SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org i Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેચરીમુદ્રા : જીભને તાળવાના મૂળના છિદ્રમાં ગાઢવીને દૃષ્ટિને ભ્રમષ્ય સ્થાને સ્થિર કરવાથી ખેચરી મુદ્રા બને છે. જાલ ધર્મ ધ : હડપચીને દઢતાપૂર્વક હૃદય (છાતી) પર દાખી ચિત્તને એકાગ્ર કરવાથી આ અધ થાય છે. આ બંધ અમૃતરસની રક્ષા કરે છે.ચૈાગશાસ્ત્ર' અનુસાર, મનુષ્યના કપાલમાં રહેલા સહસ્ર લકમલમાંથી અમૃતદ્રવ(અમૃતરસ) સતત દ્રવે છે અને તે પ્રત્યેક મનુષ્યની નાભિમાં રહેલ અગ્નિ દ્વારા બન્યા કરે છે. Ed नाभिस्थोऽग्निः कपालस्य सहस्रकमलच्युतम् । અમૃત" સÖવા તાવમ્ અન્તવ`રુતિ વૈદિનાનું ||૧૩ જાલ ધરબ"ધના અભ્યાસથી નાભિ–અગ્નિ, એ અમૃતદ્રવને પ્રદીપ્ત રાખવા અસમથ બને છે. વસ્તુત: એ રસ સહસ્રલકમલમાં જ સાષાય છે. આને લઈને યાગીને દૈતુ અમર બને છે. ઉડ્ડયાણમધ : આ બધના અભ્યાસથી યાગી વને રેકી નવયૌવનનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. આમાં યાગીએ પેટને નાભિની ઉપર અને નીચે અંદરની બાજુએ ખેરંચવાનુ' હાય છે. માગશાસ્ત્ર' અનુસાર લાગલાગટ છ માસ અભ્યાસ કરવાથી તે નિ:શંક મૃત્યુ પર જય મેળવે છે. મૂલમધ : આમાં યેાગી ગુદાની નીચે પેાતાના પગની પાની એવી રીતે મૂકે છે કે જેથી એ ભાગ ખાય. ત્યાર બાદ એ અપાનવાયુને એવી રીતે દુખાવે કે જેથી એ વાયુને ઉપર ચઢવાની ફરજ પડે. આ મૂલબંધને લઈને પ્રાણ અને અપાન, નાદ અને બિદું એક થાય છે અને ત્યારે યોગમાં સપૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે. વિપરીતકરણી : વિપરીતકરણીથી સબ્યાધિઓને નાશ થાય છે. એના નિત્ય અભ્યાસથી જઠરાગ્નિ અત્યંત પ્રબળ બને છે. તેથી એવા અભ્યાસ માટે પૂરતા ખારાક ઉપલબ્ધ થવા જોઈએ, જે પ્રમાણ અને ગુણવત્તાની દૃષ્ટિએ અપૂરતા ખારાક હાય તા જઠરાગ્નિ દાહ ઉત્પન્ન કરીને ઘડીના છઠ્ઠા ભાગમાં એના જ શરીરને ભરખવા માંડે છે. આમ થવાનું કારણ એ છે કે આ ક્રિયામાં ‘” ઉપર આવે છે અને ચંદ્ર' નીચે જાય છે. વિપરીતકરણીની ક્રિયા શીર્ષાંસન વડે થાય છે. આમાં મસ્તક ઉપર ઊભા થવાનું હોય છે અને પગ ઉપર રહે છે. આ ક્રિયા શરૂઆતમાં એક ક્ષણુ (અર્થાત્ સહેજવાર) કરવી જઈએ અને ત્યાર બાદ ધીમે ધીમે નિશ્ચત સમયાવધિ વધારતા જવું જોઈએ. જો દરાજ એક યમ (=ત્રણ કલાક) સુધી અભ્યાસ થાય તેા કુરાગ જેવા અનેક અસાધ્ય ગણાતા રાગો પણ છ માસમાં નાશ પામે છે. જોલિ : આ ક્રિયાને બધા યાગીએ ગુપ્ત રાખે છે. એનું જ્ઞાન પણ ગુપ્ત રખાય છે. પેાતાના આત્મા જેટલી જ પ્રિય વ્યક્તિને આ જ્ઞાન આપી શકાય છે. આ ક્રિયા કરવામાં પાણી, દૂધ અને ઘીને મૂત્રમાર્ગે' ખે'ચવામાં આવે છે. એવી રીતે 'ગરસદ્રવ (વી')ને ખેંચવામાં આવે છે.૧૪ આ ક્રિયા– સિદ્ધ ચેાગી નિયમબદ્ધ કે નિયમ–રહિત થઈને સ્વેચ્છાએ જેમ જીવવું હેાય તેમ જીવે છે. અલબત્ત, એ સર્વસિદ્ધિઓને સ્વામિ તેા હોય જ છે. વજ્રોલિ સિદ્ધ થયા બાદ અમરેાલિ અને સદ્ઘજોલિની ક્રિયાઆને અભ્યાસ થાય છે. અલબત્ત, એનેા અભ્યાસ સિહોની સાંપ્રદાયિક પદ્ધતિ અનુસાર કરાય છે. યોગશાસ્ત્ર'માં એનું વર્ચુન કરવામાં આવ્યું નથી. આ ક્રિયાએ ક્રમે ક્રમે સિદ્ધ થતાં, રાજયાગ સિદ્ધ થાય છે. યોગશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં દત્તાત્રેયી યોગપતિ ] * [ ૧૫ For Private and Personal Use Only
SR No.535783
Book TitleSamipya 1992 Vol 09 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages95
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy