SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુશ્મન બનાવ્યા સિવાય પોતે આ રીતે “મહારાવ' બની શક્યા. મુઘલો સાથેના યુદ્ધમાં રાવ પ્રાગમલ્લના પુત્ર ગોડજીનો સારો સહકાર હતો નહિતર તમાચી ૩૦OOની ફોજ તૈયાર કરી શકે નહિ. ઉપરાંત રાજા જશવંતસિંહે પણ અંતે વાસ્તવિકતા સ્વીકારી સમ્રાટનો અભિપ્રાય ફેરવ્યો હશે. આમેય જામનગરનો વંશ કચ્છના ભાયાતનો વંશ હતો. ભાયાત સિવાયનાને ગાદી મળે તે કચ્છથી કેમ સહન થાય? ૩૨ ટૂંકમાં, કચ્છ યુધિષ્ઠિર જેવી “વયં પંચાષિક શતમ્” ની નીતિ અપનાવી. તમારી જે સૂબા તરીકે રહે તો તેને જામનગર શહેર સોંપી દેવાની લાલચ મુઘલોએ આપેલી, પરંતુ પ્રાગમલજીને પોતાનો ભાઈ આવી ગુલામી કરે તે પસંદ નહિ હોય, પરિણામે તમાચીએ અડધા, પરંતુ સ્વતંત્ર હાલારથી સંતોષ માન્યો. આમ પશ્ચિમ ભારતના આ દ્વીપકલ્પમાં સત્તાની સમતુલાનો નાનકડો પ્રયોગ કરીને, વિજયી થઈને કચ્છ બહાર આવ્યું. ' મહારાજાધિરાજ: દેશળજીના પુત્ર લખપતજીના વખતનો યાદગાર બનાવ કચ્છના શાસકોને મળેલ મહારાજાધિરાજ' અને “મીરજાનાં બિરુદોનો હતો. “મહારાજાધિરાજ ખિતાબ કાબૂલના એ વખતના શાસક મહમદશાહ પાસેથી કચ્છના એલચી તુલસીદાસે મેળવ્યો હતો.૪ “મહારાજાધિરાજ' ખિતાબનો અર્થ એ વખતે “સ્વતંત્ર અને સાર્વભૌમ” થતો હશે કે કેમ તે શંકાસ્પદ છે. સિંધના એક ભાગ તરીકે કચ્છ પર અફધાનિસ્તાના શાસકોનો દાવો હતો. ઘણી વખત આવશ્યકતાનુસાર કચ્છના રાવોએ એ દાવાની રૂએ મદદ પણ માગી હતી. તેથી જ્યારે જેમ્સ બર્ન્સ સિંધ ગયો ત્યારે સિંધના અમીર કચ્છ જીતવાના મનસૂબા સેવતા હતા.૩૫ અંગ્રેજો એ કચ્છ જીત્યું કે તુરત જ અફઘાનીસ્તાનના શાસકે બ્રિટિશ ગવર્નર - જનરલ માર્કવીસ ઑફ હેસ્ટિંગ્સને એક પત્ર લખ્યો હતો. આ પત્રનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે અફઘાન નવાબ સરબુલંદખાનને કચ્છના શાસકનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ટૂંકમાં, અફઘાનિસ્તાન કચ્છને પોતાના સામ્રાજ્યમાં ગણતું હતું તેથી આ ખિતાબ મેળવીને લખપતજીએ વિદેશનીતિના ક્ષેત્રે સારી સફળતા હાંસલ કરી. મીરજા : આવો જ બીજો ખિતાબ લખપતજીના વખતમાં તેમના સાચા સાર્વભૌમ મુઘલ સમ્રાટ પાસેથી મળ્યો તેને કારણે કચ્છની સાથે લખપતજીનું મહત્ત્વ વધી ગયું. આ ખિતાબ પ્રાપ્ત કરવા માટે પ્રથમ તેમણે દિલ્હીમાં પોતાનો એલચી મૂક્યો. ત્યાર બાદ એક પછી એક પ્રતિનિધિમંડળો મોકલ્યાં. તેમની સાથે વિશ્વવિખ્યાત કચ્છી ઘોડા અને ગુજરાતી બળદ તથા બીજાં નજરાણાં તેમ અરજીઓ એ વખતના મુઘલ સમ્રાટ ફિરદૌસ આરામગાહ પાસે મોકલ્યાં. આવી જ ભેટો તેણે સામ્રાજ્યના કારભારીઓ પર પણ મોકલાવી. આને લીધે છેવટે લખપતજીને એક મનસબ મળી અને તેને “મીરજા રાજા લખપત’ નામના ખિતાબથ રિા રાજા લખપત’ નામના ખિતાબથી સંમાનિત કરવામાં આવ્યો. આ ખિતાબ ઘણો જ અગત્યનો હતો અને તે શરૂઆતમાં મુઘલ કુટુંબના માણસોને જ અપાતો હતો. પછી તે વિશ્વાસુ-અંગત-જમણા હાથ જેવા માણસોને આપવામાં આવતો. આવો ખિતાબ જયપુરના મહારાજા જયસિંહ ધરાવતા હતા તે પરથી તેના મહત્ત્વનો ખ્યાલ આવે છે. તેનો ઉપયોગ “મહારાવની સાથે કચ્છના લખપત પછીના શાસકોએ કર્યો હતો. “મહારાજાધિરાજ' શબ્દ અન્ય ઉલ્લેખોમાં ઓછો વપરાયો છે, પરંતુ “મીરજા' તો સર્વસામાન્ય હતો. આ ખિતાબ કોણે આપ્યો તે વિશે જુદા જુદા મુઘલ સમ્રાટોનાં નામ મળે છે. કચ્છ દરબારનાં સાધનો તેનું નામ અહમદશાહ આપે છે. “મીરાતે અહમદી' ફિરદૌસ આરામશાહનું નામ આપે છે. શ્રી નાગાંધી આલમગીર જણાવે છે, ૩૯ પરંતુ એ તો હકીકત છે કે કચ્છના શાસકને આ ખિતાબ સંવત ૧૮૦૩માં મળ્યો. એ વખતે મહમદશાહ નામનો સમ્રાટ દિલ્હીપતિ હતો. શ્રી નયગાંધી ખિતાબ આપવાનું કારણ કચ્છની મુઘલ સમ્રાટને કરવામાં આવેલી લશ્કરી મદદ ગણે છે. આ મદદ માટે તેઓ કોઈ આધાર આપતા નથી. ટૂંકમાં, પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૩૮) For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy