SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે દીકરી તેનો તેને ખ્યાલ હોય તેમ લાગતું નથી. કારણ કે તેણે “રાજાઓની મહિલાઓમાં એક પદ્મિની નામની સ્ત્રી પણ છે” એ પ્રકારનું વિધાન કર્યું છે. વળી ક્યાંક રાજા સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ કરવા માટે “રાયની દીકરી” કે “ઝન” જેવો શબ્દ પ્રયોગ કરે છે. (૩) દિલ્હીથી કેદ મુક્ત થઈને પરત આવ્યા પછી રાણાએ બજાવેલ કામગીરીનું વૃત્તાંત પણ યથાર્થ હોય તેમ લાગતું નથી. ફક્ત ખીજરખાનને ચિતોડ છોડીને દિલ્હી પરત આવવું પડ્યું એટલી વાત સાચી છે. આમ છતાં ખીજરખાને ચિતોડ ખાલી કર્યાનું તે જે વર્ષ આપે છે તે પણ બરાબર નથી. હાજી ઉદ્દબીરનું વૃત્તાંત :- હાજી ઉદ્દબીર પોતાના અરબી ઇતિહાસમાં પદ્મિનીની આ ઘટનાનો ઉલ્લેખ કરે છે. તેનું આ વૃત્તાંત પણ પદ્માવતની રચના પછી ૮૦ વર્ષે લખાયેલું છે. પરિણામે તેના અહેવાલમાં વિવિધતા વિશેષ છે. આ ગ્રંથની બે પ્રતો મળે છે. તેમાં પ્રથમ પ્રતમાં તે પદ્મિનીનું નામ આપતો નથી પરંતુ અધ્યાહાર તરીકે ચિતોડનાં રાણાની પત્ની એવો શબ્દ પ્રયોજે છે. જ્યારે બીજી પ્રતમાં વિશેષ વિગત છે જે પદ્માવતને લગભગ મળતી જ છે. તફાવત ફક્ત એટલો છે કે અહીયાં દાસી સ્વરૂપે ૨૫૦૦૦ યોદ્ધાઓ રાજા અને અલાઉદ્દીન મુક્તિની શરતને નક્કી કરવા મંત્રણા કરતા હતા ત્યારે આવી પહોંચે છે. અને તુર્કી સૈનિકોને હરાવી રાજાને મુક્ત કરાવવામાં સફળ થાય છે. હાજી ઉદ્દબીર જાયસી અને ફીરીસ્તા કરતાં એક ડગલું આગળ વધીને પુનઃ ચિતોડ કબજે કરવાના અલાઉદ્દીનના નિષ્ફળ પ્રયાસોની પણ વિગત નોંધે છે. તેના જણાવ્યા પ્રમાણે સુલતાને જોયુંકે લશ્કરી બળથી ચિતોડ જીતી શકાશે નહિ તેથી તેણે રજપૂતોમાં ફાટફૂટ પડાવવા માટે રાણાનીજ એક ભાણેજને ચિતોડના સુબા તરીકે નીમી દીધી. પરંતુ સુલતાનના આ પગલાથી રજપૂતોમાં ફાટફૂટ પડવાને બદલે એક થઈ ગયા કારણ કે રાણાની ભાણેજ સુલતાનને જ પરણી હતી. તેથી રાજસ્થાનના હિન્દુ સમાજમાં તેને ધિક્કારવામાં આવતી હતી. પરિણામે રાણાની આ ભાણેજને તેના થોડા સૈનિકો સાથે હરાવીને મારી નાખવામાં આવી અને ચિતોડ પર પુનઃ હિન્દુ સમાની સ્થાપના કરાઈ. હાજી ઉહબીરના મતનું પરીક્ષણ :- હાજી ઉદ્ધબીરનો ઉપરોક્ત અહેવાલ વાંચતાં સ્પષ્ટ થાય છે કે તે પોતાના લખાણમાં ડગલેને પગલે વિરોધ ભાષી વિગતો નોંધે છે. પોતાના સમગ્ર વૃત્તાંતમાં તે ક્યાંય રાણા રતનસિંહનું નામ આપતો નથી અને ઘટનાનું મુખ્યપાત્ર પદ્મિનીને પણ અસંદિગ્ધ સંદર્ભમાં રજૂ કરે છે જે વાંચતાં એવું લાગે છે કે, સ્વયં લેખકને પોતાના પરપણ વિશ્વાસ નથી. કારણકે અલાઉદ્દીન દ્વારા પદ્મિનીની માગણી ચિતોડ જીત્યા પહેલાં કરવામાં આવી કે પછી એ બાબતમાં પણ હાજી ઉદ્બીર ચોક્કસ નથી. આ ઉપરાંત રાણાને દિલ્હીમાં તો કેટ કરવામાં આવ્યો નહોતો એ બાબત સ્પષ્ટ થાય છે. વળી તેનાં લખાણોથી બીજી એક બાબત સ્પષ્ટ થાય છે કે, લેખકના મતે ચિતોડ જીત્યા પછી પિજરખાનને ચિતોડના સુબા તરીકે નિમ્યો નહોતો પરંતુ એક રાજપુત રાજકુંવરી કે જે શાહી કરમમાં હતી તેને નીમવામાં આવી હતી. અમીરખુસરોનું વૃત્તાંત :- અમીર ખુસરો તવારિખકાર કે ઇતિહાસકાર નહોતો. કવિ અને લેખક હોવાને કારણે પદ્મિનીની આ ઘટનાનો ઉલ્લેખ તે પોતાની સાહિત્યિક કે વિશિષ્ઠ શૈલીમાં કરેએ સ્વાભાવિક છે. તે ભારતના ઇતિહાસની આ ઘટના ઈથિયોપિયાના પ્રાચીન કાલના સમ્રાટ સોલોમન અને તેની સાથેનાં પાત્રો સૈબા, બિલાકિસ તથા હુદહુદ સાથોરૂપક પ્રયોજીને વર્ણવે છે. આ શૈલી પ્રમાણે ખુસરો સુલતાન અલાઉદ્દીનની તુલના સોલોમન સાથે કરે છે. સૈબાને ચિતોડના કિલ્લા વચ્ચે આવેલ કલ્પે છે અને પોતાની જાતને સમ્રાટના સંદેશ વાહક અર્થાત હુદહુદ નામના પક્ષી સ્વરુપે ગણે છે. આ પક્ષીએ ઇથિયોપિયાના સમ્રાટ સોલોમનને સૈલાની સુંદર રાણી બિલાકીસના બેનમૂન સૌંદર્યની વાકેફ કર્યો હતો. વળી ખુસરો પદ્મિનીના આ પ્રસંગ સાથે સંકળાયેલું એક પાત્ર છે. તે પોતાની રચના ‘ખજાએ-ઉલ-કૃતૂહ’માં નોંધે છે કે પોતે અલાઉદ્દીને ચિતોડના કિલ્લાનો કબજો લીધો તે પહેલાં તેની સાથે કિલ્લાની અંદર ગયો હતો. તેના પથિક ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦૭ • For Private and Personal Use Only
SR No.535480
Book TitlePathik 2000 Vol 40 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2000
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy