SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બધા પ્રસંગે હિમાલયમાં બને છે તેથી પ્રકૃતિનાં કોમળ તવાના કૅમુકાતર વર્ણનને પિતાને સ્વભાવ છેઠી કવિ હિમાલયનું ભવ્ય વર્ણન કરે છે અને એ રીતે યોગ્ય ભૂમિકા માં છે, આ કાવ્યમાં કંઈક અસામાન્ય, કંઈક ગૌરવભયુ* વહુ પિતે આપવા માગે છે એવી પ્રતીતિ કવિ પ. સ્થિત કરે છે; જે જાતની કલા પુરાકારને હસ્તગત નથી, તારકના જન્મની લાંબી થા, તેના દામ્પત્યની વાતો, તેના તપની કથા, તેનું પ્રથમ યુદ્ધ અને દેવોની હાર વગેરે પ્રસંગે છોડી, તેના પછીના પ્રસંગેથી જ કવિ પિતાને કાવ્યને આરંભ કરે છે. પુરાણ કથામાં વરદાન આપ્યા બાદ પણ અને દેવને તારકના અંતનો ઉપાય સૂચવ્યા બાદ પણ દેવનું ધાર્યું થાય એ બાબતને રસ લેતા બ્રહ્માને બતાવ્યા છે, એ તત્ત્વ કવિ છેડી દે છે. એના બદલે કાલિદાસની કૃતિમાં બ્રહ્મા પોતે જ તારકને વચન આપ્યું છે તે વાત કહી ઉમેરે છે કે ‘વિષવૃક્ષ ઉછેરીને જાતે છેદવું, યોગ્ય ના'–વિપકોડનિ સવર્ણ વં' હેરાHarnતમ્ (૨.૫૬) યોગ્ય રીતે જ આથી બ્રહ્માનું ગૌરવ જળવાય છે. - ઇન્દ્ર કામને આજ્ઞા કરે ત્યારે ઇન્દ્રને બોધ આપે એ પુરાણની અનુચિત વાત અને વળી અંતે તપોભંગ કરવા જાય એ તત્ત્વ છોડી કાલિદાસ કામને અભિમાની, ખેતી મોટાઈમાં રત અને સ્વપ્રશસ્તિ મસ્ત બતાવે છે. કામ કહે છે કે, “તારી કૃપાથી કુસુમાયુદ્ધો છતાં, સહાયમાં માત્ર વસંત મહારે; ધયયુતિ શંકરનીય હું કરું, બાણવાળી કો મુજ શો ન જાણશે.” तव प्रसादात्कुसुमायुधोऽपि सहायमेक मधुमेव लब्ध्वा । कुर्यां हरस्यापि पिनाकपाणेः धैर्यच्युति के मम धन्विनोऽन्ये ॥ (३.१०) ત્યારે આવા અભિમાનીને તે અંત જ આવવો જોઈએ.” એ ભાવ વાચકના મનમાં જાગે છે. પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ખૂબ વિલાપ બાદ પતિએ શિવને પ્રાર્થના કરી અને શિવે તેને વરદાન આપ્યું. એ પ્રસંગ છોડી કવિ કહે છે કે क्रोधं प्रभो सहर संहरेति यावदगिरः खे मरुतां चरन्ति । तावत्स वह्निभवनेत्रजन्मा भस्मावशेष मदन चकार || (३.७२) એ રીતે બન્યું અને તરત પોતાના ગણે સહિત શિવ અદશ્ય થઈ ગયા. પાર્વતીની મનોવ્યથા અને રતિવિલાપ સર્જવા માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવા આ તદ્દન જરૂરી છે. કવિએ એ બાબત પર ભાર મૂકે છે કે પોતાના સૌદર્યથી શિવને જીતવામાં નિષ્ફળ જવાથી નિનિઃ ૪૩ હૃન ાવંતી (૬.૨) અને માતાએ કહ્યું કે, તે : 4 વત્સ + ૨ તા ૦૬: (ઉ.૪) તે છતાં તપ દ્વારા જ શિવને જીતવાનો નિર્ણય તેણે કર્યો. દામ્પત્ય ભાવનાના મૂળમાં હિન્દુ જીવન અને દશનની જે ઉદાત્ત આમેયની ભાવના રહેલી છે તે આથી જ નિષ્પન્ન થાય છે. આટલા માટે તે કવિ આ કૃતિ લખે છે. ટાગોર કહે છે તેમ, “કાલિદાસે અનાદત પ્રેમના તે ઉન્મત્ત સૌદર્યની ઉપેક્ષા કરી નથી. તેને તેમણે તરુણ લાવણ્યના ઉજજવલ રંગે જ ચીતર્યો છે. પરંતુ આ અતિ ઉજજવળતામાં જ તેમણે પોતાના કાવ્યને સમાપ્ત કર્યું' નથી. જે પ્રશાત વિરલવણી પરિણામ તરફ તેઓ પોતાને કાવ્યને પહોંચાડે છે, તે જ તેમને કાવ્યનું અંતિમ લય છે.” (પ્રાચીન સાહિત્ય). પાવતીના તપનું કાલિદાસનું વર્ણન તેનું પોતાનું અનોખુ' સજન છે, જે પુરાણુવનથી જરા પણ પ્રેરાયું નથી. પુરાણમાં ઘણી બાબતમાં, ઘણી વખત મુનિઓનું જે વ્યવધાન હોય છે તે મુસ્યપુરાણ અને કુમારસંભવનું કમાત~] [૨૨ For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy