SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 - અહીં પ્રથમ સંદર્ભમાં સાહિત્યશાસ્ત્રીય અથ રહે છે. સાધિ-સમાધિ નામે એક કાવ્યગુણ છે તથા એક અલ'કાર પણ તે નામે મળે છે. પરંતુ, આ બને પૈકી કોઈપણ અર્થમાં સમાધિ પદ અહીં પ્રયોજાયું નથી. બલકે સમાધિ એટલે ખાનાવસ્થા એ અર્થમાં તે એક કરતાં વધુ વાર પ્રયોજાયું છે, જેમ કે; ૧. ......સમાધિમરયામુપાર્િ મા . (૧.૨૨ b). ......સમાધિમેકમ મન્નતિ (૩.૪૦ d) ૩. ......fટ થવથા સમાધિવચમ્ (૩.૫૦ b) ૪. .....સમાધિમાથાય તો મિરાતમન: . (૫૨ b) ૫. અાપત્તામઢ સમાધિન......(૫.૪૫ c). ૦ દિચ—આ શબ્દપ્રયોગ બે વાર થયો છે, જેમ કે; ૧. .....તલાલસાનિવ પ્રયુન્નતે (૫.૩૫ d) ૨. ......વિછે સાદરચક્રથા પ્રસક્રમ (૭,૧૬ d) આ સંદર્ભો સ્પષ્ટ રીતે સાહિત્યશાસ્ત્રીય જણાય છે. ૦ સવિત–આ પદ બે વાર પ્રયોજાયું છે અને દેખીતી રીતે તો તેમાં અનમિતિવાદનો સત જણાય છે. પરંતુ તે વ્યંજના તરફ હોઈ શકે. તે સંદભો આ પ્રમાણે છે: ૧. ...ત્રપુરાસ્ટિાદ્રસૂતિઃ (૪.૧૪ b) ૨. ન મૂતિમિરષ્ટામિરિ'મૂતામિ ચિંતઃા (ઉ.૨૬ d). ૌમાર્ચ–તે નામે એક કાવ્યગુણ વિચારાયો છે. પરંતુ કાવ્યગુણના શાસ્ત્રીય અર્થથી જુદા જ અર્થને વિષે તેનો ઉલ્લેખ બે વાર થયો છે, જેમ કે ૧. શિવપુષ્પાજકુમાથી.. (૧.૪૧ ૩) ૨. મૃણાસ્ટફૂત્રાષિસૌદમા'... (૩૪૯ c) આ રીતે લગભગ પચાસસાઠ જેટલી કાવ્યશાસ્ત્રીય વિગતો એક અથવા એક કરતાં વધારે વાર કમારસંભવમાં ઉલ્લેખ પામી છે. તે સર્વમાં કાવ્યશાસ્ત્રીય સંકેત જેવા જતાં સ્પષ્ટ થયું કે બધા જ સંદર્ભોમાં કાવ્યશાસ્ત્રીય સંસ્કાર નથી તેમ છતાં લગભગ અડધા એટલે કે ત્રીસેક જેટલા સંદર્ભે શહ સાહિત્યશાસ્ત્રીય સંસ્કારવાળા જણાય છે તેમાં અંગહાર, અભિનય વગેરે જેવા કેટલાક પ્રથમતઃ નાટયશાસ્ત્રીય કહી શકાય તેવા સંદર્ભો પણ છે તથા શબ્દ, અર્થ, પદ, ભાવ, ૨સ વગેરેને લગતા તથા અભિધા, વ્યંજના, ઉપમા વગેરેનો સ્પષ્ટ સંકેત કરતા કાવ્યશાસ્ત્રીય સંદર્ભો પણ છે. અલબત્ત કાવ્યશાસ્ત્રનાં જે વિભિન્ન તો સ્વીકારાયાં છે તે ધ્વનિ, ગુણ, દોષ વગેરેને નિર્દેશ શુદ્ધ કાવ્યશાત્ર સંસ્કારથી નહીં પણ કેવળ સામાન્ય કાશગત અભિધાથમાં થયેલું જણાય છે આ દ્વારા એ તારણ ઉપર પહોંચી શકાય કે કાલિદાસ એમના સમયના કાવ્યશાસ્ત્ર તથા નાયશાસ્ત્રની પરિભાષાથી અનભિજ્ઞ તે નહીં જ હોય અને એમના પ્રયોગોએ અનુગામી સાહિત્યશાસ્ત્રીય પરંપરાઓને કંડારવા માં સેતુ બાંધી આપ્યો એમ કહીએ તો તે યથાર્થોક્તિ જ લેખાશે. ૫• ]. [સામીપ્ય; ઑકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy