ્થિતિને કારણે અશોભનીય બન્યા છે જ્યારે ખલ સ્વત: અશોભન હોવાથી સહચરભિન્નત્વને દોષ આવે છે. કદાચ નૃપાંગણને સદાશોભન ગણી લઈએ તો પણ વિશેષ્યને બદલે અહી' વિશેષણ પહેલાં આવ્યું હોવાથી પ્રક્રમભંગનો દોષ તો રહે જ છે.' આ ઉદા.ને વિશેષ સ્પષ્ટ કરવા સુચ્યક પુનઃ એક પૂર્વપક્ષ નિરૂપે છે. તુરા: મરમાળા વગેરે સમુચ્ચયના (અસદ્યોગ સમુચ્ચયના) ઉદા.માં પણ સારી ત્રિવધૂત ઇત્યાદિની જેમ જ સદસઘોગ શા માટે ન માની શકાય ? સિહાની જણાવે છે કે. એવું નથી કારણ કે, બને પવોમાં કવિની વિરક્ષા ભિન્ન ભિન્ન છે. શશિ દિવસ ઇત્યાદિ પદ્યમાં કવિની વિવક્ષા એવી છે કે પદાર્થો શેભન હોવા છતાં પણ પદાર્થો વિશેષમાં અશોભનતા છે, કારણવશાત અશોભનતા આવી ગઈ છે. જેમ કે ચન્દ્રની ધૂસરતા દિવસને લીધે છે. જ્યારે રા: વગેરેમાં સ્મરબા વગેરે પદાર્થો “સર્વથા અશોભન છે” એવી કવિ વિવક્ષા છે. આમ બંનેમાં અંતર છે. માટે જ તે એકમાં “મારા મનમાં સાત શક્ય છે' એવો ઉપસંહાર કરવામાં આવ્યો છે. કારણ કે પહાથ સુદર હેવાથી હૃદયમાં સ્થાન તે પામે છે પરંતુ વ્યથાજનક સિદ્ધ થતાં તે અશોભન સિદ્ધ થાય છે, જ્યારે તુવરા: ક્ષમાળા: વગેરે પદ્યમાં “કેમ સહન થાય?” રવામાં આવ્યો છે, તેની પાછળ આ પદાર્થો અશુભ છે એવો અભિપ્રાય રહેલ છે. આમ સમુરચય અલગ જ છે. વિશ્વનાથ યકને અનુસરીને જ આ ઉદા.ની સમીક્ષા કરે છે. इह केचिदाहु: शशिप्रभतीनां शोभनत्व खलस्याशोभनत्व चेति सदसद्योगः इति । अन्ये तु शशिप्रभृतीनां स्वतः शोभनत्व धूसरत्वादीनां त्वशोभनत्वमिति सदसद्योगः । | (સાહિત્યદર્પણ, ૧૦.૮૫ પરની વૃત્તિ) સ્પષ્ટ છે કે દ્વિતીય મત વ્યક છે. વિશ્વનાથ આ જ વૃત્તિમાં આગળ નેધે છે કે અહીં શશિ વગેરેમાં ધૂસર વગેરેનું અત્યંત અનુચિતત્વ છે તે વિછિત્તિવિશેષ માટે છે અને તેથી ચમત્કાર સર્જાય છે. મનસિ સત્ત, વગેરે ૧૫૨] [સામીઓઃ ઍકટોબર, ’૯૩–માર્ચ, ૧૯૮૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy