________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગામની ઉત્તરથી થોડે દૂર પશ્ચિમમાં એક ગુફા ભોયરું આવેલ છે, જેમાં “કચ્છ ઇતિહાસ પરિષદ'ની તત્કાલીન સંશોધન યાત્રાવેળાએ ધણાં બહેનભાઈઓ ૧૦૦ મીટર સુધી અંદર ગયેલાં...
૫. લખપત :- પાટગઢ પાસેની કટેસરની ગુફાઓ ભોયરાઓ અદ્ભુત
૬. ભૂજ :- લૂણા, કોટરા-કોટડા ફૂરન, ખાંવડાતરફ, નેગુની ધાર સુગરાસર
૭. મુન્દ્રાવી :- નવીનાળ બંદરની સાઇટ અને સમાધોધા એ પણ કંઈ કહી જાય છે.
:
૮. અબડાસા :- ટોડિયા કોઠારા, ટોળા ઉપરથી ટોડિયા, ઉત્ખનન બાદ અંદરથી ઠળિયા જ નીકળતા હોય એવું સ્થાન ટીંબા કોટડા પરથી કોટડાની જેમ !
૯. માંડવી :- રાયણને “કચ્છ ઇતિહાસ પરિષદ” ના ત્યાના સરપંચથી તથા ડૉ. વસાનાં સહયોગથી ત્યાં શિબિર રખાઇ ત્યારે પ્રત્યક્ષ જોવાને મળયું કે ત્યાંનાં કિલ્લાની ભઠ્ઠાં કે નિંભાડે પકવેલા પાકી ઈંટો કંઈ ગોપનાં મંદિરો (સૌરાષ્ટ્ર) કરતાં પણ સહેજ મોટી લાગે, ત્યાં મંદિરથી નદીના પટ્ટ સુધી પથરાયેલી નજરે પડે-તો અહીં એ “ડટ્ટણ સબ પટ્ટણ” માટીમાં જ ટાઈ ગયેલી લાગે કચ્છમાં એક લોકવાય કા એવી છે કે દાદા ધોરમનાથજી અહીં તપ કરતા હતા ત્યારે એમના શિષ્યને આ કચ્છનાં પાટણમાં કંઈ કડવો અનુભવ થવાથી શાપ આપતાં ગામ ધનોત પનોત થઈ ગયું. પરંતુ તપ કરનાર સંતો ક્યારેય કદી પ્રજાજીવનને શ્રાપ આપે એ બુદ્ધિજીવીઓ માનવાને તૈયારનથી કચ્છમાં અન્ય પ્રાગૈતિહાસિક સંશોધિક ઉત્ખન ન પામેલ સ્થાનો ની જેમ આ સ્થાન પણ રુકમાવતી અને અન્ય નાની નદીઓના પ્રકોપી કે ભૂતકાળનાં કોઈ ભયંકર ધરતીકંપથી દટાઈ ગયું છે જે પણ ધોળાવીરા અને સૂરકોટડાની જેમ ઉત્ખનન માંગે છે, આ અંગે પણ કેન્દ્ર કે રાજય સરકાર ને હનઝરૂ કરે એમ ડૉય વસા કે “કચ્છ ઇતિહાસ પરિષદ” અપેક્ષા રાખે છે.. અને કદાચ રખાલદાસ બેનરજીએ પ્રથમ સંશોધન ઉત્ખનન ધોળાવીરાનું કર્યું હોત તો એ સિંધુ સંસ્કૃતિની જેમ. “કચ્છી સંસ્કૃતિ” કહેવાઈ જાત. ધોળાવીરાનું સંશોધન એ કચ્છના સામાન્ય માનવી શંભુદાન ગઢવીને આભારી છે.
ઠે. ગોસ્વામી ચોક, ભૂજ-૩૭૦ ૦૦૧
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫૯
For Private and Personal Use Only