________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબા
ડો. મીનળ શેલત સમ્રાટ સમ્પતિ મ્યુઝીયમ :
અમદાવાદ-ગાંધીનગર રાજમાર્ગ પર સાબરમતી નદીના તીરે સુરમ્ય વૃક્ષોથી દોરાયેલ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર- કોબા જ્ઞાનતીર્થ પ્રાકૃતિક શાન્તિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરાવે છે. આ કેન્દ્રની સ્થાપના ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના પ્રશિષ્ય યુગદેખા આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદથી ૨૬ ડિસેમ્બર ૧૯૮૦માં થઈ હતી. અહીં ધર્મ, આરાધના અને જ્ઞાન સાધનાની કોઈ એકાદ પ્રવૃત્તિ જ નહી પરંતુ જ્ઞાન અને ધર્મની અનેક પ્રવૃત્તિઓ થાય છે. જેના ઉત્તમ નમૂના ત્યાંનું સમ્રાટ સંમ્પતિ સંગ્રહાલય, હસ્તપ્રત ભાંડાગાર, (મ્યુઝિયમ) અને કમ્યુટરરાઈઝ શોધ કેન્દ્ર છે.
આ જ્ઞાનમંદિરના પ્રથમ મજલા પર સમ્રાટ સમ્મતિ સંગ્રહાલય આવેલું છે. પુરાતત્ત્વવિદો અને જિજ્ઞાસુ માટે પ્રાચીન ભારતીય શિલ્પ તથા કલા પરંપરાનાં ગૌરવમય દર્શન આ સ્થળ પર થાય છે. પાષાણ (પથ્થર) તથા ધાતુ મૂર્તિઓ, તાડપત્ર તથા કાગળ પટ લખેલ પાંડુલિપિ, લઘુચિત્ર, વિજ્ઞપ્તિપત્ર, લાકડા તથા હાથીદાંતથી બનેલ પ્રાચીન તથા અર્વાચીન અદ્વિતીય કલાકૃતિઓ તથા અન્ય પુરાવસ્તુકીય વસ્તુઓને બહુ જ પ્રભાવશાળી ઢંગથી ધાર્મિક તથા સાંસ્કૃતિક ગૌરવને અનુરૂપ પ્રદર્શિત કરાઈ છે.
આ સંગ્રહાલયનું વિશિષ્ટ આકર્ષણ પરમહંત કુમારપાળ ખંડ છે. જ્યાં વિશેષ રૂપે જૈન શ્રતની શ્રવણ પરંપરાથી શરૂ કરી શિલા, તામ્રપત્ર ભૂપત્ર, તાડપત્ર તથા હાથથી બનેલ કાગળ પર લેખન કલાના વિકાસ પ્રક્રિયા (યાત્રા) દર્શાવી છે. જેને જોઈને આપણને આપણા પૂર્વજો દ્વારા મેળવેલ આધ્યાત્મિક ઉત્કર્ષ, સાંસ્કૃતિક ગૌરવ તથા કલાની શ્રેષ્ઠતાના દર્શન થાય છે. સંગ્રહાલયને વધુ સમૃદ્ધ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. તથા સમય-સમય પર વિશિષ્ટ પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવે છે. શ્રત સરિતા ' શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આવતા દર્શનાર્થીઓ તથા જ્ઞાન-વિપાસુઓને અહીં યોગ્ય કિંમતે જૈન સાહિત્ય તથા આરાધના સામગ્રી ઉપલબ્ધ થઈ શકે છે. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર :
અહીં લગભગ બે લાખથી વધુ પ્રાચીન દુર્લભ હસ્તલિખિત શાસ્ત્રગ્રંથ (પ્રતો) સંગ્રહાયેલ છે. જેમાં આગમ, ન્યાય, દર્શન, યોગ, વ્યાકરણ, ઇતિહાસ આદિ વિષયો સંબંધિત જ્ઞાનનો ભંડાર છે. આ ભાંડાગારમાં 300 થી વધુ પ્રાચીન તથા અમૂલ્ય તાડપત્રીય ગ્રંથ સંગૃહીત છે. આટલો વિશાળ સંગ્રહ કોઈ પણ જ્ઞાનભંડાર માટે ગૌરવનો વિષય છે. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી એ પોતાની સમગ્ર ભારતની પદયાત્રા દરમ્યાન નાનાં-નાનાં ગામોમાં અસુરદ્ધિત, ઉપેક્ષિત તથા નષ્ટ થઈ રહેલ ભારતીય સંસ્કૃતિની આ અમૂલ્ય (નિધિ) લોકોને પ્રેરિત કરી સંગૃહીત કરાવી છે. જેમાં અનેક હસ્તલિખિત ગ્રંથ સુવર્ણ તથા રજતથી આલેખિત છે તથા સેંકડો સચિત્ર છે.
અહીં આ બહુમૂલ્ય કૃતિઓને વિશેષ રૂપથી બનેલ ઋતુજન્ય દીપોથી મુક્ત ઓરડાઓમાં પારંપરિક ઢંગ (પરંપરાગત રીત)થી વિશિષ્ટ પ્રકારની લાકડાની પેટીમાં સંરક્ષિત કરવામાં આવી છે. ક્ષતિ પામેલ પ્રતોને રાસાયણિક પ્રક્રિયાથી સુરક્ષિત કરવાની વિશાળ યોજના છે. મહત્ત્વપૂર્ણ ગ્રંથોની માઈક્રોફિલ્મ, કમ્યુટર સ્કેનિંગ (કમ્યુટર પ્રિન્ટ) કરવાની પણ યોજના છે.
* પ્રાધ્યાપક, ઇતિહાસ વિભાગ, શ્રી એચ.કે.આર્ટ્સ કૉલેજ, અમદાવાદ-૯
પથિક • દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૧૬
For Private and Personal Use Only